SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ અલ્પકાળમાં મુક્તિનાં અનલ્પસુખનો લાભ થાય છે. આ બધો લાભ શ્રી નવકારમંત્રના પ્રથમપદનો અર્થભાવના સાથે થતો જાપ મેળવી આપે છે. તેથી તેનો જેમ બને તેમ વિશેષ આદર કરવો જોઈએ. ત્રણ ગણોની શુદ્ધિ મન-વચન-કાયાના યોગો તથા જ્ઞાન-દર્શન-ચારિત્રસ્વરૂપ આત્માના ગુણો વગેરે નવકારના પ્રથમપદના સ્મરણથી શુદ્ધ થાય છે, ત્રણ લોગોની શુદ્ધિથી વાત-પિત્ત-કફ-રૂપી, દેહની ત્રણ ધાતુઓના વૈષમ્યની શુદ્ધિ થાય છે અને જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપી આત્માની ત્રણ ધાતુઓ અર્થાત ત્રણ ગુણોની પણ શુદ્ધિ થાય છે. કહ્યું છે કેवातं विजयते ज्ञानं, दर्शनं पित्तवारणम् । कफनाशाय चरणं, धर्मस्तेनामृतायते ॥ - પૂ. ઉપા. શ્રી મેઘવિ મ. કૃત અદ્ ગીતા II ૧૫ અર્થાત્ “જ્ઞાનથી વાતદોષ જિતાય છે, દર્શનથી પિત્તદોષ જિતાય છે અને ચારિત્રથી કફદોષ જિતાય છે. તેથી ધર્મ અમૃત જેવું કાર્ય કરે છે.' રાગદ્વેષમોહ એ આત્માની જ્ઞાનાદિ ધાતુઓના વૈષમ્યથી ઉત્પન્ન થનારા દોષો છે. તે અનુક્રમે જ્ઞાન દર્શન ચારિત્રગુણ વડે જિતાય છે. સાથેસાથે ક્રમશઃ મન, વચન અને કાયાના યોગો પણ શુદ્ધ થાય છે. કેમ કે જ્ઞાનમાં મનોયોગની પ્રધાનતા છે, દર્શનમાં સ્તુતિ-સ્તોત્રાદિ પૂજાની મુખ્યતા હોવાથી વચનયોગની પ્રધાનતા છે, અને ચારિત્રમાં કાયિક ક્રિયાઓની મુખ્યતા હોવાથી કાયયોગની પ્રધાનતા છે. આ રીતે વિચારતાં દેહના વાતાદિજન્ય ત્રણેય દોષોને અને આત્માના રાગાદિજન્ય ત્રણેય દોષોને-વિકારોને શુદ્ધ કરવાની શક્તિ નવકારના પ્રથમપદના સાત અક્ષરો રૂપી એક આલાવામાં એટલે તેના ત્રણ પદોમાં પણ રહેલી છે. નમો પદ વડે મનોયોગની અને જ્ઞાનગુણની શુદ્ધિ થાય છે તેથી રાગદોષ જિતાય છે. ગરિરં પદ વડે વચનયોગની અને દર્શનગુણની શુદ્ધિ થાય છે તેથી દ્રષદોષ જિતાય છે. ‘તા પદ વડે કાયયોગની અને ચારિત્રગુણની શુદ્ધિ થાય છે તેથી મોહદોષ જિતાય છે. ત્રણયોગો અને તે વડે અભિવ્યક્ત થતા જ્ઞાનાદિ ત્રણ ગુણો વડે વાતપિત્ત કફના દોષો અને રાગ-દ્વેષ-મોહના દોષો પણ નાશ પામે છે. એટલે કે શરીર અને આત્મા એ બંનેની એકી સાથે શુદ્ધિ કરવાનો ગુણ નવકારના પ્રથમપદના જાપમાં રહેલો છે, તેમ જ ઉપલક્ષણથી ધર્મના પ્રત્યેક અંગની સમ્યગુ આરાધનામાં તે શક્તિ રહેલી છે. નમો પદની ગંભીરતા નમો' મંત્રમાં નવધાભક્તિ રહેલી છે. ‘નમો’ મંત્ર વડે નામનું ૧ શ્રવણ, ૨ કીર્તન અને ૩ સ્મરણ થાય છે તેમ જ આકૃતિનું ૪ પૂજન, ૫ વંદન અને અર્ચન થાય છે. દ્રવ્યનિક્ષેપે પરમાત્માની સેવા અને ભક્તિ થાય છે તથા ભાવનિક્ષેપે પરમાત્મા પ્રત્યે આત્મનિવેદન અથવા સર્વસમર્પણ થાય છે. નવકાર એ સર્વમંગલોમાં પહેલું મંગલ છે. પાપને, અશુભકર્મને અને સર્વ મળને ગાળે તે મંગલ છે. તેમાં १ दधति धारयन्ति जीवस्वरूपमिति धातवः सम्यग्ज्ञानादयः । - ઘર્ષવિ . ૮, દૂ. ૧૧ ટી. IN અનુપ્રેક્ષાકિરણ ૩ અનુપ્રેક્ષાકિરણ ૩ ૩૨૦ NS Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy