________________
પછી આજ્ઞાપાલનની રુચિ પ્રગટે છે. એ રુચિપૂર્વક જે અનુષ્ઠાન થાય તે વચનાનુષ્ઠાન કહેવાય છે અને તેના પરિણામે અસંગાનુષ્ઠાનની પ્રાપ્તિ થાય છે. એ મુજબ ક્રમ છે.
- અસંગાનુષ્ઠાન એ મોક્ષનું અનંતર કારણ છે. અસંગાનુષ્ઠાન નિર્વિકલ્પ ચિન્માત્ર સમાધિરૂપ છે. તે જ્ઞાનક્રિયાની અભેદ ભૂમિકારૂપ છે, કેમ કે તે શુદ્ધ ઉપયોગ અને શુદ્ધ વીર્ષોલ્લાસની સાથે તાદાસ્યભાવને ધારણ કરે છે.
અત્યંત પ્રીતિપૂર્વક થાય તે પ્રીતિઅનુષ્ઠાન, આદર-બહુમાનપૂર્વક થાય તે ભક્તિ અનુષ્ઠાન, આગમને અનુસરીને થાય તે વચનાનુષ્ઠાન અને તે અતિશય અભ્યાસથી આગમની અપેક્ષા વિના જ સહજ ભાવે થાય તે અસંગાનુષ્ઠાન છે.
અસંગાનુષ્ઠાનમાં યોગ અને ઉપયોગની શુદ્ધિ તેના પ્રકર્ષ પર્યત પહોચેલી હોય છે.
શ્રી અરિહંત ભગવંતો ઉપર પ્રીતિનો પરિણામ જો જીવનિકાયના હિતની બુદ્ધિમાંથી થયેલો હોય તો તે શુદ્ધ અને સ્થિર હોય છે.
પડુજીવનિકાયના હિતનો પરિણામ સૌ પ્રથમ ભવની ભીતિમાંથી જન્મે છે. તે પછી આત્મૌપજ્યભાવમાંથી જન્મે છે. શ્રી અરિહંતોની ભક્તિ દ્રવ્ય-ભાવ ઉભયથી હોય છે. તેમાં ભાવભક્તિ આજ્ઞાપાલન-સ્વરૂપ છે. તેથી ભાવભક્તિનું બીજ આજ્ઞાપાલનનો અધ્યવસાય છે. એ જ અધ્યવસાય ભાવનમસ્કારની પ્રાપ્તિ કરાવે છે.
ભાવનમસ્કાર અંતે સર્વ પાપવૃત્તિઓનો નાશ કરી પરમમંગલપદની પ્રાપ્તિ કરાવે છે. નમસ્કાર વડે ધ્યાનસિદ્ધિ
આજ્ઞાનું આરાધન મોક્ષ માટે થાય છે અને આજ્ઞાનું વિરાધન સંસાર માટે થાય છે. પ્રભુની આજ્ઞા આશ્રવોના ત્યાગની અને સંવરોના સ્વીકારની છે. જે જે ક્રિયાથી આત્મામાં કર્મ આવે તે આશ્રવ છે અને આવતાં કર્મ રોકાય તે સંવર છે.
ભવનો અંત કે ભવનું ભ્રમણ પ્રભુને આધીન છે એટલે કે પ્રભુની આજ્ઞાને આધીન આજ્ઞાની આરાધના અને વિરાધના-એ જ અનુક્રમે મોક્ષનું અને ભવનું કારણ છે.
સંવરભાવ એ આજ્ઞાની આરાધના છે. સામાયિક એ સંવર છે અને નમસ્કાર એ સામાયિકનું સાધન છે તેથી નમસ્કાર પણ સંવર છે.
સામાયિકથી અવિરતિરૂપી આશ્રવનો સંવર થાય છે. નમસ્કારથી મિથ્યાત્વરૂપી આશ્રવનો સંવર થાય છે.
નમસ્કારમાં ભગવાનના સ્વરૂપનું ચિંતન થાય છે તે નિશ્ચયથી નિજસ્વરૂપનું જ ચિંતન છે. શ્રી જિનની પૂજા પરમાર્થથી નિજની પૂજા છે કહ્યું છે કે
જિનવર પૂજા રે, તે નિજ પૂજના રે. ભાગવસ્વરૂપના આલંબનથી આત્મધ્યાન સહજ બને છે. સમસ્ત દ્વાદશાંગીનો સાર ધ્યાનયોગ છે. ધ્યાનવડે આત્મસ્વરૂપની સ્પર્શના થાય છે તેને સમાપત્તિ કહે છે. શ્રી નમસ્કારમંત્ર વડે તે ધ્યાનની સિદ્ધિ થાય છે. કહ્યું છે કે
'श्री नमस्कारमंत्रेण सकलध्यानसिद्धिः ।'
અનુપ્રેક્ષાકિરણ ૩.
૩૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org