SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ વિષયોનો રસ ઘટાડવાનું કાર્ય ‘નમો’પદની ભાવનાથી થાય છે અને આત્મરસ જગાડવાનું કાર્ય શ્રી અરિહંતપદના ધ્યાનથી થાય છે. વિષયોનું સ્મરણ અનાદિ અભ્યાસથી પોતાની મેળે થાય છે. દેવ-ગુરુનું સ્મરણ અભ્યાસના બળથી સાધ્ય છે. દેવ-ગુરુના સ્મરણનો અભ્યાસ દૃઢ થયા પછી વિષયોનું સ્મરણ આપોઆપ ટળી જાય છે. બહિરાત્મભાવમાં આત્મા ચાલ્યો જાય તે એક પ્રકારનો આધ્યાત્મિક આત્મઘાત છે. તેનાથી જીવને બચાવી લેનાર શ્રી નમસ્કારમંત્રનો જાપ છે. ભાવનમસ્કાર ‘નમો અરિહંતાણં” અર્થાત્-‘અરિહંતોને નમસ્કાર’ એ પદનો તાત્પર્યાર્થ એ છે કે હું અરિહંતોનો દાસ છું, પ્રેષ્ય છું, કિંકર છું અને સેવક છું. અરિહંતો મારા સ્વામી છે, નાથ છે, માલિક છે અને સત્તાધીશ છે. અરિહંતોના નિર્દેશને અરિહંતોની આજ્ઞાને અરિહંતોના કાર્યને અને અરિહંતોની સેવાને હું સ્વીકારું છું. તેઓની આજ્ઞાનું પાલન એ જ મારો પરમ ધર્મ છે એમ હું માનું છું. નમસ્કાર્યની આજ્ઞા મુજબ જીવનને જીવવું એ જ નમસ્કારકર્તાનો શુભભાવ છે. આજ્ઞાપાલનને પ૨મકર્તવ્ય સમજનાર જ સાચો નમસ્કાર કરનારો ગણાય છે. આજ્ઞાથી પરાજ્ઞમુખ વૃત્તિવાળાનો નમસ્કાર ‘એ નામ નિક્ષેપે’ નમસ્કાર છે. આજ્ઞા ઉ૫૨નો સાચો બહુમાનભાવ એ સાચો ભાવનિક્ષેપે નમસ્કાર છે. ભાવનમસ્કાર અને આજ્ઞાપાલનનો અધ્યવસાય એકાર્થક છે. નમવું, પરિણમવું અને તદાકાર થવું એ નમસ્કા૨નો ભાવાર્થ છે. .શ્રી અરિહંતોને વિષે એકચિત્ત થવું, તેઓને વિષે જ મન સ્થાપન કરવું, તેઓનું જ ધ્યાન અને તેઓને વિષે જ લેશ્યા એ ભાવનમસ્કાર છે. ભાવથી નમવું એટલે તદ્રુપ થવું અને તદ્રુપ પરિણમવું એટલે ત્રિક૨ણયોગથી તેઓને જ સમર્પિત થવું, તન મન અને ધન તેઓના જ કાર્યમાં વાપરવાં. તેઓનું કાર્ય કરવું એમાં ત્રણેય લોકનું હિત છે. તે કાર્યને પોતાનું કાર્ય માનવું તેમજ મન, વચન અને કાયાના યોગો તેમાં જ વાપરવા તે ભાવનમસ્કાર છે. ભાવનમસ્કાર અને આજ્ઞાયોગ “નમો અરિહંતાળું” ના જાપથી શ્રી અરિહંતોની આજ્ઞાપાલનનો અધ્યવસાય જાગ્રત થાય છે. શ્રી અરિહંતોની આજ્ઞા એટલે જીવનિકાયનું હિત થાય એવું જીવન જીવવું તે. શ્રી અરિહંતોના નમસ્કારનું એ ફળ છે. આજ્ઞાપાલનનો અધ્યવસાય એટલે સમસ્ત જીવરાશિ ઉપર સ્નેહનો પરિણામ સમસ્ત જીવરાશિના હિતનો અધ્યવસાય અને તે મુજબનું જીવન. પ્રભુની આજ્ઞા ઉપર પ્રીતિ ઉત્પન્ન થવામાં પ્રથમ કારણ આજ્ઞાભંગની ભીતિ છે અને આજ્ઞાભંગથી ઉત્પન્ન થતા દુષ્ટ વિપાકનું ચિંતવન છે. આજ્ઞાભંગની ભીતિ વડે પ્રીતિ ઉત્પન્ન થાય છે, પ્રીતિ પછી ભક્તિ જાગે છે અને તે ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ ૩૧૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy