________________
જ્યાં જ્ઞાન રહેલું છે ત્યાં ગૌણ પણે ક્રિયા પણ રહેલી છે. જ્યાં ક્રિયા મુખ્ય છે ત્યાં ગૌણ રૂપે જ્ઞાન પણ રહેલું
નવકાર વડે પાપ નહિ કરવાની પ્રતિજ્ઞાનું બહુમાન થાય છે. સામાયિક વડે બહુમાનપૂર્વક પાપ નહિ કરવાની પ્રતિજ્ઞાનો સ્વીકાર થાય છે.
જ્ઞાન માત્રનો મૂળ સ્ત્રોત નવકાર છે. ક્રિયા માત્રનો મૂળ સ્ત્રોત કરેમિ ભંતે છે.
ક્રિયાનાં કારણો ત્રણ યોગ અને ત્રણ કરણ છે, તેનું નિયમન કરેમિ ભંતેની પ્રતિજ્ઞાથી થાય છે. સામાયિકમાં સાવદ્યત્યાગ અને નિરવદ્યસેવનની પ્રતિજ્ઞાઓ ત્રણકરણથી અને ત્રણેયોગથી વ્યાપ્ત છે.
સાવઘક્રિયા અધૈર્યનિષ્પાદક છે. તેના ત્યાગની ક્રિયા આત્મામાં ધૈર્ય ઉત્પન્ન કરે છે. જ્ઞાન પ્રકાશક છે ક્રિયા થૈર્યજનક છે. બંને મળીને આત્મસુખનું કારણ બને છે.
નવકાર દ્વારા નવતત્ત્વ, પદ્રવ્ય તથા આત્મ-અનાત્મતત્ત્વનું જ્ઞાન દઢ કરીને સામાયિકની ક્રિયા દ્વારા તે જ્ઞાનનું સમ્યગું આચરણ કરી શકાય છે. નમ્રતા અને સૌમ્યતા
નમ્ર જીવો જ સલામતીપૂર્વક ઊંચાણ ઉપર ચઢી શકે છે.
નમ્રતા (Humility) અને સૌમ્યતા (Meekness) રૂપી બે અશ્વોને નમસ્કારભાવરૂપી રથમાં જોડીને મોક્ષમાર્ગના પ્રવાસની શરૂઆત થઈ શકે છે
જ્યાં નમસ્કારભાવ નથી ત્યાં નમ્રતા નથી અને જ્યાં નમ્રતા નથી ત્યાં સૌમ્યતા નથી. સૌમ્યતા એટલે સમભાવ. સમભાવ વિના કોઈ પણ સગુણનો સાચો વાસ આત્મામાં થઈ શકતો નથી.
આપણી હીનતા અને ક્ષતિઓની બેધડક કબૂલાત વિના નમસ્કારભાવની ઝાંખી પણ થઈ શકતી નથી. નમસ્કારભાવ વિનાની કોરી નમ્રતા અહંકારભાવની જનેતા છે અને તે ઠગારી હોય છે.
નમસ્કારભાવ ત્રણેય જગતના સ્વામીત્વનું બીજ છે.
શ્રી તીર્થંકરભગવંતો અને શ્રી સિદ્ધભગવંતોની સઘળી ઋદ્ધિ-સિદ્ધિ અને આત્મસમૃદ્ધિ આ નમસ્કારભાવમાંથી જ પ્રગટ થયેલી છે.
નમસ્કારભાવનો એક અર્થ ક્ષમાયાચના છે. ક્ષમાયાચનાથી ચિત્ત પ્રસન્ન બને છે. અર્થાત્ ચિત્તમાંથી ખેદ, ઉગ, વિષાદાદિ દોષો ચાલ્યા જાય છે.
નમસ્કારભાવનો બીજો અર્થ કૃતજ્ઞતા અને ઉદારતા છે.
નમસ્કારભાવ વડે પરના ઉપકારનો સ્વીકાર કરાય છે અને પરને ગુણ કરવાની વૃત્તિ પેદા થાય છે. એમાં એકનું નામ કૃતજ્ઞતા છે, બીજાનું નામ ઉદારતા છે.
કૃતજ્ઞતાગુણ વડે અપાત્રતા દૂર થાય છે અને ઉદારતાનુણ વડે પાત્રતા વિકાસ પામે છે. જીવની અનાદિકાળની અયોગ્યતાને અર્થાત્ અપાત્રતાને શાસ્ત્રકારો સહજભળના શબ્દથી સંબોધે છે. સહજભળના કારણે જીવ કર્મના સંબંધમાં આવે છે અને કર્મનો સંબંધ જીવને વિષયાભિમુખ બનાવે છે. વિષયાભિમુખતા એ સ્વાર્થવૃત્તિનું જ બીજું નામ છે. નમસ્કારભાવ સ્વાર્થવૃત્તિનું ઉજૂલન કરે છે.
જીવમાં છુપાયેલી યોગ્યતાને શાસ્ત્રકારો તથાભવ્યત્વ શબ્દથી ઓળખાવે છે. એનો પરિપાક જીવને ધર્મની સાથે સંબંધ કરાવે છે. ૩૧૬
ત્રલોકચદીપક મહામંત્રાધિરાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org