SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નમસ્કા૨મંત્રમાં સાધ્ય સર્વશ્રેષ્ઠ હોવાથી તે સર્વોત્તમભક્તિનું ઉત્પાદક છે અને સાધન સર્વશ્રેષ્ઠ હોવાથી તે સર્વોત્તમશ્રદ્ધાને ઉત્પન્ન કરે છે. સર્વોત્તમશ્રદ્ધા અને સર્વોત્તમભક્તિથી થયેલી ક્રિયા સર્વોત્તમફળને આપે, એ નિઃશંક છે. ભક્તિ ઉત્પન્ન થવામાં પ્રમુખ અનુગ્રહ પ્રભુનો છે. એ અનુગ્રહ કરવાની શક્તિ બીજા કોઈમાં પણ ન હોવાથી ભવ્યજીવને પ્રભુ જ એક સેવ્ય, આરાધ્ય અને ઉપાસ્ય છે તેમ જ તેમની જ એક આજ્ઞા પાલન કરવી યોગ્ય છે, એવી નિષ્ઠા પ્રાપ્ત થાય છે અને તેનું જ નામ ભક્તિ છે. આજ્ઞાનું પાલન પોતે જ કરવા યોગ્ય છે, એવી નિષ્ઠા તે શ્રદ્ધા છે. એમ શ્રદ્ધા અને ભક્તિ ઉભય મળીને જીવની મુક્તિરૂપી કાર્યસિદ્ધિ કરે છે. આ બંને વસ્તુને પૂરી પાડનાર શ્રી નમસ્કારમંત્ર હોવાથી ભવ્ય જીવોને તે પ્રાણથી પણ પ્યારો છે અને પ્રત્યેક શ્વાસે સોવા૨ સંભારવા લાયક છે. તેથી મનનું રક્ષણ થાય છે, સંકલ્પ-વિકલ્પ છૂટી જાય છે, સમત્વભાવમાં સ્થિતિ પેદા થાય છે અને આત્મારામતા-આત્મસ્વરૂપમાં જ રમણતા કરવાનો અભ્યાસ પડે છે. ઋણમુક્તિનો મહામંત્ર નમસ્કાર એ ઋણમુક્તિનો મંત્ર છે. પોતાના માથે ઋણ છે એમ માનનાર વ્યક્તિઆપોઆપ નમ્ર બને છે-નિરહંકાર રહે છે. પ્રત્યેક જન્મમાં બીજા ઉપર કરેલા અપકાર અને બીજાના પોતા ઉપર થયેલા ઉપકારને યાદ રાખનારો જ સદા નમ્ર રહે છે અને ઉપકારના બદલામાં પ્રત્યુપકાર કરવાની ભાવનાવાળો રહે છે. પોતે કરેલા અપકારનો બદલો સમતાભાવથી સર્વ પ્રકારનાં કષ્ટસહનમાં રહેલો છે અને પોતા ઉપર થયેલા ઉપકારનો બદલો આત્મજ્ઞાનથી વળે છે. આત્મજ્ઞાની પુરુષ વિશ્વ ઉપર જે ઉપકાર કરે છે તે એટલો મોટો હોય છે કે તેની આગળ તેમના ઉપર બીજાથી થયેલા બધા ઉપકારોનો બદલો વળી જાય છે. દુઃખ અને કષ્ટ વખતે કર્મના વિપાકનું ચિન્તન ક૨વાથી સમતાભાવ અખંડ રહે છે અને તેથી બીજા ઉ૫૨ કરેલા અપકારોનું ઋણ ઊતરી જાય છે. ‘નમો’ મંત્ર અપકાર અને ઉપકાર બંનેનો બદલો એકીસાથે વાળી શકે છે. તેનું કારણ તેની પાછળ કર્મ-વિપાકનો પણ વિચાર છે અને આત્મજ્ઞાન પામવાનો પણ વિચાર છે. કર્મવિપાકનો વિચાર સમતા દ્વારા સર્વ પાપોનો નાશ કરે છે. આત્મજ્ઞાનનો વિચાર સર્વમંગલોનું કારણ બને છે. ધર્મમાત્ર મંગલ છે. આત્મજ્ઞાન બધા ધર્મોનું ફળ છે. તેથી શ્રી અરિહંતાદિના નમસ્કાર વડે થતું આત્મજ્ઞાન એ સર્વ મંગલોમાં પ્રધાન મંગલ છે અને નિત્ય વધતું મંગલ છે. નમ્રતા અને બહુમાન જીવ કર્મથી બંધાયેલો છે એ વિચાર જેમ નમ્રતાને લાવે છે, તેમ કર્મથી મુક્ત થયેલા પુરુષો પ્રત્યે અંતરથી થતું બહુમાન પણ નમ્રતાને લાવે છે. કર્મનો વિચાર પાપનું પ્રાયશ્ચિત્ત કરાવે છે અને ધર્મનો વિચાર પુણ્યનું બીજ બને છે. ‘નમો’ મંત્રમાં કર્મનો અનાદર છે અને ધર્મનો આદર છે. કર્મનો બંધ કે જે બીજા ઉપર અપકાર કરવાથી થયો છે, તેનો સ્વીકા૨ છે અને ધર્મની પ્રાપ્તિ જે પરોપકારથી થાય છે, એનો પણ શ્રદ્ધાપૂર્વક સ્વીકાર છે. પોતાને ધર્મ પમાડનાર બીજા છે તેથી તે ઉપકારીને નમસ્કાર એ જેમ ધર્મવૃદ્ધિનો હેતુ છે, તેમ બીજા પ્રત્યે ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ ૩૧૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy