________________
સંકુચિત સ્વરૂપનો ત્યાગ કરાવી નિઃસીમ સ્વરૂપનું ભાન કરાવે છે. તે ભાન જેમ જેમ દઢ થતું જાય છે, તેમ તેમ સંકલ્પ-વિકલ્પોથી મુક્તિને મેળવી આપી નિર્વિકલ્પ અવસ્થાની પ્રાપ્તિ કરાવે છે. તેને નિજ શુદ્ધ સ્વરૂપની અનુભૂતિ અથવા નિર્વિકલ્પ ચિત્માત્ર સમાધિ તરીકે ઓળખવામાં આવે છે.
“નમો મંત્ર વડે તે કાર્ય શીધ્રપણે થતું હોવાથી તે મહામંત્ર કહેવાય છે. સર્વશિરોમણિ મંત્રા
શુદ્ધ આત્મદ્રવ્યની અનુભૂતિ એ મોદકના સ્થાને છે, તેનું જ્ઞાન એ ગોળના સ્થાને છે અને તેની શ્રદ્ધા એ ઘીના સ્થાને છે. શુદ્ધ આત્મદ્રવ્ય એ પૂર્ણ છે, એવા જ્ઞાન અને શ્રદ્ધાની સાથે થતું તેનું ધ્યાન, સ્મરણ, રટણ આદિ લોટના સ્થાને છે.
શુદ્ધ આત્મસ્વરૂપના લાભની ઇચ્છા સિવાયની બીજી સર્વ ઇચ્છાઓનો જેમાં નિરોધ છે, એવા તારૂપી અગ્નિમાં આત્મધ્યાનરૂપી લોટના ભાખરા બનાવીને, તેને સક્રિયાઓથી કૂટીને, તેમાં શ્રદ્ધારૂપી ઘી અને જ્ઞાનરૂપી ગોળ મેળવીને જે મોદક તૈયાર થાય, તે જ મોક્ષમોદક છે અને તેમાં સંસારનાં સર્વપ્રકારનાં સુખોના આસ્વાદથી અનંતગુણ અધિક સુખાસ્વાદ રહેલો છે.
નિશ્ચયનયથી આત્માના શુદ્ધ અને પૂર્ણ સ્વરૂપનું જ્ઞાન અને શ્રદ્ધાન તથા વ્યવહારનયથી શુદ્ધસ્વરૂપમાં ઉપયોગીરૂપી પ્રણિધાન એ મોક્ષરૂપી મોદકને પામવાનો સરળ માર્ગ છે.
નો રિહંતાણં' પદના ધ્યાનથી-ટણથી પુનઃ પુનઃ ઉચ્ચારણરૂપી જાપ અને પ્રણિધાન-ધ્યાનથી તે સિદ્ધ થઈ શકે છે. તેથી સાત અક્ષરના તે મંત્રને મોક્ષપ્રાપ્તિ માટે સર્વ શિરોમણિ મંત્ર કહ્યો છે. સાચા મંત્રોનો પ્રભાવ
સાચા મંત્રો દેવ, ગુરુ અને આત્માની સાથે તથા બીજી બાજુ મન, વચન અને આત્માની સાથે ઐક્ય સધાવી આપનાર હોવાથી, તે સર્વ અંતરાયોનું નિવારણ કરાવનારા તથા અંતરાત્મભાવની પ્રાપ્તિ કરાવનારા થાય
અંતરાત્મભાવ એટલે આત્મામાં આત્મા વડે આત્માની પ્રતીતિ. તે પ્રતીતિ કરવા માટે અથવા જે તે થયેલી હોય તો તેને દઢ બનાવવા માટે સાચા મંત્રનું આરાધન પરમસહાયભૂત થાય છે.
મંત્રના અક્ષરોનું ઉચ્ચારણ પ્રાણની ગતિને નિયમિત કરે છે. પ્રાણની ગતિની નિયમિતતા મનને કાબૂમાં લાવે છે. મનનો કાબૂ આત્માનું પ્રભુત્વ અપાવે છે.
મંત્રોના અર્થોનો સંબંધ દેવતત્ત્વ અને ગુરુતત્ત્વની સાથે હોય છે. તેથી દેવતત્ત્વ અને ગુરુતત્ત્વ બોધ કરાવી તે દ્વારા શુદ્ધ આત્મતત્ત્વનું જ્ઞાન કરાવે છે.
મન ઉપર (આત્માનું પ્રભુત્વ પ્રાપ્ત કરાવવાની ક્રિયા અને શુદ્ધ આત્મતત્ત્વનું જ્ઞાન એ બંને વડે અર્થાત સમ્યકક્રિયા અને સમ્યજ્ઞાન તથા તેની સાધનાનો અભ્યાસ કરાવવા દ્વારા સત્ય મંત્રો અને તેની સાધના મોક્ષનાં અસાધારણ કારણ બને છે. મનોગુપ્તિ અને “નમો’ મંત્ર
નિત્ય નમસ્કારનો અભ્યાસ એ ભેદભાવની ઊંડી નદી ઉપર મજબૂત પુલ બાંધવાની ક્રિયા છે. તેથી નમો' પદને સેતુ કહેલ છે.
“નમો પદરૂપી સેતુનો આશ્રય લેવાથી ભેદભાવરૂપી નદીનું ઉલ્લંઘન થાય છે અને અભેદભાવના કિનારા ઉપર પહોંચી જવાય છે. પછી તેને ડૂબી જવાનો ભય રહેતો નથી.
*
અનુપ્રેક્ષાકિરણ ૩
(જી
૩૦૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org