SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ ‘ હતા પરમાત્મા પર્વ નીવાત્મા ' - દ્વત્રિશદ્ - દ્વાત્રિશિકા ટીકા દલથી પરમાત્મા પોતે જ જીવાત્મા છે. શુદ્ધ દ્રવ્ય, ગુણ અને પર્યાયથી શ્રી અરિહંતનું તથા પ્રકારે જ્ઞાન થવાથી તથા પ્રકારે ધ્યાન થાય છે. તે ધ્યાન સમાપત્તિ જનક બનીને મોહનો નાશ કરે છે. સમાપત્તિ એટલે ધ્યાનજનિત સ્પર્શના અર્થાત્ ધ્યાનકાળે ધ્યાતાને થતી ધ્યેયની સ્પર્શના. તે બે પ્રકારે થાય છે સંસર્ગારોપથી અને અભેદારોપથી. શુદ્ધાત્માના ધ્યાનથી અંતરાત્માને વિષે પરમાત્માના ગુણોનો સંસર્ગારોપ થાય છે તે પ્રથમ સમાપત્તિ છે અને પછી અંતરાત્માને વિષે પરમાત્માનો અભેદ આરોપ થાય છે. તે બીજી સમાપત્તિ છે. તેનું ફળ અતિ વિશુદ્ધ સમાધિ છે. શ્રી નમસ્કારમંત્ર ઉભય પ્રકારની સમાપત્તિનું કારણ બનીને સાધકને વિશુદ્ધ સમાધિ આપનાર થાય છે, તેથી તે પુનઃ પુનઃ સ્મર્તવ્ય છે, બાતવ્ય છે અને તેનું ધ્યાન પુનઃ પુનઃ કર્તવ્ય છે. મંત્ર વડે મનનું રક્ષણ મંત્ર શબ્દ મનની સાથે ગાઢ સંબંધ ધરાવે છે. મન અને પ્રાણ વચ્ચે અવિનાભાવ સંબંધ છે. મનનું સ્પંદન એ પ્રાણ છે અને પ્રાણનું સ્પંદન એ મન છે. “વત્ર મનતંત્ર મકતું, યત્ર મરૂત્ર મનઃ ” મનુષ્યની વાણી અને વર્તન પણ મનની સ્થિતિનું જ પ્રતિબિંબ છે. તેથી શાસ્ત્રોમાં બંધ અને મોક્ષનું કારણ પણ મનને જ કહેલ છે. શરીરથી જે કાર્યો થતાં દેખાય છે, એની પાછળનું પ્રેરણાબળ મનુષ્યના મનમાં જ હોય છે. મનની સુધારણા ઉપર જ માનવીની સુધારણાનો આધાર છે. બાહ્ય જગતનાં કાર્યો ઈન્દ્રિયો દ્વારા થતાં દેખાય છે, પણ ખરી રીતે તો બધી ક્રિયાઓ મગજમાં આવેલા મનનાં વિવિધ કેન્દ્રો દ્વારા જ થતી હોય છે. ઈન્દ્રિયો તો તેનાં બાહ્ય કરણો છે. અહંકાર, બુદ્ધિ, ચિત્ત, મન વગેરે આંતર કરણો છે. એ આંતર કરણો દ્વારા જ પ્રત્યક્ષ, અનુમાન આગમ આદિ પ્રમાણોનો બોધ થાય છે. નિદ્રા, સ્વપ્ન, સ્મૃતિ અને મિથ્યાજ્ઞાન પણ અંતઃકરણ દ્વારા જ થાય છે. જાગૃત, સ્વપ્ન અને નિદ્રા ઉપરાંત એક ચોથી અવસ્થા પણ છે કે જેને તુરીય અવસ્થા કહેવાય છે. તે અવસ્થામાં જ જીવને આત્મપ્રત્યક્ષ-આત્મસાક્ષાત્કાર થાય છે. મનને એ અવસ્થા માટે તૈયાર કરવાનું અમૂલ્ય સાધન એકમાત્ર મંત્ર છે. મંત્ર દ્વારા મન એકાગ્ર બને છે, શુદ્ધ બને છે અને અંતર્મુખ બને છે. એકાગ્ર, શુદ્ધ અંતર્મુખ બનેલ મનમાં વિવેક-વૈરાગ્ય જગે છે. ત્યારબાદ શમ, દમ, તિતિક્ષા ઉપરતિ, શ્રદ્ધા અને સમાધાન પ્રાપ્ત થાય છે અને તેથી અધ્યાત્મમાર્ગની યાત્રા આગળ વધે છે. મંત્રનું પ્રધાનકાર્ય માનવીની રક્ષા કરવાનું છે. આધિ, વ્યાધિ અને ઉપાધિ એ ત્રણેયની સામે મંત્ર રક્ષણ કરે છે. મંત્રસાધના, માનવીના મનને નિરર્થક ચિન્તાઓથી છોડાવે છે, માનવીના શરીરને ચિત્તા અને વિષાદથી ઉત્પન્ન થતા અનેક શારીરિક રોગોથી બચાવે છે અને પ્રારબ્ધના યોગે આવી પડનારાં બાહ્ય સંકટો અને અનિવાર્ય પ્રત્યવાયો-વિનો વખતે મનને શાંત રાખી તેનાથી દૂર થવાના માર્ગો શોધી કાઢવામાં સહાયકારક થાય છે. ૩૦૦ (કૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy