SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ અનુપ્રેક્ષાકિરણ ૩ મહામંત્રની આરાધના આરાધ્ય આરાધક, આરાધના અને આરાધનાનું ફળ આ ચારેય વસ્તુઓનું જ્ઞાન મહામંત્રની આરાધાનામાં આવશ્યક છે. (૧) આરાધ્ય-નવકાર. (૨) આરાધક-સમિતિ-ગુપ્તિયુક્ત જીવ. (૩) આરાધના-મન, વચન અને કાયાની શુદ્ધિ તથા એકાગ્રતાથી થતો જાપ. (૪) આરાધનાનું ફળ-ઈહલૌકિક અર્થ, કામ, આરોગ્ય-અભિરતિ તથા પારલૌકિક સ્વર્ગાપવર્ગનાં સુખ. પવિત્ર ગુણોની સિદ્ધિ કૃપા વિના થતી નથી. નવકારના જાપથી પરમપદે રહેલા પુરુષોનો અનુગ્રહ પ્રાપ્ત થાય છે, તેથી જીવનમાં સંયમાદિ ગુણોની સિદ્ધિ થાય છે. “નમો' એ શરણગમનરૂપ છે. દુષ્કતગઈ અને સુકૃતાનુમોદના એ શરણગમનરૂપ એક જ ઢાલની બે બાજુઓ છે. દુષ્કૃતગથી પાપનું મૂળ બળે છે. અને સુકૃતાનુમોદનાથી ધર્મનું મૂળ સિંચાય છે. નમો' એ સ્વાપકર્ષનો બોધક છે, તેથી દુષ્કૃતગર્ણ થાય છે. નમો’ એ જેને નમવામાં આવે છે તેના ઉત્કર્ષનો બોધક છે, તેથી સુકૃતાનુમોદના થાય છે. સ્વાપકર્ષના સ્વીકારથી પાપનું પ્રાયશ્ચિત થાય છે અને પરોત્કર્ષના બોધથી વિનયગુણ પુષ્ટ થાય છે કે જે વિનયગુણ ધર્મનું મૂળ છે. આ રીતે એક નમસ્કારમાં જીવની શુદ્ધિ કરવા માટેની ત્રણેય પ્રકારની સામગ્રીઓ રહેલી છે. સાચો નમસ્કાર શરણગમન એ નગદ નાણું છે. દુષ્કતગહ અને સુકૃતાનુમોદના તે શરણગમનરૂપ એક જ સિક્કાની બે બાજુઓ છે. દુષ્કૃતનો જ્યારે ભય લાગે ત્યારે દોષરહિતનું શરણ સ્વીકારવાની મનોવૃત્તિ થાય છે. સુકૃતનો જ્યારે પ્રેમ જાગે ત્યારે સુકૃતના ભંડાર એવા શ્રી અરિહંતાદિનું શરણ ઈષ્ટ લાગે છે. શ્રી અરિહંતાદિનો નમસ્કાર દુષ્કૃતગઈ અને સુકૃતાનુમોદનાનું પરિણામ છે. તેથી તે એક બાજુ સહજભળનો હ્રાસ કરે છે અને બીજી બાજુ જીવના ભવ્યત્વભાવનો વિકાસ કરે છે. સર્વદોષરહિતનું અને સર્વગુણસહિતનું શરણ જ્યારે દોષ દૂર કરવાના ભાવથી અને ગુણ મેળવવાના લક્ષ્યથી થાય છે ત્યારે તે સાચો નમસ્કાર બને છે. પાપનાશક મંગલોત્પાદક : નવકારમંત્રા નવકાર એ પાપનો નાશક અને મંગળનું મૂળ છે એમ નમસ્કારની ચૂલિકામાં ફરમાવ્યું છે. સહજમળ ઘટવાથી પાપનો નાશ થાય છે અને ભવ્યત્વ પરિપક્વ થવાથી મંગળની વૃદ્ધિ થાય છે. સહજમળ ઘટે એટલે ભવ્યત્વ પાકે અને ભવ્યત્વ પાકે એટલે સહજમળ ઘટે એમ પરસ્પર એકબીજાનો સંબંધ છે. અનુપ્રેક્ષાકિરણ ૩ કરી ૨૯૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy