________________
વિશ્વને શુભ, શુભતર કે શુભતમ બનાવનાર અથવા અશુભ, અશુભતર કે અશુભતમ થતું અટકાવનાર જો કોઈ હોય તો તે આ શ્રી પંચપરમેષ્ઠિમય તત્ત્વ છે. આ નિશ્ચય જેમ જેમ દૃઢ થતો જાય છે તેમ તેમ શ્રી અરિહંતોનું કે શ્રી પરમેષ્ઠિઓનું સ્મરણ, ભાવસ્મરણ બનીને જીવનું ભાવરક્ષણ કરે છે.
જેનું મનન કરવાથી રક્ષણ થાય તે મંત્ર છે. તેથી નમસ્કારના વર્ણો વડે થતું શ્રી ૫૨મેષ્ઠિઓનું સ્મરણ મહામંત્રસ્વરૂપ બની પરમઉપકારક થાય છે.
શ્રી નમસ્કારમંત્રનું સ્મરણ
જે શ્રી જિનશાસનનો સાર છે, જેને અંત સમયે પામીને ભવસમુદ્ર તરી જવાય છે અને જીવનમાં અનેક પાપો આચરવા છતાં જેના સ્મરણ માત્રથી જીવો સદ્ગતિને પામે છે, તે શ્રી પંચપરમેષ્ઠિનવકા૨મહામંત્ર અચિંત્ય મહિમાથી ભરેલો છે.
દેવપણું મળવું સહેલું છે, વિશાળ રાજ્ય, સુંદર સ્ત્રીઓ, રત્નના ઢગલા કે સુવર્ણના ડુંગરો મળવા સુલભ છે, પણ શ્રી નવકા૨મંત્ર મળવો અને તેના પ્રત્યે અંતરંગ પ્રેમ જાગવો એ સૌથી વધુ દુર્લભ છે. તે કારણથી પ્રત્યેક કાર્યના પ્રારંભમાં તેનું સ્મરણ કરવાનું વિધાન છે.
ચૌદપૂર્વને ધરનારા પણ અંત સમયે એ મહામંત્રનું સ્મરણ કરે છે. એના પ્રભાવથી સ્વયંભૂરમણસાગર કરતાં પણ મોટો એવો ભવસાગર સુખપૂર્વક તરી શકાય છે તથા મોક્ષના અવિચળ સુખો શીઘ્રપણે પ્રાપ્ત કરી શકાય છે. એ મહામંત્રનું સ્મરણ હ્દયમાં અખંડપણે કાયમ રહે એવો મનોરથ સમ્યગ્દષ્ટિજીવને સદા માટે હોય છે. તે અંગે કહ્યું છે કે
દશમે અધિકારે મહામંત્ર નવકાર, મનથી નવિ મૂકો શિવસુખ ફલ સહકાર; એહ જપતાં જાયે દુર્ગતિ દોષ વિકાર, સુપરે એ સમરો ચૌદ પૂરવનો સાર.
જન્માંતર જાતાં જો પામે નવકાર, તો પાતિક ગાળી, પામે સુર અવતાર; એ નવપદ સરિખો મંત્ર ન કોઈ સાર, ઇહભવ ને પરભવે સુખ સંપત્તિ દાતાર. જુઓ ભીલ-ભીલડી, રાજા-રાણી થાય, નવપદ મહિમાથી રાજસિંહ મહારાય; રાણી રત્નાવતી બેહુ પામ્યા છે સુરભોગ, એક ભવ પછી લેશે શિવવધૂ સંજોગ. ૩.
શ્રીમતીને એ વળી મંત્ર ફળ્યો તત્કાળ, ફણિધર ફીટીને પ્રગટ થઈ ફૂલમાળ; શિવકુમરે જોગી સોવન પુરિસો કીધ, એમ એણે મંત્રે કાજ ઘણાનાં સિદ્ધ.
૨૯૮
Jain Education International
ઉપા. શ્રી વિનયવિજયજી મહારાજ (પુણ્યપ્રકાશનું સ્તવન ઢાળ ૧૦)
૧.
For Private & Personal Use Only
૨.
૪.
ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ
www.jainelibrary.org