SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ ભૌતિક પદાર્થો વડે થતો ઉપકાર એક પાલિક, કેવળ ઈહલૌકિક છે, જ્યારે ઉભય લૌકિક ઉપકાર અભૌતિક-ચિન્મય પદાર્થોથી થાય છે. તેથી અભૌતિક પદાર્થો “પ્રથમ નમસ્કારને પાત્ર છે. શાસ્ત્રો કહે છે કે જે દુઃખ મળ્યું છે, તે આપણી અયોગ્યતા કરતાં ઓછું છે એમ માનતાં શીખો અને જે સુખ મળ્યું છે, તે આપણી યોગ્યતા કરતાં અધિક છે એમ માનતાં શીખો. પુણ્યને પરની સહાયતા વડે માનતાં શીખો. અને પાપને કેવળ સ્વથી માનતાં શીખો. પાપ પ્રત્યે પક્ષપાત અને પુણ્ય પ્રત્યે અણગમો તે જ બધાં દુઃખોનું મૂળ છે અને તેનું કારણ કાર્ય-કારણભાવના નિયમનો અવિચાર અથવા અજ્ઞાન છે. કારણને અનુરૂપ કાર્ય હોય છે. પાપ પરને પીડાદરૂપ છે તેથી તેનું ફળ દુઃખ છે અને પુણ્ય પરની પીડાના પરિહારરૂપ છે તેથી તેનું ફળ સુખ સાચું સુખ મોક્ષમાં છે, પુણ્ય-પાપથી રહિત અવસ્થામાં છે. જેને ઊર્ધ્વગમન કરવું હોય તેણે ઉચ્ચ પદાર્થોને નમતાં શીખવું જોઈએ, તેમાં સાચી માનવતા છે. નખ કરતાં આંગળી, વાળ કરતાં માથું અને વસ્ત્ર કરતાં શરીર જેમ મૂલ્યમાં અધિકાર છે, તેમ શરીર કરતાં આત્માનું મૂલ્ય અધિકતમ છે, એમ માનતાં શીખવું જોઈએ. ધન એ અગિયારમો પ્રાપ્ય છે. તેના કરતાં દશ દ્રવ્યપ્રાણની અધિકતા સ્વીકારવી અને દ્રવ્યપ્રાણ કરતાં ભાવપ્રાણની અધિકતા સ્વીકારવી તેમાં વિવેક છે, વિચાર છે અને સત્યનો સ્વીકાર છે. પરમેષ્ઠિનમસ્કારમાં વિવેક, વિચાર તથા સત્યનો સ્વીકાર હોવાથી માનવતાની સફળતા છે. શ્રી પંચપરમેષ્ઠિમય વિશ્વ શ્રી અરિહંત પંચપરમેષ્ઠિમય છે. શ્રી પંચપરમેષ્ઠિની સ્તુતિ તે શ્રી અરિહંતની સ્તુતિ છે. શ્રી અરિહંતમાં અરિહંતપણું તો છે જ, તે ઉપરાન્ત સિદ્ધપણું પણ છે, અર્થની દેશના આપનારા હોવાથી આચાર્યપણું પણ છે, શ્રી ગણધરભગવંતોને ત્રિપદીરૂપી સૂત્રનું દાન કરનારા હોવાથી ઉપાધ્યાયપણું પણ છે, કંચન-કામિનીના સંગથી અલિપ્ત, નિર્વિષયચિત્તવાળા, નિર્મમ, નિઃસંગ અને અપ્રમત્તભાવવાળા હોવાથી સાધુપણું પણ છે. એ રીતે પાંચેય પરમેષ્ઠિમય હોવાથી શ્રી અરિહંતની સ્તુતિ શ્રી પંચપરમેષ્ઠિની સ્તુતિરૂપ છે અને શ્રી પંચપરમેષ્ઠિની સ્તુતિ શ્રી અરિહંતની સ્તુતિરૂપ છે. શ્રી અરિહંતમાં પંચપરમેષ્ઠિ અને શ્રી પંચપરમેષ્ઠિમાં શ્રી અરિહંત રહેલા છે. બીજી રીતે શ્રી અરિહંત એ વિશ્વના આત્મા છે. સમગ્ર વિશ્વ તેઓશ્રીના આત્મામાં જ્ઞાનરૂપે, કરુણારૂપે મૈત્રીરૂપે, પ્રમોદરૂપે અને માધ્યય્યરૂપે રહેલું છે-પ્રતિષ્ઠિત થયેલું છે. વિશ્વ શ્રી અરિહંતરૂપ છે, કેમ કે શ્રી અરિહંતોની કરુણાનો વિષય છે, શ્રી અરિહંતોના જ્ઞાનનું શેય છે અને શ્રી અરિહંતોના ઉપદેશ અર્થાત્ આજ્ઞાનું આલંબન અથવા ક્ષેત્ર છે. એ રીતે શ્રી અરિહંત સમગ્રવિશ્વમય અને સમગ્રવિશ્વ શ્રી અરિહંતમય છે, અર્થાત શ્રી પંચપરમેષ્ઠિ સમગ્રવિશ્વમય અને સમગ્રવિશ્વ શ્રી પંચપરમેષ્ઠિમય છે. શ્રી પંચપરમેષ્ઠિનું ધ્યાન શ્રી પંચપરમેષ્ઠિનું ધ્યાન જ્યારે શબ્દ, અર્થ અને જ્ઞાનથી સંકીર્ણ હોય છે ત્યારે તે સવિકલ્પ સમાધિનો હેતુ બને છે. એ રીતે જ્યારે દેશ, કાળ, જાતિ આદિથી યુક્ત હોય છે ત્યારે પણ તે સવિકલ્પ સમાધિ બને છે. જ્યારે સમય છે. N ૨૯૬ Firs જ રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy