SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ અથવા બીજી રીતે દ્રવ્યસંકોચ એટલે શરીરાદિ બાહ્ય વસ્તુના મદનો ત્યાગ તથા ભાવસંકોચ એટલે મન, બુદ્ધિ આદિના માનનો ત્યાગ. એ રીતે મદ અને માનનો ત્યાગ થવાથી વૃત્તિ અંતર્મુખ થાય છે અને તેથી સર્વશ્રેષ્ઠ વસ્તુઓનું જ્ઞાન અને ધ્યાન ફળીભૂત થાય છે. જ્ઞાનનું ફળ સમતાસંવર છે અને ધ્યાનનું ફળ નિરોધનિર્જરા છે. તે તેને જ વરે છે કે જેના મનમાં કાયા અને વાણી તથા ઉપલક્ષણથી પુગલના સંયોગજનિત સર્વ ઔદયિકભાવોનું અભિમાન ગળી ગયું હોય છે. તેમ જ મન અને બુદ્ધિ તથા ઉપલક્ષણથી સર્વ પ્રકારના લાયોપથમિકભાવોનો પણ અહંકાર ચાલ્યો ગયો હોય છે. આથી એ સિદ્ધ થયું કે જાતિ, કુળ, રૂપ, બળ, ઐશ્વર્ય અને વાલ્લભ્યાદિ ઔદયિકભાવોના મદનો ત્યાગ, તે મુખ્યત્વે દ્રવ્યસંકોચ છે અને તપ, શ્રત, જ્ઞાન અને બુદ્ધિ આદિ ભયોપશમ ભાવના માનનો ત્યાગ તે મુખ્યત્વે ભાવસંકોચ છે. દ્રવ્ય અને ભાવ અથવા બાહ્ય અને અત્યંતર એ ઉભય પ્રકારે મદ અને માનના ત્યાગનું પ્રણિધાન તે દ્રવ્ય-ભાવસંકોચ અને તે નમસ્કારનો મુખ્ય પદાર્થ છે. એવો નમસ્કારભાવ અથવા તેનું લક્ષ્ય એ ધર્મના પ્રારંભમાં અતીવ આવશ્યક છે. નનો મંત્ર વડે અહંતા-મમતાનો ત્યાગ અહંતા અને મમતા સંસારમાં ભટકાવનારી વસ્તુ છે. અહંતા એટલે કર્મનો કર્તા માત્ર હું જ છું,’ એવી બુદ્ધિ મમતા એટલે ‘કર્મ ફળનો અધિકારી હું છું', એવી બુદ્ધિ. એ બંનેને નિવારવા માટે કર્મનો કર્તા કેવળ હું નથી. કિન્તુ કાળ, સ્વભાવ, ભવિતવ્યતા અને પૂર્વકૃત કર્મ વિગેરેનો સહકાર છે તેમ વિચારવું અને કર્મફળ પણ બધાના સહકારનું પરિણામ હોવાથી તેના ઉપર માત્ર મારા એકલાનો અધિકાર નથી એમ વિચારવું. નમસ્કારના આરાધકે પોતાનાં સઘળાં કર્મ અને તેનાં ફળ જેને નમસ્કાર કરે છે, તે નમસ્કાર્યોને સમર્પિત કરી દેવાનાં હોય છે, કેમ કે નિમિત્તકર્તુત્વ તેઓનું છે. તેઓના અવલંબને જ કર્મ અને તેના ફળમાં શ્રેષ્ઠતા આવે પ્રત્યેક શુભકાર્ય અને તેનું શ્રેષ્ઠફળ જેના અવલંબનથી તે શુભ અને શ્રેષ્ઠ બને છે તેની માલિકીનું છે એમ વ્યવહારનય કહે છે. તેથી બંને ઉપર સ્વામીત્વ તેઓનું છે એવી વૃત્તિ ધારણ કરવી જોઈએ. તેના પરિણામે અાંત્વ-મમત્વ ગળી જાય છે અને નમ્રતા, નિરભિમાનતા, સરળતા, સંતોષ વગેરે ગુણોની ઉત્પત્તિ થાય છે. તથા ભક્તિનાં સુમધુર ફળોના અધિકારી થવાય છે. અવ્યયપદ નમો’ એ વ્યાકરણશાસ્ત્રના નિયમ મુજબ અવ્યયપદ છે. મોક્ષ પણ અવ્યયપદ છે. તેથી “નમો અવ્યય-મોક્ષપદનું બીજ પણ બને છે. અવ્યયપદ એ જ જ્ઞાતવ્ય, ધ્યાતવ્ય અને પ્રાપ્તવ્ય છે. વાક્યમાં કર્તા, કર્મ અને ક્રિયા એમ ત્રણ હોય છે. અહીં ‘નમો એ અવ્યય હોવાથી માત્ર તેમાં ક્રિયા છે પણ કતા કે કર્મ નથી. સાધના વખતે જ્યારે કર્તા અને કર્મ ગૌણ બને અને ઉપયોગમાં માત્ર ક્રિયા રહે ત્યારે તે સાધના શુદ્ધ બને છે. N ૨૯૦ સૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Jain Education International For Private & Personal Use Only www.jainelibraty.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy