________________
શત્રુભાવન હણનારા શ્રી અરિહંતો છે. તેઓને નમસ્કાર થાય છે, તેથી મૈત્રીનો મહામંત્ર બની જાય છે અને અરિહં' એટલે શુદ્ધ આત્મા. તેમને નમસ્કાર હોવાથી ભક્તિનો મહામંત્ર બને છે.
મૈત્રી અને ભક્તિ પરસ્પર અવિનાભાવી છે. એક વિના બીજાનું અસ્તિત્વ અશક્ય છે. આત્મસ્વરૂપની ભક્તિ પૂર્ણ થઈ ત્યારે ગણાય કે જ્યારે સાવરણ અને નિરાવરણ એવા બંને પ્રકારના આત્માઓ ઉપર સ્નેહભાવ ઉત્પન્ન થાય.
નિરાવરણસ્વરૂપ પ્રત્યે સ્નેહ તે પ્રમોદ અને સાવરણસ્વરૂપ પ્રત્યે સ્નેહ તે કરુણા અને માધ્યચ્યું. જો કરુણા-માધ્યથ્ય ન હોય તો પ્રમોદ પણ સાચો ન ગણાય. જે પ્રમોદ ન હોય તો કરુણા અને માધ્યથ્ય પણ સાચા નહિ.
જીવતત્ત્વની સાચી જો સહણા થઈ હોય તો તેની નિશાની જીવના દુઃખ પ્રત્યે સહાનુભૂતિ અને કરુણા, તેમ જ તેના સુખ પ્રત્યે હર્ષ અને પ્રમોદ હોવા જોઈએ. એ રીતે ભક્તિ અને મૈત્રી ઉભયને એકી સાથે પ્રગટાવનાર મંત્ર તે શ્રી નમસ્કારમહામંત્ર છે. પ્રથમપદમાં સમગ્ર મોક્ષમાર્ગ
મૈત્રી અને ભક્તિ એ સમ્યગ્દર્શનનાં લક્ષણ છે. તેની પાછળ સમજ્ઞાન હોવું આવશ્યક છે, તે જ્ઞાન એકત્વનું છે. જીવ, જગત અને જગદીશ્વરની એકતાનું જ્ઞાન જ સાચી ભક્તિ અને મૈત્રી પ્રગટાવી શકે છે.
એ એકતા ગુણથી, જતિથી અને સ્વભાવથી છે. સજાતીય એકતાના સંબંધનું જ્ઞાન ભક્તિપ્રેરક અને મૈત્રીપ્રેરક છે તેથી તે સમ્યજ્ઞાન છે.
જ્યાં સમ્યગ્યજ્ઞાન અને સમ્યગ્દર્શન હોય ત્યાં નિશ્ચયથી ચારિત્ર અવિનાભાવી છે. જ્ઞાન-દર્શન તો જ સત્ય ગણાય કે જો જીવનમાં તેનો અમલ હોય. એ અમલનું નામ જ ચારિત્ર છે. તે ચારિત્રના બે પ્રકારો છે :
એક પ્રવૃત્તિ-નિવૃત્તિરૂપ અને બીજું સ્વભાવરમણતારૂપ. સ્વભાવરમણારૂપ ચારિત્ર તે વ્યવહારચારિત્રનું ફળ છે. હિંસાદિ આશ્રવોથી નિવૃત્તિ અને ક્ષમાદિ ધર્મોમાં પ્રવૃત્તિ તે વ્યવહારચારિત્ર છે.
મૈત્રી વડે હિંસાદિ આશ્રવોનો નિરોધ થાય છે અને ભક્તિ વડે સ્વરૂપ રમણતા વિકસિત થાય છે. કષાયના અભાવને લાવનાર મુખ્યતઃ મૈત્રી છે અને વિષયોની આસક્તિને હઠાવનાર મુખ્યતઃ ભક્તિ છે.
પરમાત્મતત્ત્વ ભક્તિનો સર્વશ્રેષ્ઠ વિષય હોવાથી તે ભક્તિના પ્રભાવે તુચ્છ વિષયો તરફનું આકર્ષણ આપોઆપ ચાલ્યું જાય છે અને વિષય-કષાયને જીતનારો આત્મા પોતે જ મોક્ષ છે. ભક્તિ અને મૈત્રી તેનાં સાધનો છે. તેને વિકસાવનાર મંત્ર નવકાર અથવા તેનું પ્રથમપદ છે. આથી શ્રી નવકારમંત્રમાં રત્નત્રયી રહેલી છે.
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ આત્માના ત્રણ મુખ્ય ગુણો છે. શ્રી અરિહંતોનો નમસ્કાર એ ત્રણેય ગુણોને વિકસાવે છે, કેમ કે તે મંત્ર વડે ભક્તિ અને મૈત્રી સાક્ષાત પુષ્ટ થાય છે ચૈતન્ય સાથે તે એકતાનું જ્ઞાન કરાવે છે તથા વિષય-કષાયની પરિણતિથી આત્માને છોડાવે છે.
વિષયોમાં સર્વશ્રેષ્ઠ વિષય શ્રી અરિહંત છે. તેઓશ્રી પ્રત્યેનો આદર બીજા વિષયોની તુચ્છતાનું ભાન કરાવે છે. કષાયોનું મૂળ જીવો પ્રત્યે અમૈત્રી છે. અરિહંતોનો નમસ્કાર મૈત્રી શીખવે છે કે જેથી કષાય નિર્મૂળ થાય છે. વિષય-કષાયથી મુક્ત આત્મા સ્વયં ચારિત્રરૂપ છે.
એ રીતે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ રત્નત્રયી કે જેને મોક્ષમાર્ગ કહેવાય છે, તે નવકારના પ્રથમપદમાં જ સંગૃહીત થયેલી છે. આથી તેના આરાધકોનું મોક્ષરૂપી ધ્યેય સિદ્ધ થાય છે.
અનુપ્રેક્ષાકિરણ ૨
૨૮૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org