________________
અભિન્ન એવા સર્વજ્ઞતત્ત્વનું ચિત્તન-ભાવન થાય છે.
શુદ્ધસ્વરૂપનું યથાર્થભાવન થવાથી પ્રતિકૂળતા વખતે પણ તે જ્ઞાન કાયમ રહે છે અને આનંદરસની અનુભૂતિ કરાવે છે.
અનુકૂળ સમયે ત્રણેય કાળ અને પ્રતિકૂળ સમયે વારંવાર શ્રી નમસ્કારમંત્રને ભાવિત કરવાનું ફરમાન છે તેની પાછળ આત્મજ્ઞાનને દુઃખમાં અને સુખમાં પણ ભાવિત કરીને સ્થિરતર કરવાનો આશય છે. સત્સંગ વડે નિસ્તરંગ અવસ્થાનું કારણ નમસ્કાર
જીવ પરિણામ પામવાના સ્વભાવવાળો છે. જ્યારે તે શુભાશુભ પરિણામમાં પરિણમે છે ત્યારે તે શુભાશુભ થાય છે અને જ્યારે શુદ્ધપરિણામરૂપે પરિણમે છે ત્યારે તે શુદ્ધ થાય છે.
શ્રી નમસ્કારમંત્ર જીવને શુભાશુભ પરિણામે પરિણમતો અટકાવી શુદ્ધપરિણામમાં પરિણમતો કરે છે તેથી નમસ્કારનો એક અર્થ શુદ્ધ સ્વભાવમાં પરિણમન પણ થાય છે.
નમન એટલે પરિણમન. શ્રી અરિહંતાદિ પરમેષ્ઠિઓના શુદ્ધસ્વરૂપના આલંબનથી નિજ આત્માનું શુદ્ધપરિણમન કરાવનાર હોવાથી શ્રી નવકારમંત્ર જીવને મુક્તિ આપનારો થાય છે.
નવકાર શુદ્ધાત્મપરિણમનરૂપ છે. શ્રી નવકારમંત્રને જાણવાથી આત્મા રાગાદિ ભાવોથી અને પરસંગથી મુક્ત થાય છે તેજ સાચી મુક્તિ છે.
શુદ્ધોપયોગમાં રહેલા શ્રી અરિહંત, શ્રી સિદ્ધ આદિ પરમેષ્ઠિઓ, માત્ર આત્માથી જ ઉત્પન્ન એવા વિષયાતીત, નિરૂપમ અને અનંત એવા વિચ્છેદરહિત સુખને અનુભવે છે. તે સ્વરૂપનું ધ્યાન ધર્મધ્યાનના ક્રમથી શુકલધ્યાનનું કારણ બની કર્મરૂપી ઈધનના સમૂહને શીધ્રપણે ભસ્મીભૂત કરે છે. હ્મયમાં આત્મસ્વભાવની લબ્ધિ પ્રકાશમાન થતાંની સાથે જ શુભાશુભના કારણભૂત સંકલ્પવિકલ્પ શમી જાય છે.
જે કેવળ “જ્ઞાનસ્વભાવી છે, કેવળ 'દર્શન'સ્વભાવી છે, કેવળ “સુખમય છે અને કેવળ “વીર્યસ્વભાવી છે, તે આત્મા છે, એમ જ્ઞાનીપુરુષો ચિંતવે છે.
જે ધ્યાનમાં, જ્ઞાન વડે નિજાભા નથી ભાસતો તે ધ્યાન નથી. જે જ્ઞાની નિત્ય ઉપયુક્ત થઈને શુદ્ધાત્મસ્વભાવનું પરિશીલન કરે છે તે અલ્પકાળમાં જ સર્વદુઃખથી મુક્ત થાય છે.
શ્રી નમસ્કારમંત્ર આત્મધ્યાનનું અનન્ય સાધન છે જેથી દર્શનમોહનો વિનાશ થાય છે.
આત્મભાવના વડે પ્રતિક્રમણ, અતિસરણ, પ્રતિકરણ, વારણ, નિવૃત્તિ નિંદન, ગહણ અને શુદ્ધિ એકસાથે થાય છે. નમસ્કાર વડે આત્મભાવના થતી હોવાથી નમસ્કાર પણ પ્રતિક્રમણ-પ્રતિસરણાદિ રૂપ છે તેથી મિથ્યાત્વ, અજ્ઞાન અને પાપાદિ આશ્રવોનો ત્યાગ થાય છે તેમ જ આત્મસ્વરૂપનું અસંગપણે ધ્યાન થાય છે.
શુભોપયોગયુક્તઆત્મા સ્વર્ગાદિને અને શુદ્ધોપયોગયુક્તઆત્મા નિર્વાણને પામે છે. નમસ્કાર એ ધર્મધ્યાન અને શુક્લધ્યાન ઉભયનું કારણ હોવાથી સ્વર્ગાપવર્ગને આપનારો છે એમ સિદ્ધ થાય છે.
સંસારના રોગ-શોકથી મુક્ત થવું, જ્ઞાન-દર્શનાદિ અનુપમ વસ્તુઓ પ્રાપ્ત કરવી, તથા પરમસુખ અને પરમ આનંદનો અખંડ અનુભવ કરવો તે મુક્તિ છે.
સત્સંગ વિનાનું ધ્યાન તરંગરૂપ થઈ પડે છે. શ્રી નમસ્કારમંત્ર સત્સંગપૂર્વકનું શુભધ્યાન હોવાથી નિસ્તરંગઅવસ્થાની પ્રાપ્તિમાં સહાયક થાય છે.
સંત વિના અંતની વાતનો તંત આવતો નથી. અનંતની યાત્રામાં સંતની સહાય અનિવાર્ય છે. નમસ્કારમાં સંતની પૂરેપૂરી સહાય હોવાથી અંતની વાતનો તંત પામી શકાય છે. N ૨૮૨
છે સૈલોક્યદીપક મહામંત્રાધિરાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org