________________
જ્ઞાનાદિથી એકતા અને રાગદિથી ભિન્નતા
શ્રી નમસ્કારમંત્ર વડે જ્ઞાનાદિથી એકતા અને રાગાદિથી ભિન્નતાનો અનુભવ થાય છે. ઉપયોગમાં એક્તારૂપ જ્ઞાન અને રાગાદિથી ભિન્નતારૂપ વૈરાગ્ય એવા જ્ઞાન-વૈરાગ્યયુક્ત શુદ્ધાત્માનો અનુભવ થાય છે.
તે અનુભવમાં જે રાગાદિથી ભેદનું જ્ઞાન છે, તે સંવર છે અને જ્ઞાનાદિથી અભેદનું જ્ઞાન છે તે પૂર્વકર્મની નિર્જરા કરાવે છે.
એ રીતે સંવર-નિર્જરાની દશા પ્રાપ્ત કરાવનાર હોવાથી શ્રી નમસ્કારમંત્રને વિષે લીનતા એ પરમાનંદરૂપી મોક્ષનો પરમ ઉપાય છે. એવું સમ્યગ્દર્શન થતાં જ આત્મામાં આનંદની અનુભૂતિ અને સંવર-નિર્જરાની પ્રાપ્તિનો આરંભ થઈ જાય છે.
જ્ઞાનચેતના રાગાદિથી ભિન્ન છે. જેમ કમલ કાદવ વચ્ચે પણ નિર્લેપ છે, સુવર્ણ સર્વદા કાટ વિનાનું છે, જીહ્યા જેમ ચીકાશકાળે પણ ચીકાશવાળી નથી, અથવા મંત્રના વર્ગો જેમ વિષાપહાર કરે છે, તેમ રાગાદિથી ભિન્ન જ્ઞાનચેતના કર્મફળના આસ્વાદનું વિષ હરી લે છે અને જીહા સુવર્ણ અને કમલની જેમ રાગાદિના લેપ વિનાની રહે છે એવું ભેદ-ભેદ અથવા એકત્વ-પૃથકત્વ વિજ્ઞાન, સંવર-નિર્જરારૂપ હોવાથી વીતરાગતા અને સર્વજ્ઞતાનું બીજ છે.
શ્રી નમસ્કારમંત્ર વડે તે બીજનું વપન થાય છે, કેમ કે તેમાં કેવળજ્ઞાન ચેતનાને નમસ્કાર છે, જ્ઞાન-ચેતનાનું બહુમાન છે તથા જ્ઞાનચેતનાની ઉપાદેયતાનું પુનઃ પુનઃ ભાવન છે.
નમસ્કાર એ સમ્યગ્દષ્ટિ જીવોનો પ્રાણ છે. શ્રી નમસ્કારમંત્ર વડે જ્ઞાનશક્તિ અને વૈરાગ્યશક્તિ દઢ અને સ્થિર થાય છે.
જ્ઞાન એટલે શુદ્ધચિતૂપ સ્વરૂપનો અનુભવ અને વૈરાગ્ય એટલે પરદ્રવ્ય-પરભાવોથી ભિન્નતાની અનુભૂતિ.
આ અનુભૂતિનો ઝુકાવ શુદ્ધસ્વરૂપ તરફ હોવાથી દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મ તરફ ઉદાસીન ભાવ સેવાય છે તથા તેથી અશુદ્ધ પરિણતિ પ્રતિદિન ઘટતી જાય છે અને શુદ્ધતા વધતી જાય છે. તેનું જ નામ નિર્જરાતત્ત્વ છે.
જ્ઞાનવૈરાગ્યસંપન્ન સમ્યગ્દષ્ટિ જીવ વીતરાગ અને સર્વજ્ઞનો જ ઉપાસક હોય છે. શ્રી નમસ્કાર મંત્રમાં વીતરાગસર્વજ્ઞતત્વની ઉપાસના છે.
નિર્ચન્યતા એ વીતરાગતાનું બીજ છે અને જ્ઞાન-ચેતનાની સાથે એકત્વ એ સર્વજ્ઞતાનું બીજ છે.
પ્રન્ય' રાગનું નામ છે. તેનાથી પોતાના સ્વરૂપનો ભેદ જેઓ જાણે છે અને તે મુજબ જીવન જીવે છે તેઓ નિન્ય છે. જેઓ જાણવા છતાં તેવું જીવન ચોવીસેય કલાક જીવી શકતા નથી તેઓ અવિરતિ સમ્યગ્દષ્ટિ છે અને જેઓ એવું જીવન દેશથી જીવે છે તેઓ દેશવિરતિ સમ્યગ્દષ્ટિ છે. દુઃખભાવિતજ્ઞાન
अदुःखभावितं ज्ञानं क्षीयते दुःखसन्निधौ । तस्मायथाबलं दुःखैरात्मानं भावयेन्मुनिः ॥१॥ सुहेण भाविदं गाणं दुहे जादे विणस्सदि । तम्हा जहाबले जोइ अप्पा दुक्खेहिं भावए ॥२॥
ભાવાર્થ - “દુઃખરહિત અવસ્થામાં ભાવેલું આત્મજ્ઞાન દુઃખના પ્રસંગમાં ક્ષય પામી જાય છે, માટે શક્તિ અનુસાર કષ્ટ સહન કરવાપૂર્વક આત્મજ્ઞાનની ભાવના કરવી. (૧) સુખમાં ભાવેલું જ્ઞાન દુઃખકાળે નાશ પામે છે, માટે યોગી પુરુષે શક્તિ મુજબ દુઃખ સમયે આત્મભાવના કરવી જોઈએ. (૨) મરણાન્ત કષ્ટ વખતે પણ શ્રી પરમેષ્ઠિનમસ્કાર સમાધિમાં હેતુ બને છે, તેનું કારણ તેમાં રાગાદિથી ભિન્ન એવા વીતરાગ અને જ્ઞાનાદિથી
અનુપ્રેક્ષાકિરણ ૨
આ ૨૮૧
ઝ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org