SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ કરાવે છે. પુણ્યાનુબંધી પુણ્યનું સ્વરૂપ બતાવતાં શાસ્ત્રોમાં કહ્યું છે કેदया भूतेषु वैराग्यं, विधिवत् गुरूपूजनम् । विशुद्धा शील वृत्तिश्च, पुण्यं पुण्यानुबन्ध्यदः ॥१॥ परोपतापविरतिः, परानुग्रह एव च । स्वचित्तदमनं चैव, पुण्यं पुण्यानुबन्ध्यदः ॥२॥ ભાવાર્થ- શ્રી નમસ્કારમંત્રમાં પુણ્યાનુબંધી પુણ્યની પ્રાપ્તિના ઉપરોક્ત સઘળા ઉપાયોનો સંગ્રહ છે, કેમ કે શ્રી નમસ્કારમંત્રથી ભૂતદયાનો પરિણામ જાગે છે. સંસારનાં સુખો પ્રત્યે ઉદાસીનતાનો ભાવ જાગે છે, દેવ-ગુરુની વિધિવત્ એકાગ્રચિત્તે ઉપાસના થાય છે, દયા, દાન, પરોપકાર, સદાચાર આદિના પાલનરૂપ શીલવૃત્તિ જાગે છે, પરપીડાથી નિવૃત્ત થવાની અને પરને સહાયરૂપ બનવાની વૃત્તિ ઉત્પન્ન થાય છે. ચિત્તવૃત્તિની અશુદ્ધિનો ક્ષય થાય છે અને વિશુધ્ધ ચિત્તની ઉત્પત્તિ થાય છે. તેમ જ વિશુદ્ધચિત્તમાં આત્મજ્ઞાનનું પ્રતિબિંબ પડે છે અને આત્મજ્ઞાન મોહાયનું કારણ બની મોક્ષસુખ અપાવે છે. આ બધા લાભોનું મૂળ શ્રી નમસ્કારમંત્રની આરાધના બને છે. આથી શ્રી નમસ્કારમંત્રની આરાધનાને શાસ્ત્રોમાં શિવસુખનું અદ્વિતીય કારણ માન્યું છે. નમસ્કાર એ શાસ્ત્રોનો મહાન આદેશ નમસ્કાર એ અજ્ઞાનને અને આપમતિના આગ્રહને (મિથ્યાત્વને) નિવારવા માટે અનિવાર્ય છે. નમસ્કાર એટલે દેવગુરુની આધીનતાનો સ્વીકાર. દેવગુરુને નમસ્કાર કરવો એ શાસ્ત્રોનો મહાન આદેશ છે. એ શાસ્ત્રના આદેશને સમજવા માટે પ્રજ્ઞા જોઈએ, જેનામાં સ્વયં પ્રજ્ઞા ન હોય તેને શાસ્ત્ર પણ શો લાભ કરે? અહીં પ્રજ્ઞાનો અર્થ સબુદ્ધિ છે. બુદ્ધિ તે છે કે જે શાસ્ત્રવચનને સમજવામાં ને સમજ્યા પછી તેને જીવનમાં ઉતારવામાં સહાયભૂત બને. શાસ્ત્રવચનને સહવા માટે જે પ્રજ્ઞા જરૂરી છે તે પ્રજ્ઞાનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ. પણ તેથી વિપરીત પ્રજ્ઞાનો અર્થાત્ કુતર્કનો ઉપયોગ કરાય નહિ. પ્રજ્ઞાથી શાસ્ત્રનાં વચન અને એનો પરમાર્થ સમજવો સરળ બને છે તેમ જ ઉત્સર્ગઅપવાદ-વ્યવહાર-નિશ્ચય-જ્ઞાન ક્રિયા ઈત્યાદિના ઉપયોગની સાચી દિશા સમજાય છે. સબુદ્ધિરૂપી પ્રજ્ઞાની સહાયથી જ શાસ્ત્રવચનનો દુરુપયોગ થતો નથી અને સદુપયોગ થાય છે. તેનાથી શાસ્ત્રવચનોની સાપેક્ષતા સમજાય છે અને પ્રત્યેક અપેક્ષાનો યોગ્ય ઉપયોગ કરીને જીવની ક્રમિક આત્મોન્નતિ સાધી શકાય છે. શાસ્ત્રોનું આદિવાક્ય પરમેષ્ઠિને નમસ્કાર છે અને તેનું પણ આદિ પદ “નમો છે, તે શાસ્ત્રાધીનતા સૂચવે છે. શાસ્ત્રોના આદ્ય પ્રકાશક દેવ અને ગુરુનું પરાધીનપણું જ આત્માની સ્વાધીનતા પ્રાપ્ત કરવાનો એકનો એક રાજમાર્ગ છે, તેમ “નમો પદ સમજાવે છે. શુદ્ધચિતૂપરત્ના ज्ञेयं दश्यं न गम्यं मम जगति, किमप्यस्ति कार्यं न वाच्यं; ध्येयं श्रेयं न लभ्यं न च विशदमते, श्रेयमादेयमन्यत् । TITI અનુપ્રેક્ષાકિરણ ૨ . ૨૭૯ NN Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy