________________
દ્રવ્યસામાન્ય વૃદ્ધિકારક છે, ગુણસામાન્ય એકત્વ કરે છે અને પર્યાયસામાન્ય તુલ્યતાકર છે. એ રીતે દ્રવ્ય-ગુણ-પર્યાયથી પરમાત્માનું ધ્યાન એ આત્માનું જ ધ્યાન છે અને એ રીતે થતું આત્મધ્યાન વૃદ્ધિકારક, એકત્વકર અને તુલ્યતાકર હોવાથી અનંત સમતાને આપનારું થાય છે.
સમતા-સમભાવ સમાન બુદ્ધિ વગેરે એકાર્થક છે. મોક્ષનું અનંતર કારણ સમતા છે. સમતાને મોક્ષનું ભાવલિંગ પણ કહ્યું છે. તે સમતા આત્મધ્યાનથી પ્રાપ્ત થાય છે.
કહ્યું છે કેઃ"न साम्येन विना ध्यानं, न ध्यानेन विना च तत् । निष्कंप जायते तस्मात् , द्वयमन्योन्यकारणम् ॥१॥"
અર્થ- સમતા વિના આત્મધ્યાન નથી અને આત્મધ્યાન વિના નિષ્કપસમત્વ નથી. અર્થાત ધ્યાન વિના સમતાભાવમાં નિશ્ચળતા પ્રાપ્ત થતી નથી, તેથી ધ્યાનનું કારણ સમતા અને સમતાનું કારણ ધ્યાન છે.
એમ પરસ્પર કાર્ય-કારણભાવ પામીને ધ્યાનની અને સમતાની વૃદ્ધિ થાય છે. વૃદ્ધિ, એકતા અને તુલ્યતા
દ્રવ્યથી થતું આત્મધ્યાન વૃદ્ધિકર છે અર્થાત શુભભાવની વૃદ્ધિ કરે છે, ગુણથી થતું ધ્યાન ભાવથી એકત્વકર છે અને પર્યાયથી થતું ધ્યાન ભાવથી તુલ્યતાકર છે.
તુલ્યતા, એકતા અને વૃદ્ધિ જ્યારે સમકાળે મળે છે ત્યારે સમતા સ્થિર બને છે. સ્થિર સમતા અનંતદ્રવ્યોની સમાનતા, ગુણોની એકતા અને પર્યાયોની તુલ્યતાના જ્ઞાન ઉપર અવલંબે છે. તેથી સમતાના અર્થી જીવોએ પરમેષ્ઠિનમસ્કાર દ્વારા ધ્યાનમાં અનુક્રમે દ્રવ્યથી વૃદ્ધિ, ગુણથી એકતા અને પર્યાયથી તુલ્યતાનો અનુભવ લેવો જોઈએ.
ધ્યાનમાં જ્યારે પરમેષ્ઠિઓના શુદ્ધ આત્મદ્રવ્ય સાથે પોતાનું આત્મદ્રવ્ય મળે છે, ત્યારે વૃદ્ધિ અનુભવાય છે. તેઓના ગુણો સાથે જ્યારે પોતાના ગુણો મળે છે. ત્યારે એકતા અનુભવાય છે અને તેઓના પર્યાયો સાથે જ્યારે પોતાના પર્યાયો મળે છે ત્યારે તુલ્યતા અનુભવાય છે.
એ રીતે તુલ્યતા, એકતા અને વૃદ્ધિનો અનુભવ વિષમતાનો નાશ કરે છે અને સમતાનો પ્રાદુર્ભાવ કરે છે.
આ પરમેષ્ઠિનમસ્કારમાં નિત્ય એકતાન થવાનો અભ્યાસ મુમુક્ષોએ વધારવો જોઈએ. વૃદ્ધિ પામેલો તે અભ્યાસ અનુક્રમે પ્રકર્ષને પામીને ધ્યાતાને ધ્યેયરૂપ બનાવનારો થાય છે. આત્મા પરમાત્મસ્વરૂપ બને છે તથા વ્યષ્ટિ પોતે સમષ્ટિરૂપ ધારણ કરીને અંતે પરમેષ્ઠિસ્વરૂપ બની જાય છે.
કહ્યું છે કે - નિજ સ્વરૂપ ઉપયોગથી, ફિરી ચલિત જો થાય; તો અરિહંત પરમાતમા, સિદ્ધ પ્રભુ સુખદાય. તિનકા આત્મ સરૂપકા, અવલોકન કરો સાર; દ્રવ્ય ગુણ પwવ તેહના, ચિંતવો ચિત્ત મઝાર. નિર્મળ ગુણ ચિન્તન કરત, નિર્મળ હોય ઉપયોગ તવ ફિરી નિજ સરૂપકા, ધ્યાન કરો થિર જોગ, ૩ જે સરૂપ અરિહંતકો, સિદ્ધ સરૂપ વળી જેહ; તેહવો આતમ રૂપ છે, તિણમેં નહીં સંદેહ. ચેતન દ્રવ્ય સાધર્ખતા, તેણે કરી એક સરૂપ; ભેદભાવ ઈસમે નહીં, એવો ચેતન ભૂપ. ચિત્માત્ર સમાધિનો અનુભવ , આત્મધ્યાનનું ફળ સમતા છે અને સમતાનું ફળ નિર્વિકલ્પ ઉપયોગ અર્થાત નિર્વિકલ્પ સમાધિ છે. તે સમાધિને નિર્વિકલ્પ ચિત્માત્રસમાધિ કહેવાય છે. તેમાં રાગ-દ્વેષ અને સુખ-દુઃખથી પર એવો એક ચિત્માત્ર ઉપયોગ રહે છે. તેને શાસ્ત્રોમાં જ્ઞાનચેતના તરીકે ઓળખાવેલ છે. ૨૭૬
વૈલોક્યદીપક મહામંત્રાધિરાજો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org