SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ નિમજ્જનનું બીજું નામ શરણાગતિ છે. “નો મંત્ર એ પરમતત્ત્વને સમર્પિત થવાની ક્રિયા છે શરણાગતિને નવધા ભક્તિ ઉપર દશમી ભક્તિ કહી છે. એ ભક્તિનો આશ્રય લેનારને એવો કોલ મળે છે કે - “ર બે પ્રવૃતિ ” “મારા ભક્તનો કદી વિનાશ નથી.' મોટામાં મોટાં પાપ અહંતા-મમતાનાં છે. આત્મનિવેદન અને શરણાગતિ વડે તે પાપોનો અંત આવે છે. એ બંને પાપોનું મૂળ સંબંધનું અજ્ઞાન છે. નમસ્કાર વડે સાચો બ્રહ્મસંબંધ સધાય છે, જેનાથી અજ્ઞાન, પાપ અને તેના વિવિધ વિપાકનો સદાને માટે અંત આવે છે. નમો’ વડે થતી ભક્તિ અને પૂજાની ક્રિયાઓ નમો’ વડે હું પરમાત્માનું સ્મરણ કરું છું, કીર્તન કરું છું, પૂજન કરું છું, વંદન કરું છું, પ્રીતિ કરું છું, ભક્તિ કરું છું, આજ્ઞાને શિરોધાર્ય કરું છું અને અસંગભાવે તેઓની સાથે મળી જાઉં છું. સ્મરણ-કીર્તનાદિ દ્રવ્યસંકોચરૂપ છે, જ્યારે આજ્ઞાપાલન અને શરણાગતિ તે ભાવસંકોચરૂપ છે. “નમો’ વડે ઉભય પ્રકારના સંકોચ અનુભવાય છે અને કેવળ આત્મતત્ત્વના વિકાસને ઇચ્છાય છે. નમો પ્રીતિરૂપ છે, ભક્તિરૂપ છે, વચનરૂપ છે અને અસંગરૂપ છે. “નમો’ એ ઇચ્છારૂપ છે, પ્રવૃત્તિરૂપ છે, ધૈર્યરૂપ છે અને સિદ્ધિરૂપ પણ છે. “નો' માં ભક્તિના સર્વ પ્રકારો અંતર્ગત થઈ જાય છે. દ્રવ્યપૂજ અને ભાવપૂજાના સર્વ પ્રકારો “નમો મંત્રમાં સમાઈ જાય છે. સર્વ અવસ્થાઓમાં કર્તવ્ય શ્રી અરિહંતને નમસ્કાર, શ્રી સિદ્ધને નમસ્કાર, શ્રી આચાર્યને નમસ્કાર, શ્રી ઉપાધ્યાયને નમસ્કાર તથા સર્વ શ્રી સાધુને નમસ્કાર એ આત્માની જ ભિન્ન ભિન્ન અવસ્થાઓને નમસ્કાર છે. શ્રી આચાર્ય, શ્રી ઉપાધ્યાય અને શ્રી સાધુને નમસ્કાર તે છઠ્ઠા ગુણસ્થાનકથી બારમા-તેરમા ગુણસ્થાનક સુધીની અવસ્થાને નમન છે. શ્રી અરિહંતને નમસ્કાર એ તેરમાં ગુણસ્થાનકને અને શ્રી સિદ્ધને નમસ્કાર એ મુખ્યતાએ ચૌદમા ગુણસ્થાનકને નમન છે. તત્ત્વથી તે તે અવસ્થાઓમાં આત્માનું ભાવથી પરિણમન થાય છે. આત્માનું પોતાની છે તે વિશુદ્ધ અવસ્થાઓમાં પરિણમન બાહ્યભાવો સાથેની અહંતા-મમતાનો નાશ કરે છે અને આંતર્ભાવો સાથેની અહંતા અને મમતાના ભાવને પેદા કરે છે. વસ્તુતઃ નમસ્કાર એ અહંતા-મમતાનો નાશક અને નિર્મમતા નિરહંતા અને સમતાનો ઉત્પાદક છે. સમતા સમાધિસ્વરૂપ છે અને બાહ્ય વિષયોની મમતા સંકલેશસ્વરૂપ છે. સંકલેશને ટાળી સમાધિને સાધી આપનાર નમસ્કાર સર્વ અવસ્થાઓમાં કર્તવ્ય છે. પ્રથમ ગુણસ્થાનકે નમસ્કાર મિથ્યાત્વનો નાશ કરે છે, ચોથે ગુણસ્થાનકે કરેલો નમસ્કાર અવિરતિનો નાશ કરે છે અને છેદે ગુણસ્થાનકે કરેલો નમસ્કાર પ્રમાદનો નાશક બને છે. ઉપરના ગુણસ્થાનકોએ તે નમસ્કાર સ્વભાવપરિણમનરૂપ બની અસંગભાવ લાવે છે. કહ્યું છે કે :“જેહ ધ્યાન અરિહંત કો, તેથી જ આતમ ધ્યાન; ફેર કછુ ઈસમેં નહિ, એહી જ પરમ નિધાન. (૧)” જ્ઞાન, ધ્યાન અને સમતા પર્યાયમાં અનુસ્મૃત દ્રવ્ય છે, દ્રવ્યમાં પ્રધાનતા ગુણની છે અને ગુણમાં પ્રધાનતા જ્ઞાનની છે. જ્ઞાન કરતાં પણ શ્રેષ્ઠ આનંદ છે. અનુપ્રેક્ષાકિરણ ૨ ૨૭૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy