SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ બાળક જેમ જેમ મોટું થતું જાય છે તેમ તેમ વધુમાં વધુ આપત્તિમાં આવી પડે છે. તે રીતે મોક્ષમાર્ગમાં પણ અજ્ઞાન સન્તવ્ય છે, કિન્તુ તેનો અભિનિવેશ અક્ષત્તવ્ય છે. “નમો મંત્ર તે અભિનિવેશને ટાળી દે છે. “નમો મંત્ર નમ્રતાને વિકસાવે છે. “નમો મંત્ર દ્વારા જ્ઞાનીઓની પરાધીનતાનો સ્વીકાર કરવામાં આવે છે. નમ્રતા અને આધીનતા જ્ઞાનથી અજ્ઞાન ટળે છે એ વાત સાચી છે તોપણ અધૂરું જ્ઞાન જ્યાં સુધી છે ત્યાં સુધી તેનો પણ અહંકાર થવાનો સંભવ છે. આથી જ્ઞાન જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી નમ્રતા પરમ આવશ્યક છે. “નમો મંત્ર સ્વલઘુભાવ સદા ટકાવી રાખે છે અને એ લઘુભાવના પ્રભાવે જીવ પૂર્ણદશાને પામી શકે છે. જ્ઞાન જ્યાં સુધી અપૂર્ણ છે ત્યાં સુધી પૂર્ણજ્ઞાનીની પરાધીનતા જીવને આગળ વધવામાં સહાયકારી બની શકે છે. જ્ઞાની પ્રત્યે નમ્રતા અને જ્ઞાનીની આજ્ઞા પ્રત્યે પરાધીનતા એ છદ્મસ્થમાત્રનો પ્રથમધર્મ છે. જેને નમવામાં આવે તેની ઉચ્ચતાનો અને સ્વજાતની લઘુતાનો ભાવ કાયમ ટકાવી રાખવા માટે યોગ્યને નમવાની પરમ આવશ્યકતા છે. વારંવારનો એ નમસ્કાર નમ્રતા અને યોગ્યની પરાધીનતાને પુષ્ટ કરે છે. જેના પ્રત્યે આપણે નમ્ર અને આધીન બનીએ છીએ તે આપણા હિત માટે શું કહે છે તે જાણવાની પ્રથમ જિજ્ઞાસા થાય છે અને પછી તેમની હિતકારી આજ્ઞાને જીવનમાં જીવવાનું બળ પ્રાપ્ત થાય છે. નમસ્કાર એ સર્વ ધર્મનું મૂળ જે બાળક પોતાના વડીલો પ્રત્યે નમ્ર અને પરાધીનવૃત્તિવાળો હોય છે, તે તેઓના આદેશોને અનુસરી શકે છે અને પોતાનો વિકાસ સાધી શકે છે. એ માટે નમસ્કાર એ વિકાસનું પરમ સાધન છે. નાનપણથી બાળકને માતા પિતાદિને પ્રણામાદિ કરવાનું શીખવવામાં આવ્યું હોય છે તો તેથી તેના મન ઉપર તેઓ પ્રત્યે પૂજ્યતાનો ભાવ ટકી રહે છે. આ રીતે લોકમાં કે લોકોત્તરમાં નમસ્કાર એ સર્વ પ્રથમધર્મ છે. જ્યાં સુધી પૂર્ણજ્ઞાની ન બનાય ત્યાં સુધી પૂર્ણજ્ઞાનીને અને તેઓના સ્વરૂપને તથા ઉપદેશને સમજાવનાર અધિકજ્ઞાની એવા ગુર્નાદિના આશ્રયે રહેવું જ જોઈએ અને એ માટે વારંવાર નમસ્કારનો આશ્રય લેવો જ પડે. વારંવારનો એ નમસ્કાર મન ઉપર દેવગુરુની આધીનતા અને આશ્રિતતાનો ભાવ સદા જાગૃત રાખે છે અને તેઓના હિતોપદેશ પ્રત્યે આદરબહુમાનનો ભાવ ટકાવી રાખે છે. આથી નમસ્કારને સૌથી પ્રથમધર્મ કહેવાય છે અને બીજા સર્વધર્મોનું પણ તે મૂળ છે એમ સ્પષ્ટપણે સમજી શકાય છે. મંત્રના અનેક અર્થ નમસ્કાર એ મંત્ર છે, મંત્રના અનેક અર્થ છે. મંત્ર એટલે ગુહ્ય ભાષણ (Silent Talk). મંત્ર એટલે આમંત્રણ-જેને નમવામાં આવે છે, તેને હૃદયપ્રદેશમાં પધારવા માટેનું આમંત્રણ (Invitation). મંત્ર એટલે મનનું રક્ષણ મંત્રના વર્ગો વડે મનનું સંકલ્પ વિકલ્પથી રક્ષણ થાય છે. મંત્ર એટલે વિશિષ્ટમનન અને તે વડે થતું જીવનું રક્ષણ. વિશિષ્ટમનન સમ્યજ્ઞાનનું સાધન બને છે અને તે સમ્યજ્ઞાન શુભ ભાવ જગાડી જીવનું રક્ષણ કરે છે અનુપ્રેક્ષાકિરણ ૨ છે ૨૭૩ NS ૨૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy