________________
શબ્દબ્રહદ્વારા પરબ્રહ્મની ઉપાસના
શ્રી નમસ્કારમંત્ર જ્ઞાયકભાવને નમવાનું શીખવે છે. શાકભાવ એ આત્માનો સ્વભાવ છે. રાગ-દ્વેષાદિ ભાવો એ વિભાવ છે. વિભાવ તરફ ઢળી રહેલા આત્માને સ્વભાવ તરફ વાળવો એ નમસ્કારમંત્રનું કાર્ય છે.
‘ર્દિ એ વર્ણમાળાનું, શબ્દબ્રહ્મનું સંક્ષિપ્ત સ્વરૂપ છે. શબ્દબ્રહ્મ પરબ્રહ્મનું વાચક છે અને પરબ્રહ્મ શુદ્ધ જ્ઞાનસ્વરૂપ છે કે જેમાં માત્ર જ્ઞાન રહેલું છે અને જ્ઞાન સિવાય બીજા કોઈ ભાવો રહેલા નથી.
તે શુદ્ધ પરબ્રહ્મ સ્વરૂપ ઉપાસ્ય છે, પૂજ્ય છે અને આરાધ્ય છે. તે સિવાયનું બીજું સ્વરૂપ અનુપાય, અપૂજ્ય અને અસેવ્ય છે; આ જૈન સિદ્ધાન્ત છે.
સેવ્યતાનું અવચ્છેદક વીતરાગત્યાદિ ગુણવત્ત્વ છે. વીતરાગત્વ સર્વજ્ઞત્વની સાથે વ્યાપ્ત છે, તેથી વીતરાગ અને સર્વજ્ઞ એવું નિર્દોષ કેવલજ્ઞાનસ્વરૂપ અને તેની ઉપાસના જ પરમપદની પ્રાપ્તિનું બીજ છે. કૃતજ્ઞતા અને સ્વતંત્રતા
“નનો એ કૃતજ્ઞાનો મંત્ર છે અને “નો એ સ્વતંત્રતાનો મંત્ર પણ છે. કૃતજ્ઞતા-ગુણ એ વ્યવહારધર્મને પાયો છે અને સ્વતંત્રતા-ગુણ એ નિશ્ચયધર્મનું મૂળ છે.
આત્મદ્રવ્ય અનાદિ કર્મસંબંદ્ધ હોવા છતાં કર્મદ્રવ્ય અને આત્મદ્રવ્ય કથંચિત ભિન્ન છે. આત્મા અને અનો સંયોગસંબંધ છે અને તે વિયોગના અંતવાળો છે. કર્મના સંબંધને આદિ અને અંત છે. આત્મદ્રવ્ય-અનાદિ અનંત છે.
આત્મદ્રવ્યની સ્વતંત્રતા અનુભવીને જગત સમક્ષ તેને બતાવનાર શ્રી તીર્થંકરભગવંતો અનંત ઉપકારી છે.
તેઓના ઉપકારને હૃદયમાં ધારણ કરી તેઓ પ્રત્યે નિત્ય આભારની લાગણીવાળા રહેવું અને એ ઉપકારનો બદલો વાળવાની પોતાની અશક્તિને નિરંતર કબૂલ રાખવી, તે વ્યવહાર-ધર્મનું મૂળ છે અને તે જ નિશ્ચયધર્મ પામવાની સાચી યોગ્યતા છે.
નમો મંત્રની ઉપાસના એ કૃતજ્ઞતા ગુણના પાલન દ્વારા સ્વતંત્રતા તરફ લઈ જનારી સિદ્ધ પ્રક્રિયા છે. તેથી ‘નો મંત્રને સેતુની ઉપમા પણ ઘટે છે.
શ્રી નમસ્કારમંત્ર ભવસાગર તરવા માટે અને મોક્ષનગરમાં પહોંચવા માટે સેતુની ગરજ સારે છે, અર્થાત્ તે વ્યક્તમાંથી અવ્યક્તમાં લઈ જાય છે.
પ્રકૃતિથી પરામ્ખ બનાવી પુરુષની સન્મુખ દોરી જાય છે. તેથી તે દીપ-દીપ છે, ત્રાણ-શરણ છે, ગતિ અને આધાર છે.
નનો મંત્ર અનુક્રમે દુષ્કૃતની ગહ કરાવનાર હોવાથી દીપ, તપ અને ત્રાણ છે, સુકૃતાનુમોદના કરાવનાર હોવાથી ગતિ અને પ્રતિષ્ઠારૂપ છે તથા સુકૃતથી અને દુષ્કતથી પર એવા વિશુદ્ધ આત્મતત્ત્વની અભિમુખ લઈ જનાર હોવાથી પરમ શરણગમનરૂપ પણ છે.
એ રીતે “નમો’ મંત્ર ભવ્ય જીવોને પરમઆલંબનરૂપ અને પરમઆધારરૂપ બનીને ભવદુઃખનો વિચ્છેદ તથા શિવસુખની પ્રાપ્તિ કરાવવામાં સહાયક થાય છે.
નો મંત્ર બીજી રીતે ઘૂળમાંથી સૂમમાં જવાનો મંત્ર છે. સૂક્ષ્મમાંથી સૂક્ષ્મતરમાં અને સૂક્ષ્મતરમાંથી સૂક્ષ્મતમમાં જવા માટેની પ્રેરણા પણ નમો” મંત્રમાંથી મળે છે.
અણુથી પણ અણુ અને મહાનથી પણ મહાન એવા આત્મતત્ત્વની પ્રાપ્તિ અર્થાત્ “મોરયા અને મહતમારીયાનું' બંને વિશેષણોવાળા એવા પરમપદની સિદ્ધિ “નમો' મંત્ર વડે થાય છે.
IN ૨૭૦
૨૭૦
રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org