SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ અનુપ્રેક્ષાકિરણ ૨ પ્રભુઆજ્ઞાનું સ્વરૂપ "आस्त्रवो भवहेतुः स्यात्, संवरो मोक्षकारणम् । इतीयमार्हतीमुष्टि-रन्यदस्याः प्रपञ्चनम् ॥" અર્થ- “આશ્રવ સર્વથા હેય છે અને સંવર ઉપાદેય છે. આશ્રવ ભવનો હેતુ છે અને સંવર મોક્ષનું કારણ છે. શ્રી અરિહંત પરમાત્માની આજ્ઞાનું સંક્ષેપમાં આ પરમ રહસ્ય છે, બીજો બધો આનો જ વિસ્તાર છે.' મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ પાંચ આશ્રવ છે. સમ્યકત્વ, વિરતિ, અપ્રમાદ, અકષાય અને અયોગ એ પાંચ સંવર છે. શ્રી પંચમંગલમહાગ્રુતસ્કંધમાં નમસ્કારની પાંચ વસ્તુઓ છે. શ્રી અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ પાંચેયમાં આશ્રવનો અભાવ છે અને એ પાંચેય સંવરથી ભરેલા છે. તે પાંચેયને નમસ્કાર તે પાંચેયમાં રહેલા સંવરને જ નમસ્કાર છે. સંવરનું સેવન તે પ્રભુની આજ્ઞા છે. આથી પાંચેયના નમસ્કારમાં આજ્ઞાને જ નમસ્કાર છે. વળી નમસ્કારની પાંચેય વસ્તુઓ આશ્રવથી રહિત છે, જેથી તે પાંચેયને નમસ્કારમાં આશ્રવના ત્યાગને નમસ્કાર છે. આશ્રવનો ત્યાગ એ પ્રભુની આજ્ઞા છે, જેથી પાંચેયના નમસ્કારમાં સંવરનું બહુમાન છે અને આશ્રવની ગહ છે. પરમેષ્ઠિનમસ્કાર વડે સુકૃતની અનુમોદના થાય છે અને દુષ્કૃતની ગહ થાય છે. સુક્તની અનુમોદના વડે શુભનો-કુશળનો અનુબંધ પડે છે અને દુષ્કતગ વડે અશુભ-અકુશળના અનુબંધનો વિચ્છેદ થાય છે. પરમેષ્ઠિ-નમસ્કારમાં પરમાત્માની આજ્ઞાનું બહુમાન થાય છે, જેથી આજ્ઞાપાલનનો અધ્યવસાય તીવ્ર બને છે તથા આજ્ઞાની વિરાધનાનો અધ્યવસાય નિરનુબંધ બને છે. આજ્ઞાનું સામ્રાજ્ય પરમેષ્ઠિનમસ્કાર પ્રભુની આજ્ઞા સાથે અનુકૂળ સંબંધ કરાવે છે. પ્રભુની આજ્ઞાનું સામ્રાજ્ય ત્રણ ભુવનમાં પ્રવર્તે છે. સમગ્રવિશ્વનું પ્રવર્તન આજ્ઞાને આધીન છે. આજ્ઞાનો વિરાધક શિક્ષાને પાત્ર બને છે અને પ્રભુની આજ્ઞાનો આરાધક ઉન્નતિને પામે છે. આજ્ઞાને શરણે રહેલો નિર્ભય બને છે. આજ્ઞા જ દીવો છે, આજ્ઞા જ ત્રાણ છે, આજ્ઞા જ શરણ છે, આજ્ઞા જ ગતિ છે અને આજ્ઞા જ દુર્ગતિમાં પડતા જીવોને આલંબન છે. પરમેષ્ઠિનમસ્કારમાં આશા, આજ્ઞાપાલક અને આજ્ઞાકારરને નમસ્કાર હોવાથી તે નમસ્કાર ભવ્ય જીવોને દીપકની જેમ પ્રકાશ આપે છે. અથવા ભવસમુદ્રમાં દ્વીપની જેમ આધાર આપે છે. પરમેષ્ઠિનમસ્કાર અનર્થ અને અનિષ્ટનો ઘાત કરે છે. વળી તે ભવભયથી પીડિતને શરણ આપે છે, દુઃખ-દારિયથી બચવાનો માર્ગ બતાવે છે અને વિકૃપમાં પડતા જીવોને આલંબનભૂત થાય છે. પ્રભુની આજ્ઞામાં જેટલા ગુણો છે તે બધા ગુણોને પામવાનો અધિકારી પરમેષ્ઠિનમસ્કાર કરનાર બને છે. જેથી પરમેષ્ઠિનમસ્કાર એ સારની પોટલી છે, રત્નની પેટી છે, ઢાકેલું નિધાન છે, ધર્મરૂપી કાંચનનો કરંડિયો છે અને મુક્તિના મુસાફર એવા ભવ્ય આત્માઓને દેવાધિદેવનું પરમ ભેટયું છે. અનપેક્ષાકિરણ ૨ ૨ ૬૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy