SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ અને સુકૃતાનુમોદનની હયાતીમાં તેની સિદ્ધિ થાય છે. એથી વીતરાગતાના શરણે જવાની વૃત્તિ જાગે છે. વીતરાગતા એ જ શ્રદ્ધેય, ધ્યેય અને શરણ્ય લાગે છે. પછી વીતરાગતા અચિજ્યશક્તિયુક્ત છે તેનો અનુભવ થાય રાગ-દ્વેષરહિત વીતરાગ અવસ્થા અચિત્યશક્તિયુક્ત છે. તેનાથી વિમુખ રહેનારનો નિગ્રહ અને તેની સમ્મુખ થનારનો તે અનુગ્રહ કરે છે. લોકાલોકપ્રકાશક કેવળજ્ઞાન અને કેવળદર્શન કે જે આત્માનું સહજ સ્વરૂપ છે, તે વીતરાગ અવસ્થામાં જ પ્રકાશી ઊઠે છે, અન્ય અવસ્થામાં તે વિદ્યમાન હોવા છતાં અપ્રગટ રહે છે. કેવળજ્ઞાન-કેવળદર્શન વડે લોકાલોકના ભાવ હસ્તામલકવત પ્રતિભાસે છે. સર્વ દ્રવ્યોના ત્રિકાલવર્તી સર્વપર્યાયોનું તે ગ્રહણ કરે છે, સમયે સમયે જ્ઞાન વડે સર્વને જાણે છે અને દર્શન વડે સર્વને જુએ છે. વીતરાગતાના શરણે રહેનારને તેમનાં જ્ઞાનદર્શનનો લાભ મળે છે. એ જ્ઞાનદર્શન વડે પ્રતિભાસિત સર્વ પદાર્થોના સર્વ પર્યાયાદિની ક્રમબદ્ધતા નિશ્ચિત થાય છે. તેથી જગતમાં બની ગયેલા. બની રહેલા અને ભવિષ્યમાં બનનારા સારા નરસા બનાવોમાં રાગ-દ્વેષ અને હર્ષ-શોકની કલ્પનાઓ નાશ પામે છે. શરણગમન વડે ચિત્તનું સમત્વ સમગ્ર વિશ્વતંત્ર પ્રભુના જ્ઞાનમાં ભાસે છે અને તે જ રીતે પ્રવર્તિત થાય છે. તેથી પ્રભુને આધીન રહેનારને વિશ્વની પરાધીનતા મટી જાય છે. વિશ્વને આધીન પ્રભુ નથી પણ પ્રભુના જ્ઞાનને આધીન વિશ્વ છે, એવી પ્રતીતિ થાય છે અને તેથી ચિત્તનું સમત્વ અખંડપણે જળવાઈ રહે છે. સમત્વ જળવાઈ રહેવાથી આત્મા અખંડ સંવર ભાવમાં રહે છે. નવાં આવતાં કર્મ રોકાઈ જાય છે અને જૂનાં કર્મ ભોગવાઈ જાય છે. તેથી કર્મ રહિત થઈ આત્મા અવ્યાબાધ સુખનો ભોક્તા થાય છે. અરિહંતાદિ ચારના શરણનો આ અચિજ્ય પ્રભાવ છે. અરિહંત અને સિદ્ધનું વીતરાગ સ્વરૂપ છે, સાધુનું નિર્ઝન્થસ્વરૂપ છે અને કેવલિકથિત ધર્મનું દયામય સ્વરૂપ છે. ધર્મ એ ધ્રુવ છે, નિત્ય છે, અનંત અને સનાતન છે, તેનું પ્રધાન લક્ષણ દયા છે. દયામાં પોતાના દુઃખના દ્વેષ જેટલો જ વેષ બીજાનાં દુઃખો પ્રત્યે પણ જાગે છે. પોતાના સુખની ઈચ્છા જેટલી જ ઈચ્છા બીજાનાં સુખો પ્રત્યે પણ ઉત્પન્ન થાય છે. એ ઇચ્છા રાગાત્મક હોવા છતાં પરિણામે રાગને નિર્મૂળ કરનારી છે. દયામાં બીજા બધાનાં દુઃખો પ્રત્યે પોતાના દુઃખ જેટલો જ ષ છે છતાં તે દ્વેષ અંતે ષવૃત્તિને જ નિર્મૂળ કરે છે. કાંટાથી જ કાંટો નીકળે છે, અગ્નિથી અગ્નિ શમે છે, તથા વિષથી વિષ નાશ પામે છે. એ ન્યાયે રાગ-દ્વેષની વૃત્તિરૂપી કાંટાને કાઢવા માટે સર્વ જીવોનાં સુખનો રાગ અને સર્વ જીવોનાં દુઃખનો દ્વેષ અન્ય કાંટાનું કામ કરે છે. અપ્રશસ્ત કોટિના રાગ-દ્વેષ રૂપી વિષને શમાવવા માટે બીજા વિશ્વનું કામ કરે છે. સ્વજાતના સુખવિષયક રાગ અને સ્વાતના દુઃખવિષયક દ્વેષરૂપી આર્તધ્યાનની અગ્નિને બુઝાવવા માટે સર્વ જીવોનાં સુખની અભિલાષારૂપી રાગ અને સર્વ દુઃખી જીવોનાં દુઃખ પ્રત્યેનો દ્વેષ, ધર્મધ્યાનરૂપી અગ્નિની ગરજ સારે છે. ધર્મવૃક્ષના મૂળમાં દયા છે તેથી ધર્મવૃક્ષના ફળમાં પણ દયા જ પ્રકટે છે દયાલક્ષણ ધર્મ એ રીતે અપ્રશસ્ત રાગ-દ્વેષનું શલ્ય દૂર કરવામાં સાધનરૂપ બની, જીવને સદા માટે રાગ દ્વેષ રહિત વીતરાગ અવસ્થા પમાડનાર થાય છે. વીતરાગ અવસ્થા અવશ્ય સર્વજ્ઞતા અને સર્વદર્શિતાને અપાવનારી હોવાથી દયા પ્રધાન ધર્મ, સર્વજ્ઞતા રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy