________________
'मणसा गुणपरिणामो वाया गुणभासणं च पंचण्हं । कायेण संपणामो, एस पयत्थो नमुक्कारो ॥'
મનથી પંચપરમેષ્ઠિના ગુણોનું પરિણમન, વાણીથી પંચપરમેષ્ઠિના ગુણોનું ભાષણ તથા કાયાથી પંચપરમેષ્ઠિભગવંતોને સમ્યપ્રણામ કરવો તે નમસ્કારપદનો અર્થ છે.
“નમો’ પદ વડે મનમાં ગુણોનું પરિણમન થાય છે, “અરિહં' પદ વડે ગુણોનું ભાષણ થાય છે અને તાણે પદ વડે કાયાનું પરિણમન થાય છે. અથવા ત્રણેય પદો મળીને પરમેષ્ઠિભગવંતોના ગુણોનું પરિણમન, ભાષણ અને પ્રણમન કરાવે છે. તેથી મન, વચન અને કાયાના ત્રણેય યોગોનું સાર્થક્ય થાય છે. ભવ્યત્વપરિપાકના ત્રણ ઉપાય અને છ પ્રકારનો અત્યંતર તપ
નવકારના પ્રથમ પદના જાપ અને ધ્યાન વડે ભવ્યત્વપરિપાકના ત્રણેય ઉપાયો અનુક્રમે દુષ્કતગઈ, સુકૃતાનુમોદન અને શરણગમન એકીસાથે સધાય છે અને અત્યંતર તપના છએ પ્રકારો અનુક્રમે પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને કાયોત્સર્ગનું સેવન પણ એકસાથે થાય છે.
નમો પદ દુષ્કૃતની ગહ કરાવે છે, “અરિહં પદ સુકૃતની અનુમોદના કરાવે છે અને “તાણં' પદ શરણગમનની ક્રિયા કરાવે છે.
એ જ રીતે “નમો’ પદ વડે પાપનું પ્રાયશ્ચિત્ત અને ગુણોનો વિનય થાય છે. “અરિહં' પદ વડે ભાવથી વેયાવચ્ચ અને સ્વાધ્યાય થાય છે અને તાણં' પદ વડે પરમાત્માનું ધ્યાન અને દેહાત્મભાવનું વિસર્જન થાય છે.
દુષ્કૃતગહદિ વડે જીવની મુક્તિગમયોગ્યતા પરિપક્વ થાય છે તથા પ્રાયશ્ચિત્ત વિનયાદિ તપ વડે ક્લિષ્ટકર્મોનો વિગમ અને ભાવનિર્જરા થાય છે. સમાપતિ, આપત્તિ અને સંપત્તિ
નવકારના પ્રથમપદમાં ધ્યાતા, ધ્યેય અને ધ્યાન તથા તે ત્રણેયની એકતારૂપ સમાપત્તિ સધાય છે, તેથી તીર્થંકર નામકર્મના ઉપાર્જનરૂપ આપત્તિ અને તેના વિપાકોદયરૂપ સંપત્તિની પણ પ્રાપ્તિ થાય છે.
નમો ધ્યાતાની, “અરિહં' બેયની અને ‘તાણં' ધ્યાનની શુદ્ધિ સૂચવે છે. એ ત્રણેયની શુદ્ધિ વડે ત્રણેયની એકતારૂપ સમાપત્તિ અને તેના પરિણામે આપત્તિ અર્થાત્ તીર્થંકર નામકર્મનું ઉપાર્જન તથા બાહ્યાંતર સંપત્તિ પ્રાપ્ત થાય છે.
જ્ઞાનસાર' ગ્રન્થના ધ્યાનાષ્ટકમાં કહ્યું છે કે:ध्याता ध्येयं तथा ध्यानं, त्रयं यस्यैकतां गतम् । मुनेरनन्यचित्तस्य, तस्य दुःखं न विद्यते ॥१॥ ध्याताऽन्तरात्मा ध्येयस्तु, परमात्मा प्रकीर्तितः । ध्यानं चैकाव्यसंवित्तिः, समापत्तिस्तदेकता ॥२॥ आपत्तिश्च ततःपुण्यतीर्थकृत् -कर्मबन्धतः । तद्धावाभिमुखत्वेन, संपत्तिश्च कमाद् भवेत् ॥३॥ इत्थं ध्यानफलायुक्तं विंशतिस्थानकायपि । कष्टमात्रं त्वभव्यानामपि नो दुर्लभं भवे ॥४॥
ધ્યાનનું ફળ સમાપત્તિ, આપત્તિ (તીર્થંકર નામકર્મનું ઉપાર્જન) અને સંપત્તિ (તીર્થકર નામકર્મનો વિપાકોદય)રૂપ હોવાથી વિંશતિસ્થાનકતપ આદિનું આરાધન સફળ માન્યું છે. જેને તે ફળ થતું નથી તે (અભવ્યોનું) આરાધન કષ્ટમાત્ર ફળવાળું છે અને તે તો આ ભવચક્રમાં અભવ્યોને પણ દુર્લભ નથી.
નવકારના પ્રથમપદનું ભાવથી થતું આરાધન આ રીતે સમાપતિ આદિ ભેદ વડે સફળ થતું હોવાથી અત્યંત ઉપાદેય છે. ધર્મધ્યાન અને શુક્લધ્યાના
શાસ્ત્રોમાં આજ્ઞાવિચય, અપાયરિચય, વિપાકવિચય અને સંસ્થાનવિચયાદિ ચાર પ્રકારનું ધર્મધ્યાન કહ્યું છે. તે ધર્મધ્યાન નવકારના પ્રથમપદના “નમો પદની અર્થભાવના વડે સાધી શકાય છે.
રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ પS
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org