SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યક્તિનિષ્ઠ અહં મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્રથી યુક્ત છે. તે જ અહં જ્યારે સમષ્ટિનિષ્ઠ બને છે ત્યારે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રયુક્ત બને છે. વ્યવહા૨થી સંસારી જીવમાત્ર કર્મબદ્ધ છે અને તે કા૨ણે જન્મ-મરણ કર્યા કરે છે. નિશ્ચયનયથી જીવમાત્ર અનંતચતુષ્ટયવાન છે, અષ્ટકર્મથી ભિન્ન છે એવી શ્રદ્ધા, જ્ઞાન અને તદનુરૂપ વર્તન થાય છે ત્યારે અહં પોતે જ અર્હરૂપ બની જન્મ મરણરૂપ ચાર ગતિનો અંત કરે છે. નવકારના પ્રથમપદનું આરાધન, ચિંતન અને મનન જીવને મિથ્યારત્નત્રયથી મુક્ત કરી સમ્યગ્રત્નત્રયથી યુક્ત કરે છે અને પરિણામે અનંતચતુષ્ટયથી યુક્ત કરી ગતિચતુષ્ટયથી મુક્ત બનાવે છે. શૂન્યતા પૂર્ણતા અને એકતાનું બોધક નવકારનું પ્રથમપદ પરરૂપેણ નાસ્તિત્વરૂપ શૂન્યતાનું બોધક છે, સ્વરૂપેણ અસ્તિત્વરૂપ પૂર્ણતાનું બોધક છે અને ઉભયરૂપે યુગપદ્ અવાચ્યત્વરૂપ સ્વસંવેદ્યત્વનું બોધક છે. તેથી શૂન્યતા, પૂર્ણતા અને એકતાની ભાવના કરાવી જીવને ભક્તિ, વૈરાગ્ય અને જ્ઞાનથી પરિપૂર્ણ બનાવે છે. પૂર્ણતાનો બોધ ભક્તિપ્રે૨ક છે, શૂન્યતાનો બોધ વૈરાગ્ય પ્રેરક છે અને એકતાનો બોધ તત્ત્વજ્ઞાનનો પ્રેરક છે. ચતુર્થગુણસ્થાનકે ભક્તિની પ્રધાનતા, છઠ્ઠા ગુણસ્થાનકે વૈરાગ્યની પ્રધાનતા અને તે ઉપરના ગુણસ્થાનકોએ તત્ત્વજ્ઞાનની મુખ્યતા માનેલી છે. પ્રથમપદ આ રીતે સર્વ ગુણસ્થાનકોને યોગ્ય સાધનાની સામગ્રી પૂરી પાડે છે તેથી તેને સિદ્ધાંતના સારરૂપ કહેલ છે. ઈચ્છાયોગ, શાસ્ત્રયોગ અને સામર્થ્યયોગ નવકારના પ્રથમપદમાં ઈચ્છાયોગ, શાસ્ત્રયોગ અને સામર્થ્યયોગ એ ત્રણે પ્રકારના યોગનો સમાવેશ થયેલો છે. ‘નમો' પદ ઈચ્છાયોગનું પ્રતીક છે, ‘અરિહં’ પદ શાસ્ત્રયોગનું પ્રતીક છે અને ‘તાણું’ પદ સામર્થ્યયોગનું પ્રતીક છે. ઈચ્છાયોગ પ્રમાદી એવા જ્ઞાનીની વિકલ્પ-અપૂર્ણ ક્રિયા છે, શાસ્ત્રયોગ અપ્રમાદી એવા જ્ઞાનીની અવિકલ ક્રિયા છે અને સામર્થ્યયોગ એ એથી પણ વિશેષ અપ્રમત્તભાવને ધારણ કરનારની શાસ્ત્રાતિક્રાન્ત પ્રવૃત્તિ છે. ‘નમો’ પદ શાસ્ત્રોક્ત ક્રિયાની ઈચ્છા દર્શાવે છે તેથી પ્રાર્થનાસ્વરૂપ છે. ‘અરિહં’ પદ શાસ્ત્રોક્ત ક્રિયાનું સ્વરૂપ બતાવે છે તેથી સ્તુતિસ્વરૂપ છે અને ‘તાણં' પદ શાસ્ત્રોક્ત માર્ગે ચાલીને તેનું પૂર્ણ ફળ બતાવે છે તેથી ઉપાસનાસ્વરૂપ છે. નવકારના પ્રથમપદમાં આ રીતે સદનુષ્ઠાનની પ્રાર્થનારૂપ ઈચ્છાયોગ, સદનુષ્ઠાનની સ્તુતિરૂપ શાસ્ત્રયોગ અને સદનુષ્ઠાનની ઉપાસનારૂપ સામર્થ્યયોગ ગૂંથાયેલો હોવાથી ત્રણેય પ્રકા૨ના યોગીઓને ઉત્તમ આલંબન પૂરું પાડે છે. ઈચ્છાયોગથી યોગાવંચકતાની પ્રાપ્તિ, શાસ્ત્રયોગથી ક્રિયાવંચકતાની પ્રાપ્તિ અને સામર્થ્યયોગથી ફલાવંચકતાની પ્રાપ્તિ થાય છે. ત્રણેય પ્રકારના અવંચક યોગ પ્રથમપદના આરાધકને અનુક્રમે પ્રાપ્ત થાય છે. કારણમાં કાર્યનો ઉપચાર કરીને પ્રથમપદની આરાધનાને અહીં ઈચ્છાયોગ, શાસ્ત્રયોગ અને સામર્થ્યયોગનાં નામ ઘટે છે અને તેના ફલરૂપે સદ્ગુરુની પ્રાપ્તિરૂપી યોગાવંચકતા, તેમની આજ્ઞાના પાલનરૂપી ક્રિયાવંચકતા અને તેના ફલ સ્વરૂપ પરમ પદની પ્રાપ્તિરૂપી ફલાવંચકતા પણ ઘટે છે. હેતુ, સ્વરૂપ અને અનુબંધથી શુદ્ધ લક્ષણવાળું ઘર્માનુષ્ઠાન ધર્મનો હેતુ સદનુષ્ઠાનનું સેવન છે, ધર્મનું સ્વરૂપ પરિણામની વિશુદ્ધિ છે અને આ લોક-પરલોકનાં સુખદાયક ફળો તથા મુક્તિ ન મળે ત્યાં સુધી પુનઃ પુનઃ સદ્ધર્મની પ્રાપ્તિરૂપ અનુબંધ એ ધર્મનું ફળ છે. એ ત્રણેય અનુપ્રેક્ષાકિરણ ૧ Jain Education International For Private & Personal Use Only ૨૫૧ www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy