________________
શુભ મનોયોગથી વાત વિકાર જાય છે, શુભ વચનયોગથી પિત્તવિકાર જાય છે અને શુભ કાયયોગથી કફ વિકાર જાય છે. સમ્યજ્ઞાન વડે રાગદોષ જાય છે, સમ્યગ્દર્શનવડે દ્વેષદોષ જાય છે અને સમ્યક્યારિત્રવડે મોહદોષ જાય છે.
મનની શુદ્ધિ મુખ્યત્વે “નમો' પદ અને તેના અર્થની ભાવના વડે થાય છે. વચનની શુદ્ધિ અરિહં' પદ અને તેના અર્થની ભાવના વડે થાય છે. કાયાની શુદ્ધિ ‘તાણં' પદ અને તેના અર્થની ભાવના વડે થાય છે.
નમો પદ મંગલસૂચક છે, અરિહં પદ ઉત્તમત્તાનું સૂચક છે અને તાણં પદ શરણ અર્થને સૂચવે છે. મંગલ, ઉત્તમ અને શરણને જણાવનાર પ્રથમ પદની અર્થભાવના અનુક્રમે જ્ઞાન, દર્શન અને ચારિત્રની શુદ્ધિ કરે છે.
સાચું જ્ઞાન દુષ્કતવાન એવા પોતાના આત્માની ગઈ કરાવે છે, સાચું દર્શન સુકૃતવાન એવા અરિહંતાદિની સ્તુતિ કરાવે છે અને સાચું ચારિત્ર આજ્ઞાપાલનના ભાવનો વિકાસ કરે છે. દુષ્કૃત પ્રત્યેનો રાગ, સુકૃત પ્રત્યેનો દ્વેષ અને આજ્ઞાપાલન પ્રત્યેનો પ્રસાદ સમ્યજ્ઞાન, દર્શન અને ચારિત્ર ગુણના વિકાસથી નાશ પામે છે અને એ ત્રણે ગુણોનો વિકાસ પ્રથમપદની અર્થભાવનાપૂર્વક થતા તેના જાપ વડે સુસાધ્ય બને છે. નવકાર, ચૌદપૂર્વ અને અપ્રવચનમાતા મહામંત્રનો મુખ્ય વિષય યોગશાસ્ત્રમાં વર્ણવેલ લક્ષણોવાળી મનોગુપ્તિ છે. ત્યાં કહ્યું છે કે
विमुक्तकल्पनाजालं, समत्वे सुप्रतिष्ठितम् । आत्मारामं मनस्तज्जैर्मनोगुप्तिरूदाहृता ॥
આર્ત -રૌદ્રધ્યાનનો ત્યાગ, ધર્મધ્યાનમાં સ્થિરતા અને આત્મારામવાળું શુકલધ્યાન જેમાં હોય તેને જ્ઞાની પુરુષોએ મનોગુપ્તિ કહી છે.
નવકારમંત્રના જાપથી તે ત્રણે કાર્યો ઓછા વત્તા અંશે સિદ્ધ થતાં દેખાય છે. તેથી મનોગુપ્તિની જેમ નવકારને પણ ચૌદપૂર્વનો સાર કહ્યો છે.
ચૌદપૂર્વનો સાર જેમ નવકારમંત્ર છે, તેમ અષ્ટપ્રવચનમાતા પણ છે. અષ્ટપ્રવચનમાતામાં પણ મનોગુપ્તિ પ્રધાન છે. બાકીની ગુપ્તિ અને સમિતિઓ મનોગુપ્તિને સિદ્ધ કરવા માટે જ કહેલી છે. બીજી રીતે ચૌદપૂર્વનો અભ્યાસ કરીને પણ છેવટે અષ્ટપ્રવચનમાતાના પરિપૂર્ણ પાલન સ્વરૂપ પંચપરમેષ્ઠિપદને જ પ્રાપ્ત કરવાનું છે.
મહામંત્રનો જાપ અને ચિત્તવન પાંચેય પરમેષ્ઠિ ઉપર પ્રીતિ અને ભક્તિ જગાડે છે તથા એ સ્વરૂપ પામવાની તાલાવેલી ઉત્પન્ન કરે છે અને અંતે તે સ્વરૂપ પમાડીને વિરમે છે. તેથી નવકાર, ચૌદપૂર્વ અને અષ્ટપ્રવચનમાતા આ ત્રણેય એક જ કાર્યને સિદ્ધ કરનાર હોવાથી સમાનાર્થક, એક પ્રયોજનાત્મક અને પરસ્પર પૂરક બની જાય છે. તત્વચિ, તત્ત્વબોધ અને તરૂપરિણતિ
નવકારના પ્રથમપદની અર્થભાવના અનેક રીતે વિચારી શકાય છે.
નમો પદથી તત્ત્વરુચિ, અરિહં પદથી તત્ત્વબોધ અને તાણે પદથી તત્ત્વપરિણતિ લઈ શકાય છે. નમો પદ આત્મતત્ત્વની રુચિ જગાડે છે, અરિહં પદ શુદ્ધ આત્મતત્ત્વનો બોધ કરાવે છે અને તાણે પદ આત્મતત્ત્વની પરિણતિ ઊભી કરે છે. શ્રી વિમલનાથપ્રભુના સ્તવનમાં પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ ફરમાવે છે કે :
તત્ત્વપ્રીતિકર પાણી પાએ વિમલાલોકે આંજી જી,
લોયણગુરુ પરમાન દિએ તવ ભ્રમ નાંખે સવિ ભાંજી જી. પરમાત્માનું ધ્યાન તત્ત્વમીતિકર પાણી છે, તત્ત્વબોધકર નિર્મળ નેત્રોજન છે અને સર્વરોગહર પરમાન્નભોજન છે. નવકારના પ્રથમપદમાં થતું અરિહંતપરમાત્માનું ધ્યાન તે ત્રણેય કાર્યોને કરે છે. નમો પદથી મિથ્યાત્વનો ત્યાગ, અરિહંપદથી અજ્ઞાનનો ત્યાગ અને તાણે પદથી અવિરતિનો ત્યાગ થાય અનુપ્રેક્ષાકિરણ ૧
૨૪૯ NN
૨૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org