SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ દેહનું દ્રવ્યસ્વાસ્થ્ય અને આત્માનું ભાવસ્વાસ્થ્ય પંચમંગલમહાશ્રુતસ્કંધરૂપ હોવાથી સમ્યગ્ જ્ઞાનસ્વરૂપ છે. પંચપરમેષ્ઠિની સ્તુતિરૂપ હોવાથી સમ્યગ્દર્શનસ્વરૂપ છે. તથા સામાયિકની ક્રિયાના અંગરૂપ અને મન, વચન, કાયાની પ્રશસ્ત ક્રિયારૂપ હોવાથી કથંચિત્ ચારિત્રસ્વરૂપ પણ છે. જ્ઞાનમાં પ્રધાનતા મનની, સ્તુતિમાં પ્રધાનતા વચનની અને ક્રિયામાં પ્રધાનતા કાયાની રહેલી છે. આયુર્વેદ મુજબ વાત, પિત્ત અને કફની વિષમતા તે રોગ અને સમાનતા તે આરોગ્ય છે. જ્યાં મન ત્યાં પ્રાણ અને જ્યાં પ્રાણ ત્યાં મન, એ ન્યાયે સમ્યજ્ઞાન, વાત વૈષમ્યને શમાવે છે. જ્યાં દર્શન, સ્તવન, ભક્તિ આદિ હોય ત્યાં મધુર પરિણામ હોય છે અને તે પિત્ત પ્રકોપને શમાવે છે. જ્યાં કાયાની સમ્યક્રિયા ત્યાં ગતિ છે અને જ્યાં ગતિ ત્યાં ઉષ્ણતા હોય જ. ઉષ્ણતા કફના પ્રકોપને શમાવે છે. એ રીતે શ્રી પંચમંગલમાં શરીરનું અસ્વાસ્થ્ય નિપજાવનાર ત્રિદોષને શમાવવાની શક્તિ છે. બીજી રીતે વિચારતાં રાગ એ જ્ઞાનગુણનો ઘાતક છે, દ્વેષ એ દર્શનગુણનો ઘાતક છે અને મોહ એ ચારિત્રગુણનો ઘાતક છે. તેથી વિપરીત પંચમંગલમાં જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર છે તથા મનની, વચનની અને કાયાની પ્રશસ્ત ક્રિયા છે. તેથી પંચમંગલમાં દેહને દૂષિત કરનાર વાત, પિત્ત અને કફ દોષને શમાવવાની શક્તિ છે તેમ આત્માને દૂષિત ક૨ના૨ રાગ, દ્વેષ અને મોહને શમાવવાની પણ શક્તિ છે. વિકૃત જ્ઞાન એ રાગ છે, વિકૃત શ્રદ્ધા એ દ્વેષ અને વિકૃત વર્તન એ મોહ છે. રાગી દોષને જોતો નથી, દ્વેષી ગુણને જોતો નથી અને મોહી જાણવા છતાં ઊંધું વર્તન કરે છે. ગુણ અને દોષનું યથાર્થ જ્ઞાન ક૨વા માટે રાગ અને દ્વેષને જીતવા જોઈએ તથા યથાર્થ વર્તન કરવા મોહને જીતવો જોઈએ. જ્યાં જ્યાં વર્તનમાં દોષ જણાય ત્યાં ત્યાં જ્ઞાન દૂષિત જ હોય એવો નિયમ નથી. જ્ઞાન યથાર્થ હોવા છતાં વર્તન દૂષિત થવામાં કારણ પ્રમાદશીલતા, દુઃસંગ અને અનાદિ અસદભ્યાસ છે. તે કા૨ણે ૨ાગાદિ દોષોનો નિગ્રહ ક૨વા માટે એક બાજુ યથાર્થ જ્ઞાન અને બીજી બાજુ યથાર્થ વર્તનનો અભ્યાસ જરૂરી છે. જ્ઞાન મનમાં, સ્તુતિ-સ્તવ વચનમાં અને પ્રવૃત્તિ કાયા વડે થાય છે. કફ દોષ કાયાની ક્રિયા સાથે સંબંધ રાખે છે. પીત્તદોષ વચનની ક્રિયા સાથે સંબંધ રાખે છે અને વાતદોષ મનની ક્રિયા સાથે સંબંધ રાખે છે. રાગ, દ્વેષ અને મોહ એ ત્રણ દોષો પણ અનુક્રમે મન, વચન અને કાયાની ક્રિયા સાથે સંબંધ ધરાવે છે. રાગની અભિવ્યક્તિ મુખ્યત્વે મનમાં, દ્વેષની અભિવ્યક્તિ મુખ્યત્વે વચનમાં અને મોહની અભિવ્યક્તિ મુખ્યત્વે ક્રિયા દ્વારા થાય છે. પંચમંગલ જ્ઞાન-દર્શન-ચારિત્રસ્વરૂપ હોવાથી તથા તેમાં મન, વચન, અને કાયા ત્રણેયની પ્રશસ્ત ક્રિયા હોવાથી આત્માને દૂષિત કરનાર રાગ, દ્વેષ અને મોહ તથા શરીરને દૂષિત ક૨ના૨ વાત, પિત્ત અને કફનો નિગ્રહ ક૨વાની શક્તિ તેમાં રહેલી છે. તેથી શ્રી પંચમંગલનું આરાધન, આત્માનું ભાવસ્વાસ્થ્ય અને દેહનું દ્રવ્યસ્વાસ્થ્ય-ઉભયને આપવાની એક સાથે શક્તિ ધરાવે છે. પ્રથમપદનો અર્થ ભાવનાપૂર્વક જાપ સમગ્ર નવકા૨ની જેમ નવકા૨ના પ્રથમપદના જાપથી મન-વચન-કાયાના યોગો અને આત્માના જ્ઞાન-દર્શન-ચારિત્ર ગુણોની શુદ્ધિ થાય છે. દેહની ત્રણ ધાતુઓ વાત, પિત્ત અને કફ તથા આત્માના ત્રણ દોષો રાગ, દ્વેષ અને મોહ અનુક્રમે ત્રણ યોગની અને ત્રણ ગુણની શુદ્ધિ વડે દૂર થાય છે. ‘નમો’ પદ વડે મનોયોગ અને જ્ઞાનગુણની ‘અરિહં’ પદ વડે વચનયોગ અને દર્શનગુણની તથા ‘તાણું’ પદ વડે કાયયોગ અને ચારિત્રગુણની શુદ્ધિ થાય છે. ત્રણ યોગની શુદ્ધિ વડે વાત, પિત્ત અને કફના વિકારો તથા ત્રણ ગુણની શુદ્ધિ વડે રાગ, દ્વેષ અને મોહના દોષો નાશ પામે છે. તેથી શ્રી નવકારમંત્રના પ્રથમપદના જાપ વડે શરીર અને આત્મા ઉભયની શુદ્ધિ થાય છે. ૨૪૮ Jain Education International For Private & Personal Use Only ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy