________________
છે અને શુભરસ વધી જાય છે; તથા ઉદયાગતકર્મ સમતાભાવે વેદાઈ જતું હોવાથી તેનો નિરનુબંધ લય થઈ જાય
પંચમંગલથી ભાવધર્મનું આરાધન થાય છે કેમ કે તેમાં રત્નત્રયધરોને વિષે ભક્તિ પ્રકટે છે, તેમની આજ્ઞાનું પાલન કરવાનો ઉત્સાહ જાગે છે, સર્વના શુભની જ એક ચિન્તાનો ભાવ પ્રગટે છે અને અશુભ સંસાર પ્રત્યે નિર્વેદની ભાવના જન્મે છે. કહ્યું છે કે
रत्नत्रयधरेष्वेका, भक्तिस्तत्कार्यकर्म च । शुभैकचिन्तासंसार-जुगुप्सा चेति भावना ॥
આ ભાવધર્મ દાન, શીલ, તપ આદિ દ્રવ્યધર્મની વૃદ્ધિ કરે છે અને તે દ્રવ્યધર્મની વૃદ્ધિ પાછી ભાવધર્મની વૃદ્ધિ કરે છે. એમ ઉત્તરોત્તર દ્રવ્ય-ભાવધર્મની વૃદ્ધિ તેની પરાકાષ્ઠાને પામી સર્વકર્મરહિત મોક્ષનું કારણ બને છે.
નવકારમંત્રના પદોમાં ગુણ-ગુણીની ઉપાસના ઉપરાંત શબ્દ દ્વારા શુભ સ્પંદનો ઉત્પન્ન કરવાની જબરદસ્ત શક્તિ છે. તેથી તેને સર્વ મંગલોમાં પહેલું મંગલ અને સર્વ કલ્યાણોમાં ઉત્કૃષ્ટ કલ્યાણ કહ્યું છે.
ચારેય નિપા વડે થતી પાંચેય પરમેષ્ઠિઓની ભક્તિ નવકારમંત્રમાં રહેલી હોવાથી સર્વ પ્રકારના શુભ, શિવ અને ભદ્ર તથા પવિત્ર, નિર્મળ અને પ્રશસ્ત ભાવો પેદા કરવાનું સામર્થ્ય તેમાં રહેલું છે.
અનિર્મીત વસ્તુનો નામાદિ દ્વારા નિર્ણય કરાવે, શબ્દ દ્વારા અર્થનો અને અર્થ દ્વારા શબ્દનો નિશ્ચિત બોધ કરાવે તથા અનભિમત અર્થનો ત્યાગ અને અભિમત અર્થનો સ્વીકાર કરાવવામાં ઉપયોગી થાય તે નિલેપ કહેવાય
નવકારમંત્રનાં પદો નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચારે નિક્ષેપોની સાથે સંબંધ ધરાવનારાં હોવાથી સમગ્ર વિશ્વની શુભ વસ્તુઓ સાથે સંબંધ કરાવે છે. એ દ્વારા અશુભકર્મનો ક્ષય અને શુભકર્મનો બંધ કરાવી પરંપરાએ મુક્તિસુખને મેળવી આપે છે. તેથી નવકારમંત્ર એ સર્વ શુભોમાં ઉત્કૃષ્ટ શુભ અને સર્વ મંગલોમાં ઉત્કૃષ્ટ મંગલ પણ કહેવાય છે. મોક્ષમાર્ગમાં પુષ્ટાવલંબના
નવકારમંત્ર એ જીવને પોતાની ઉન્નતિ સાધવામાં પુષ્ટાવલબં છે. અલક્ષ્યને સાધવા માટે લક્ષ્યનું અવલંબન લેવું તે સાલંબન ધ્યાન છે. આલંબન વડે ધ્યેયમાં ઉપયોગની એકતા થાય છે. ઉપયોગ એટલે બોધરૂપ વ્યાપાર અને એકતા એટલે સજાતીય જ્ઞાનની ધારા. નિમિત્ત કારણો બે પ્રકારનાં છે પુષ્ટ અને અપુષ્ટ.
જે કાર્ય સિદ્ધ કરવાનું હોય તે કાર્ય અથવા સાધ્ય જેમાં વિદ્યમાન હોય તે પુષ્ટ નિમિત્ત છે.
મોક્ષમાર્ગમાં સાધ્ય સિદ્ધત્વ છે તે શ્રી અરિહંતસિદ્ધાદિ પરમેષ્ઠિઓમાં છે, તેથી તેમનું નિમિત્ત એ પુષ્ટ નિમિત્ત છે, તેમનું આલંબન એ પુષ્ટ આલંબન છે.
પાણીમાં સુગંધરૂપી કાર્ય ઉત્પન્ન કરવું હોય તો પુષ્પો એ પુષ્ટ નિમિત્ત છે, કારણ કે પુષ્પમાં સુગંધ રહેલી છે. સ્મરણ, વિચિંતન અને ધ્યાન વડે પુષ્ટ નિમિત્તોનું આલંબન લઈ શકાય છે.
પુષ્ટ નિમિત્તોનાં સ્મરણને શાસ્ત્રોમાં મોક્ષમાર્ગનો પ્રાણ કહ્યો છે. સ્મરણ એ સર્વ સિદ્ધિઓને આપવામાં અચિત્ય ચિન્તામણિ સમાન ગણાય છે. નિમિત્તોની સ્મૃતિરૂપી ચિન્તામણિરત્ન પ્રશસ્ત ધ્યાનાદિ ભાવોને પ્રાપ્ત કરાવી પ્રશસ્ત ફળોને અભિવ્યક્ત કરે છે.
સ્મરણ, વિચિંતન અને ધ્યાન એ સાધનાનું જીવન, પ્રાણ અને વીર્ય છે. પુષ્ટ નિમિત્તોના આલમ્બનથી તે પ્રાપ્ત છે. તેથી પુષ્ટ નિમિત્તો સાધનાના પ્રાણ ગણાય છે.
શ્રી સિદ્ધસેનસૂરિજી ફરમાવે છે કે :પુષ્ટર્નનેન્દ્રોડયું, મોક્ષ-સમાવ-સાઘને ?
મોક્ષરૂપી કાર્યની સિદ્ધિ માટે શ્રી જિનેન્દ્ર ભગવાન અને ઉપલક્ષણથી પાંચ પરમેષ્ઠીઓ પુષ્ટ નિમિત્ત છે. તેથી શ્રી નમસ્કારમંત્ર પુષ્ટ આલંબનરૂપ થઈને સર્વ સાધકોને સાધ્યની સિદ્ધિ કરાવે છે. અનુપ્રેક્ષાકિરણ ૧
૨૪૭. ૨૪૭ પN
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org