________________
૫૨માત્મા અને તેના નામનો લાભ બધાને નહિ પણ સદાચારી, શ્રદ્ધાવાન અને ભક્ત હૃદયને જ મળે છે. પરમાત્માની અચિત્ત્વ શક્તિ ઉ૫૨ મનુષ્યને જ્યારે પૂરેપૂરી શ્રદ્ધા બેસે છે ત્યારે તેની સાતે ધાતુઓનું રૂપાંતર થાય છે. તેથી પરમાત્માનું નામ એ ભક્ત માટે બ્રહ્મચર્યની દશમી વાડ પણ છે. નવ વાડ કરતાં પણ તેનું સામર્થ્ય અપેક્ષાએ અધિક છે. મંત્રયોગની સિદ્ધિ
મંત્ર એ શબ્દોનો સમૂહ છે, જેનો કોઈ અર્થ નીકળતો હોય છે. આ શબ્દોના અર્થને સાકાર થવું એ જ મંત્રને સિદ્ધ થવું ગણાય છે. શબ્દથી વાયુ પર આઘાત થાય છે. જ્યારે કોઈ શબ્દ બોલાય છે ત્યારે અનંત એવા વાયુરૂપી મહાસાગરમાં તરંગ પેદા થાય છે. તરંગથી ગતિ, ગતિથી ગરમી અને ગરમીથી સ્વાસ્થ્ય સુધરે છે. પ્રાણાયામનો પણ એ જ ઉદ્દેશ છે અને તે ઉદ્દેશ મંત્રજાપથી સિદ્ધ થાય છે.
મંત્રનો જાપ હૃદયમાંથી દૂષિત ભાવનાઓને બહાર કાઢી અન્તઃકરણને શુદ્ધ કરે છે. મંત્રજાપ વડે ગરમી વધવાથી મસ્તિષ્કની ગુપ્ત સમૃદ્ધિનો કોષ ખૂલી જાય છે અને એ દ્વારા ધાર્યું કાર્ય સિદ્ધ થાય છે.
શબ્દ રચનાની શક્તિ અત્યંત પ્રબળ હોય છે. જે કાર્ય વર્ષોમાં નથી થઈ શકતું તે કાર્ય યોગ્ય શબ્દરચના દ્વારા થોડી જ ક્ષણોમાં થઈ શકે છે. નમસ્કારમંત્ર એ કારણથી મોટો મંત્ર ગણાય છે અને મોટામાં મોટાં અસાધ્ય-દુઃસાધ્ય કાર્યો પણ એનાથી સિદ્ધ થતાં જોવાય છે.
‘ઉત્સાહાનિશ્ચયાત, ધૈર્યાત, સંતોષાત્તત્ત્વવર્શનાત્। મુનેર્નનપવત્યાગાત. ડ્રિમિર્ચેનઃ પ્રસિધ્દતિ ॥’
બીજા યોગની જેમ મંત્રયોગની સિદ્ધિ પણ ઉત્સાહ, નિશ્ચય, ધૈર્ય, સંતોષ, તત્ત્વદર્શન અને લોકસંપર્કના ત્યાગથી થઈ શકે છે.
અમૂર્ત અને મૂર્ત વચ્ચેનો સેતુ
નમો એ ધર્મવૃક્ષનું મૂળ છે, ધર્મનગરનું દ્વાર છે, ધર્મપ્રાસાદનો પાયો છે, ધર્મરત્નનું નિધાન છે, ધર્મ જગતનો આધાર છે અને ધર્મરસનું ભાજન છે.
નમસ્કારરૂપી મૂળ વિના ધર્મવૃક્ષ સુકાય છે. નમસ્કારરૂપી દ્વાર વિના ધર્મનગરમાં પ્રવેશ અશક્ય છે. નમસ્કારરૂપી પાયા વિના ધર્મપ્રાસાદ ટકી શકતો નથી. નમસ્કારરૂપી તિજોરી વિના ધર્મરત્નોનું રક્ષણ થતું નથી. નમસ્કારરૂપી આધાર વિના ધર્મજગત નિરાધાર છે. નમસ્કારરૂપી ભાજન વિના ધર્મરસ ટકી શકતો નથી અને ધર્મના રસનો સ્વાદ ચાખી શકાતો નથી.
‘વિનય-મૂલો ધમ્મો’ અર્થાત્ ધર્મનું મૂળ વિનય છે. નમસ્કાર એ વિનયનો જ એક પ્રકાર છે. ગુણાનુરાગ એ ધર્મદ્વાર છે અને નમસ્કાર ગુણાનુરાગની ક્રિયા છે. શ્રદ્ધા એ ધર્મમહેલનો પાયો છે. નમસ્કાર એ શ્રદ્ધા અને રુચિનું બીજું નામ છે. મૂલ ગુણો અને ઉત્તર ગુણો એ રત્નો છે, નમસ્કાર તેનું મૂલ્યાંકન છે. ચતુર્વિધસંઘ અને માર્ગાનુસા૨ી જીવો એ ધર્મરૂપી જગત છે, તેમનો આધાર નમસ્કાર ભાવ છે. સમતાભાવ, વૈરાગ્યભાવ, ઉપશમભાવ એ ધર્મનો રસ છે. એ રસાસ્વાદ માટેનું ભાજન પાત્ર કે આધાર નમસ્કાર છે.
વિનય, ભક્તિ, શ્રદ્ધા, રુચિ, આર્દ્રતા, નિરભિમાનિતા વગેરે નમસ્કાર ભાવના જ પર્યાયવાચક વિભિન્ન શબ્દો છે, તેથી નમસ્કારભાવ એ જ ધર્મનું મૂળ, દ્વાર, પીઠ, નિધાન, આધાર અને ભાજન છે. અમૂર્ત અને મૂર્ત વચ્ચે એકમાત્ર પુલ, સેતુ કે સંધિ હોય તો તે નમસ્કાર છે.
નવકારમાં સર્વ સંગ્રહ
નવકા૨માં ચૌદ ‘ન’ કાર છે (પ્રાકૃત ભાષામાં ‘ન' અને ‘ણ’ બન્ને વિકલ્પે આવે છે) તે ચૌદ પૂર્વોને જણાવે છે અને નવકાર ચૌદ પૂર્વરૂપી શ્રુતજ્ઞાનનો સાર છે એવી પ્રતીતિ કરાવે છે. નવકારમાં બાર ‘અ’ કાર છે તે બાર અંગોને જણાવે છે. નવ ‘ણ’કાર છે તે નવનિધાનને સૂચવે છે. પાંચ ‘ન’કાર પાંચ જ્ઞાનને, આઠ ‘સ’કાર
અનુપ્રેક્ષાકિરણ ૧
Jain Education International
For Private & Personal Use Only
૨૪૫
www.jainelibrary.org