SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૦ શ્રી નમરકારનો અધિકારી (યોગદષ્ટિએ) (૧) યમ-સમિતિ, ગુપ્તિથી યુક્ત અથવા મૂળગુણો અને ઉત્તરગુણોના પાલનસહિત સાધક શ્રી નવકારમહામંત્રનો અધિકારી બને છે. મૂળગુણો અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ છે. અહિંસા"ના પરિપાકથી સાધકના અંતઃકરણમાં નિર્વેરબુદ્ધિનો ઉદય થાય છે. તેની અસર અન્ય પ્રાણીઓ ઉપર પણ તેવી થાય છે. “સત્ય” ના પરિપાકથી વાણી અમોઘપણાને પામે છે, “અસ્તેય'ના પરિપાકથી ઉત્કૃષ્ટ ભોગ્યપદાર્થોની પ્રાપ્તિ થાય છે, “બ્રહ્મચર્ય' ના પરિપાકથી અંતઃકરણાદિના ઉત્કૃષ્ટ સામર્થ્યનો લાભ થાય છે અને “અપરિગ્રહ' ના પરિપાકથી ભૂત-ભવિષ્યના બનાવોને જાણવાનું સામર્થ્ય પ્રગટે છે. આ તેના આનુષંગિક અથવા ગૌણ ફળો છે. મુખ્ય ફળ તો યોગાભ્યાસ કરવાની યોગ્યતા આવે છે, તે છે. (૨) નિયમ-ઉત્તરગુણોને નિયમ પણ કહેવાય છે. સાધકને સકામધર્મથી રોકી, નિષ્કામધર્મમાં પ્રવૃત્તિ કરાવનાર પાંચ પ્રકારની ક્રિયાઓ “નિયમો' શબ્દથી સંબોધાય છે. યમાભ્યાસના પરિપાક વિના નિયમાભ્યાસ સારી રીતે થઈ શકતો નથી. ૧ઃ શરીર, ઇન્દ્રિયો અને અંતઃકરણ વગેરેને પવિત્ર રાખવા તે “શૌચ' છે. શરીરાદિની અશુચિ એકાગ્રતાની વિરોધી છે. શરીરને પવિત્ર રાખવું તે “બાહ્યશૌચછે, અંતઃકરણને પવિત્ર રાખવું તે “આંતરશૌચ' છે અને આંતરશૌચને બાધ ન પહોંચે તે રીતે બાહ્યશૌચને આચરવો તે “શૌચધર્મ' છે. બાહ્યશૌચના પરિપાકથી સ્વશરીરમાં જુગુપ્સા અને અન્ય શરીરનો રાગપૂર્વક ઉપભોગ કરવાની ઈચ્છા નાશ પામે છે. આંતરશૌચના પરિપાકથી ઇન્દ્રિયજય અને આત્મસાક્ષાત્કાર કરવાની અંતઃકરણની યોગ્યતા પ્રાપ્ત થાય રઃ ન્યાયપૂર્ણ વ્યવહારથી પ્રાપ્ત થતાં સાધનોમાં મનને તૃપ્ત રાખવું તે “સંતોષ'' છે. પ્રાપ્તસાધનોથી અધિકની તૃષ્ણા રાખનાર પ્રાપ્તનો ઉપભોગ કરી શકતો નથી અને અસંતોષ વડે નિરંતર વિષાદયુક્ત રહે છે. સંતોષના પરિપાકથી તૃષ્ણાનો ઉચ્છેદ થઈ ચિત્તમાં વિક્ષેપના અભાવરૂપ શ્રેષ્ઠ સુખનો અનુભવ થાય છે. ૩ઃ આહારને નિયમમાં રાખવો, દિવસમાં એકવાર પરિમિત ભોજન કરવું, સ્વશક્તિ અનુસાર ઉપવાસાદિ કરવા અને શરીર, ઇન્દ્રિયો તેમજ અંતઃકરણને વશ રાખવાં તે “તપ” કહેવાય છે. વિવેકયુક્ત તપ વડે અંતઃકરણના સાત્ત્વિક સામર્થ્યની વૃદ્ધિ થાય છે અને યોગમાં વિઘ્ન કરનાર અંતઃકરણના કુસંસ્કારો દૂર થાય છે. તપ વિના ઐહિકકાર્યની પણ સિદ્ધિ થતી નથી તો પછી યોગાભ્યાસની સિદ્ધિ કેવી રીતે થાય? તપના અનુષ્ઠાનનો પરિપાક થવાથી શરીર, ઇન્દ્રિયો અને અંતઃકરણની અશુદ્ધિ દૂર થાય છે અને તેમનામાં અલૌકિક સામર્થ્યનો આવિર્ભાવ અનુભવાય છે. વિવેકપૂર્વક તાત્ત્વિક શુદ્ધ તપ મોક્ષમહેલનો સુદંર પાયો શ્રી નમસ્કારનો અધિકારી ૨૩૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy