________________
કર્મનો ક્ષયોપશમ છે. તે કર્મનો ક્ષયોપશમ મતિજ્ઞાનાવરણીય, શ્રુતજ્ઞાનાવરણીય, દર્શનમોહનીય અને વિર્યાન્તરાયકર્મ એ ચારેયના ક્ષયોપશમની અપેક્ષા રાખે છે. એટલે આ નમસ્કારની ક્રિયાની પ્રાપ્તિ તેને જ થાય છે કે જેણે મોહનીયકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ખપાવીને એક કોડાકોડી સાગરોપમથી પણ ઓછી કરી હોય. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનને આવરણ કરનારા કર્મો પણ ઘણા અંશમાં હઠાવ્યાં હોય તથા વીર્યન્તરાયકર્મને પણ બહુ અંશમાં ખપાવ્યું હોય, ત્યારે તેને શ્રી નવકારના પ્રથમપદની અને તેના પ્રથમ અક્ષરની શબ્દથી, અર્થથી કે ક્રિયાથી પ્રાપ્તિ થાય છે.
કર્મની આટલી મોટી સ્થિતિ ખપાવવા માટે કેવળ અકામનિર્જરા નહિ પણ જીવને સકામનિર્જરા કરવી પડે છે અને સકામનિર્જરા માટે નિરાગ્રહવૃત્તિ, માર્ગાનુસારી બુદ્ધિ, દયાળુતા, વિનીતતા, જિતેન્દ્રિયતા, ન્યાયસંપન્નતા વગેરે ગુણો કેળવવા પડે છે. પછી જ તે અપૂર્વકરણ વડે ગ્રન્થિભેદ કરીને સમ્યગ્દર્શન પામે છે અને ભાવથી પરમેષ્ઠિનમસ્કારનો અધિકારી થાય છે.
શાસ્ત્ર કહ્યું છે કે અભવ્ય જીવને દ્રવ્યથી પણ આ નમસ્કારની પ્રાપ્તિ કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ તોડ્યા વિના થતી નથી. ““ઘર્ષણ-ઘૂષણ' ન્યાયે મોહનીયાદિ કર્મોની અંતઃ કોડાકોડી જેટલી સ્થિતિ થયા વિના કોઈને પણ આ નમસ્કારની ભાવથી કે દ્રવ્યથી પણ પ્રાપ્તિ સંભવિત નથી. આ થઈ નમસ્કારની કારભાવસ્થાની વિચારણા.
(૨) સ્વરૂપ અવસ્થા: નમસ્કારની ક્રિયા વડે થતી વેશ્યાવિશુદ્ધિ એ નમસ્કારનું સ્વરૂપ છે. આ સ્વરૂપ ઘણું ઉદાત્ત છે.
દ્રવ્યલેશ્યા પુદ્ગલસ્વરૂપ છે અને ભાવલેશ્યા અંતઃકરણનું પરિણામ છે. નમસ્કાર વડે અંતઃકરણનાં પરિણામ નિર્મળ બને છે અને ઔદાર્યાદિ ગુણોની વૃદ્ધિ થાય છે. જેવી લેશ્યાથી જીવ મરે તેવી તેની ગતિ થાય છે.
(૩) ફલઅવસ્થા: વિશુદ્ધ લેગ્યાથી મરનારની ઊર્ધ્વગતિ થાય છે તેથી નમસ્કારનું ફળ સિદ્ધિગતિની પ્રાપ્તિ છે. જ્યાં સુધી સિદ્ધિગતિની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી દેવ અને મનુષ્યોના ભવોની પરંપરાએ જીવ સકળ કલેશથી નિવૃત્તિરૂપ પરમનિર્વાણને પામે છે. “નમો' પદનો આ અર્થ છે.
એ અર્થને સમજાવવા માટે અનેક પર્યાય શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે. તેમાંનો એક અર્થ ‘પૂજા' છે. નમસ્કાર એટલે પૂજા, ભક્તિ, બહુમાન વગેરે એ બધા સમાનાર્થક શબ્દો છે.
પૂજા' દ્રવ્ય-ભાવ ઉભય સંકોચરૂપ છે. હાથ, પગ, મસ્તકાદિ શરીરનાં અવયવોનો સંકોચ તે દ્રવ્યસંકોચ છે અને મનનો વિશુદ્ધ પરિણામ તથા બહુમાનવાળો વિશુદ્ધ અધ્યવસાય તે “ભાવસંકોચ છે.
હવે “અરિ” અને “હંત' એ બે શબ્દોનો અર્થ વિચારીએ. “અરિ’ શબ્દ શત્રુ અર્થમાં છે. જીવને શત્રુભૂત આઠ કર્મનો સંચય તે “અરિ' છે અને તે “અરિ-શત્રુઓને જેઓએ મૂળથી હણી નાખ્યા છે તે “અરિહંત' છે. અર્થાત કર્મ અને તેના કારણભૂત કષાયોનો જેમણે મૂળથી નાશ કર્યો છે તે “અરિહંત' કહેવાય છે. પ્રથમ પરમેષ્ઠિ સ્વરૂપ હોવાથી તેઓ “અરહંત' છે તથા મુક્તિગામી હોવાથી “અસ્તૃત” પણ છે. એ રીતે અરિહંત, અરહંત અને અર્પત એ ત્રણેય અવસ્થાઓને ધારણ કરનારાઓને નમસ્કાર તે “નમો અરિહંતાણં' પદનો અર્થ
નમો સિદ્ધાણં' આદિ પદો પણ તેઓનાં વિશેષણરૂપ છે. એ રીતે પંચપરમેષ્ઠિસ્વરૂપ અરિહંતોને નમસ્કાર અથવા એ પાંચેય પદોમાં રહેલા સર્વ પરમેષ્ઠિભગવંતોને નમસ્કાર સર્વ પાપનો પ્રણાશ કરનાર છે અને જગતમાં જેટલાં ધર્મમંગળ છે તેમાં સર્વોત્કૃષ્ટ મંગળ છે.
મંગળ' વિપ્નનાશક છે તેથી સર્વ વિઘ્નોનો નાશક છે તથા “મંગળ' સર્વ અભીષ્ટ વસ્તુઓને મેળવી આપનાર છે તેથી સર્વ ઈષ્ટનો પ્રાપક છે.
G ૨૩૨
ત્રિલોક્યદીપક મહામંત્રાધિરાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org