SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નવકારમંત્રની વિધિપૂર્વક અર્થભાવના સહિત આરાધના કરવાથી અંતરાયાદિ દુષ્કર્મોનો ક્ષય થાય છે, ધર્મમંગળની વૃદ્ધિ થાય છે, બુદ્ધિ નિર્મળ થાય છે, દાન-દયાદિનાં પરિણામ વૃદ્ધિ પામે છે, તેમ જ જીવ સમાધિ-મરણ અને બોધિલાભનો અધિકારી થાય છે. જન્મની સાથે મરણ જોડાયેલું છે. નવકારમંત્રની આરાધના મરણને સુધારે છે. મરણની પછી નવો જન્મ લેવો પડે છે. ત્યાં નવકારમંત્રના પ્રભાવે જિનધર્મની પ્રાપ્તિ થાય છે, તે બોધિલાભ છે. આવા અનેક અને અચિંત્ય લાભોનું કારણ હોવાથી નવકારમંત્ર ઉપર સૌએ આદરવાળા બનવું જોઈએ. આપણે જોયું કે જ્ઞાન એ આત્માનો મુખ્ય ગુણ છે. તે જ્ઞાનના પાંચ પ્રકાર છે. તેમાં શ્રુતજ્ઞાન સ્વ-પરપ્રકાશક હોવાથી મુખ્ય છે. શ્રુતજ્ઞાન ચૌદપૂર્વ અને બાર અંગસ્વરૂપ છે અને તે સાગર જેટલું વિશાળ છે. બે ભુજાવડે સ્વયંભૂરમણ સાગરનો પાર પામવો દેવસહાયવડે હજુ પણ શક્ય છે, પણ દેવ-ગુરુની ભક્તિ વિના પોતાના પ્રયત્નથી શ્રુતસાગરનો પાર પામવો અશક્ય છે. શ્રી મહાનિશીથસૂત્રમાં કહ્યું છે કે દેવ-ગુરુને પ્રણામ એ જ શ્રુતસાગરને પાર પામવાનો ઉત્તમ ઉપાય છે તે દેવ-ગુરુને પ્રણામ નમસ્કાર મંત્ર વડે થાય છે, તેથી તેને ભણવો જોઈએ અને ગુરુ પાસે વિધિપૂર્વક પ્રહણ કરવો જોઈએ. તે માટે ઉપધાનતપ કરવું જોઈએ. આજે શ્રી નવકારમંત્રનાં ઉપધાન થાય છે, તેમાં ૧૮ દિવસ સુધી ગુરુનિશ્રાએ પૌષધમાં રહી ૧૨ા ઉપવાસનો તપ કરવો પડે છે. એ તપની સાથે રોજ સવાર-સાંજ એમ બે વખત પ્રતિક્રમણ-પ્રતિલેખન, ચાર વખત દેવવંદન, એકસો લોગસ્સનો કાયોત્સર્ગ અને એકસો ખમાસમણ, ગુરુવંદન, વ્યાખ્યાનશ્રવણ આદિ શાસ્ત્રોક્ત ક્રિયા કરવી પડે છે. રોજ બે હજાર નવકારનો જાપ લાગલાગત અઢાર દિવસ સુધી થયા પછી જીવ નમસ્કારમંત્રનો સાચો અધિકારી બને છે. તેટલો તપ કરવાની શક્તિ આદિ જેનામાં ન હોય, તે તપ કરવાની ભાવના Æયમાં રાખીને પણ નવકારમંત્રનો અધિકારી બને છે. અર્થાત્ નવકારમંત્ર ગણી શકે છે, પરંતુ જ્યારે શક્તિ અને સામગ્રી મળે ત્યારે તે તપ પૂર્ણ કરી આપે છે. આ બધું શા માટે? શ્રુતજ્ઞાનની આરાધના માટે દ્વાદશાંગ શ્રુતજ્ઞાન જે ન ભણી શકે તેને પણ દ્વાદશાંગના સારરૂપ નમસ્કારમંત્રને ભણવાદ્વારા શ્રુતજ્ઞાનનો આરાધક બનવાની સરળ સામગ્રી શાસ્ત્રકારોએ બતાવી છે. તે સામગ્રીમાં ઉપધાનતપ પણ છે. ઉપધાનતપ વડે જીવ નવકારમંત્રનો અધિકારી બને છે. વળી નવકારમંત્રમાં એવું શું છે કે જેથી તેને ચૌદપૂર્વ અને બાર અંગનો સાર કહ્યો? તેમાં દેવ-ગુરુને પ્રણામ છે. દેવ-ગુરુને સાચા ભાવથી નમસ્કાર કરનાર સંસારસાગરનાં પારને પામી જાય છે. સંસારસાગર ગમે તેટલો ભયંકર હોય પણ જેની પાસે “ભાવનમસ્કાર' છે તેને તે કંઈ કરી શકતો નથી. પ્રશ્ન-નમસ્કારમાં આટલું બધું સામર્થ્ય શાથી? ઉત્તર-એવું સામર્થ્ય જેને નમસ્કાર કરવામાં આવે છે તે દેવ-ગુરુમાં રહેલું છે. અરિહંત અને સિદ્ધ એ “દેવ' છે. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ “ગુરુ” છે. “દેવે તે દેવ' અને દિખાવે તે ગુરુ.” આપણા આત્માનું શુદ્ધવરૂપ દેખાડનાર ગુરુતત્ત્વ છે અને પમાડનાર દેવતત્ત્વ છે. શાસ્ત્રો કહે છે કે પોતાના આત્માને ઓળખો. જેણે આખા જગતને ઓળખું પણ પોતાને ન ઓળખ્યો તેણે કાંઈ જ ઓળખ્યું નથી. જે બધાનાં નામ જાણે અને પોતાનું નામ ભૂલી જાય તે વ્યવહાર માટે નાલાયક ગણાય છે. તેમ આખી દુનિયાની બધી વાત જાણે પણ પોતાની જાતને ન જાણે તે મોક્ષ માટે અનધિકારી છે. ૨૨૬ છે સૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Eid Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy