SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ નમસ્કારમંત્રના આરાધક બનવા માટેની પૂર્વતૈયારી નમસ્કારમંત્ર એ શ્રુતજ્ઞાન છે, ચૌદપૂર્વનો સાર છે. ચૌદપૂર્વ એટલે સમગ્ર શ્રુત જ્ઞાનના પાંચ ભેદ છે. મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવળ. એ પાંચ જ્ઞાનમાં ચાર મૂંગાં છે, શ્રુતજ્ઞાન સ્વ-પપ્રકાશક છે. શ્રુતજ્ઞાન પોતાનું સ્વરૂપ જણાવે છે અને બીજાનું સ્વરૂપ પણ જણાવે છે. બીજા ચાર જ્ઞાનનું સ્વરૂપ જો જાણવું હોય તો પણ શ્રુતજ્ઞાનથી જ જાણી શકાય છે. પદ્રવ્ય, નવતત્ત્વ, જડ-ચેતન કે સમગ્ર વિશ્વનું અને લોકાલોકનું જ્ઞાન શ્રુતજ્ઞાનથી થઈ શકે છે, તેથી જિનશાસનમાં શ્રુતજ્ઞાનને પરમ ઉપકારક માન્યું છે. શ્રુતજ્ઞાન ભણવું જોઈએ, ભણાવવું જોઈએ, લખવું જોઈએ, લખાવવું જોઈએ, સંગ્રહ કરવું જોઈએ, રક્ષણ કરવું જોઈએ અને તેની ભક્તિના જેટલા પ્રકાર છે તે બધા પ્રકારે શ્રુતજ્ઞાન અને શ્રુતજ્ઞાનીની આરાધના કરવી જોઈએ. તેથી જ્ઞાનાવરણકર્મ નાશ પામે છે અને પરિણામે જીવ કેવળજ્ઞાનનો અધિકારી બને છે. આજે ચૌદપૂર્વો અને બારમા અંગનો વિચ્છેદ છે. અગિયાર અંગ પણ ઘણા વિશાળ પ્રમાણમાં હતા, તે પણ ટૂંકા પ્રમાણમાં રહ્યાં છે. જો કે આપણા માટે તો તે પણ વિશાળ ગણાય. ૧૧ અંગ, ૧૨ ઉપાંગ, દ છેદ, ૪ મૂળ, ૧૦ પન્ના, નંદી-અનુયોગદ્વાર એમ કુલ ૪૫ આગમ આજે વિદ્યમાન છે. તેના ઉપર ટીકા, ભાષ્ય, ચૂર્ણિ, નિર્યુક્તિ વગેરે બધાનો જે સરવાળો કરીએ તો આજે પણ સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી, હિન્દી વગેરે ભાષામાં લાખો શ્લોકો પ્રમાણ શાસ્ત્ર વિદ્યમાન છે. તે બધું ભણવું જોઈએ. જો બધું ન ભણી શકાય તો પોતાની શક્તિ પ્રમાણે રોજ ૫-૧૦ ગાથા જેટલું અથવા છેવટે ઓછી શક્તિવાળાએ એક ગાથા કે અડધી ગાથા જેટલું પણ નવું ભણવું જોઈએ એ રીતે પણ શાસ્ત્રસ્વાધ્યાય કરવો જોઈએ. નવકારમંત્ર શ્રુતજ્ઞાનનો સાર છે, તેથી તેને ગણવાથી તથા તેનો સ્વાધ્યાય કરવાથી પણ શ્રુતજ્ઞાનની આરાધના થાય છે અને જ્ઞાનાવરણીયકર્મ ખપે છે, જ્ઞાનાવરણીયકર્મ ખપવાથી આપણા આત્માના શુદ્ધસ્વરૂપનું જ્ઞાન થાય છે. આત્માના શુદ્ધસ્વરૂપનું જ્ઞાન થવાથી મોહનીયકર્મનો ક્ષય થાય છે. મોહનીયકર્મનો ક્ષય થવાથી અંતરાયકર્મ આદિ કર્મોનો પણ નાશ થાય છે અને તેથી જીવ (ઘાતી કર્મ ખપવાથી) કેવળજ્ઞાનને પામવાનો અધિકારી બને છે. પછી અઘાતી કર્મ પણ ખપાવીને સિદ્ધપદ પામે છે. બીજું કાંઈ ન બની શકે તોપણ શ્રુતજ્ઞાનની આરાધના માટે દરેક આરાધકે રોજ ઓછામાં ઓછા ૧૦૮ નવકાર એકાગ્રચિત્તે, બહુમાનપૂર્વક પવિત્ર ભાવથી ગણવાનો અભ્યાસ પાડવો જોઈએ. તેનું ફળ મોટું છે. પરંપરાએ કેવળજ્ઞાન અને મુક્તિ મળે છે. જ્યાં સુધી તે ન મળે ત્યાં સુધી ઉત્તરોત્તર દેવ-મનુષ્યનાં ચઢિયાતાં સુખોનો અનુભવ કરી, દેવ-ગુરુ-શાસ્ત્ર-સંઘ-સાધર્મિક આદિની ભક્તિ કરી, દીનદુઃખી જીવોનો ઉદ્ધાર કરી, પુણ્યાનુબંધી પુણ્યના પ્રભાવે છેવટે તે આત્મા મુક્તિનાં અવ્યાબાધ સુખનો સ્વામી બને છે. આત્માના અનંત ગુણો છે. તેમાં મુખ્યગુણ “જ્ઞાન” છે. જ્ઞાનમાં પણ “શ્રુતજ્ઞાન' મુખ્ય છે. તેની આરાધના કરવાનું સૌથી સુલભ સાધન નવકારમંત્ર છે. SN નમ. આ. બનવા માટેની પૂર્વતૈયારી ૨૨૫ NN Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy