________________
નમસ્કારધર્મનો મર્મ
સર્વ ધર્મોમાં જપ તે પરમ ધર્મ છે. અહિંસા વડે જપ યજ્ઞ પ્રવર્તે છે. જપ વડે જ સિદ્ધિગતિ તથા જપથી જ જીવમૈત્રી સધાય છે. જપનું ફળ સ્નેહપરિણામ છે. જપ વડે મન નિર્મળ થવાથી મૈત્રી ગુણની અને ઈન્દ્રિયો પર અંકુશ આવવાથી ક્ષમા ગુણની પ્રાપ્તિ થાય
પાપનું મૂળ પુદ્ગલાસકિત છે. ધર્મનું મૂળ જીવો પ્રત્યે વતુલ્યદૃષ્ટિ છે. જપ વડે કામ-ક્રોધાદિનો નાશ થાય છે તેમજ મૈત્રી, માધ્યચ્ય અને કારુણ્ય પ્રગટે છે. જપ એ ભક્તિનો એક પ્રકાર છે. ભક્તિમાં મૈત્રી, માધ્યસ્થ અને કરુણા છૂપાયેલાં છે.
મંત્રાધિરાજ શ્રી નવકારનો સતત જપ એ પુદ્ગલ પ્રત્યે નમનશીલજીવને ચૈતન્ય પ્રત્યે નમનશીલ બનાવવાનો ઉપાય છે.
પિંડમાં-દેહ પ્રત્યે નેહ છોડી, આત્મા પ્રત્યે આદર ધારણ કરવો અને બ્રહ્માંડમાં પુગલમાત્ર પ્રત્યે રાગ છોડી, જીવમાત્ર પ્રત્યે અનુરાગ ધારણ કરવો તે નમસ્કારનું ફળ છે.
જેને નમવામાં આનંદ આવે છે તે શ્રી પંચપરમેષ્ઠિભગવંતો પુદ્ગલથી વિરક્ત છે અને ચૈતન્ય પ્રત્યે આસક્ત છે. માટે તેમને ભાવથી નમનાર પુદ્ગલ પ્રત્યે વિરક્ત અને ચૈતન્ય પ્રત્યે અનુરક્ત બને છે.
ચૈતન્યના પ્રેમથી શમ, દમ, સંતોષ ગુણ પ્રગટે છે. જડ એટલે લાગણીશૂન્ય ચૈતન્ય એટલે લાગણીયુક્ત લાગણયુક્તને નમવાથી લાગણી પ્રગટે છે. લાગણીશૂન્યને નમવાથી લાગણીશૂન્યતા અર્થાત્ જડતા પ્રગટે છે.
લાગણી એટલે સ્નેહ, દયા, હિતબુદ્ધિ. જેનાથી ઉપકાર થવો ત્રણે કાળમાં શક્ય નથી તેને નમતા રહેવું એ અજ્ઞાન છે, મોહ છે, અવિવેક છે.
ચૈતન્યને નમવું તે જ જ્ઞાન-વિવેકનું ફળ છે. ચૈતન્યને નમવું તે જ હિત, સુખ અને કલ્યાણનું કારણ છે.
જડને નમવું તે અહિત, અસુખ અને અકલ્યાણનો માર્ગ છે. જડને નમન કરવાથી અનંત-અવ્યાબાધ સુખરૂપ ચૈતન્યનું અપમાન થાય છે.
શ્રી નવકારનો જપ એટલે પરમ ચેતનામય જીવનને પ્રણામ અને પરમ ચેતનામય જીવનનો સત્કાર.
શ્રી નવકારને નમસ્કાર કરવા વડે અખિલ બ્રહ્માંડના નાયકપદે બિરાજતા શ્રી અરિહંત પરમાત્મા સાથે સુદ્ર જણાતો મનુષ્ય પણ સ્નેહ-સંબંધ બાંધી શકે છે એ મોટામાં મોટું આશ્ચર્ય છે.
*
૨૧૪
રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ
*
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org