________________
નાદ નાદાત્ત શક્તિ વ્યાપિની
તદ્ અધ્યવસાય
ઉપાધ્યાય તીવ્ર અધ્યવસાય
સાધુ તદર્થોપયુક્ત
દર્શન તદર્પિતકરણ
જ્ઞાન તદ્ધાવનાભાવિત
ચારિત્ર अन्नत्थ कर्थइ मणं अकरेमाणे त५
સમના ઉન્મના
શુદ્ધ આત્મા દ્રવ્યથી પૂર્ણ છે, ગુણથી એક છે અને પર્યાયથી તુલ્ય છે. તેને નમસ્કાર તે ત્રાણ છે, શરણ છે, ગતિ છે, પ્રતિષ્ઠા છે, આધાર છે. “નમો’ શબ્દ અર્ધમાત્રા છે, તે અમાત્રા તરફ લઈ જાય છે અને ત્રિમાત્રમાંથી અમાત્રમાં જવા માટે સેતુસ્વરૂપ છે.
કર્મકૃતવૈષમ્ય ત્રિમાત્રારૂપ છે, ધર્મકૃતનમસ્કાર અર્ધમાત્રારૂપ છે, તેનાથી થતો પાપનાશ અને મંગળનું આગમન અમાત્રરૂપ છે.
અમાત્ર એટલે અપિરિમિતિ આત્મસ્વરૂપ કે જે પૂર્ણ, જ્ઞાન, દર્શન, અને ચારિત્રસ્વરૂપ છે. અથવા, રાગ, દ્વેષ અને મોહ એ ત્રિમાત્રારૂપ છે.
લયોપશમભાવના જ્ઞાન-દર્શન-ચારિત્ર અર્ધમાત્રારૂપ છે અને ક્ષાવિકભાવના જ્ઞાન-દર્શન-ચારિત્ર અમાત્રરૂપ છે.
ઔદાયિકભાવના ધર્મો ત્રિમાત્રરૂપ છે. લયોપશમભાવના ધર્મો અર્ધમાત્રરૂપ છે અને ક્ષાવિકભાવના ધર્મો અમાત્રરૂપ છે.
નમો' વડે ઔદથિકભાવના ધર્મોનો ત્યાગ થઈ શયોપશમભાવના ધર્મો પ્રાપ્ત થાય છે, તેથી તે લયોપશમભાવના ધર્મરૂપ છે.
નમો’ એ મમત્વભાવનો ત્યાગ કરાવી સમત્વભાવ તરફ લઈ જાય છે તેથી સેતુરૂપ છે. “નમો’ એ મિથ્યાત્વમોહરૂપી અઢારમા પાપસ્થાનકનો ત્યાગ કરાવી, સમ્યગ્દર્શન ગુણની સહાયથી જીવને અયોગી કેવળી નામના ચૌદમાં ગુણસ્થાનકની પ્રાપ્તિમાં પ્રબળ નિમિત્ત બને છે, તેથી તેને ધર્મપ્રવેશનું દ્વાર કહ્યું છે.
બહિરાત્મભાવરૂપી ત્રિમાત્રનો ત્યાગ કરાવી, પરમાત્મભાવરૂપી અમાત્રને પ્રાપ્ત કરાવનાર અંતરાત્મભાવનો પ્રદર્શક અને નમસ્કારવાચક “નમો’ પદ છે. તે પદ પરમાત્મભાવનું પુનઃ પુનઃમનન કરાવી બહિરાત્મભાવનો સંકોચ અને અંતરાત્મભાવનો વિકાસ કરે છે.
નિર્વિકલ્પપદની પ્રાપ્તિ માટે અશુભ વિકલ્પોથી મુક્ત કરાવી શુભ વિકલ્પમાં જોડનાર “નમો પદ છે. તેને દ્રવ્ય-ભાવસંકોચરૂપ કહેલ છે. દ્રવ્યસંકોચ હાથ, પગ, મસ્તક આદિનો છે અને ભાવસંકોચ વિશુદ્ધમનનો છે. વિશુદ્ધમાન વડે અશુદ્ધ મન ટળે છે. પરિશુદ્ધ આત્માની પ્રાપ્તિ “નમો’ પદ વડે થાય છે.
નિત્ય નમસ્કારનો અભ્યાસ એ ભેદભાવની ઊંડી નદી પર પુલ બાંધવાની ક્રિયા છે. “નમો' એ પુલ છે સેતુ છે. એ સેતુ પર ચાલવાથી ભેદભાવનું ઉલ્લંઘન થાય છે અને અભેદભાવના કિનારા પર પહોંચી જવાય છે. પછી ડૂબી જવાનો ભય રહેતો નથી. ભેદભાવને નાબૂદ કરી અભેદભાવ સુધી પહોંચાડવાનું કાર્ય “નમો' ભાવરૂપી સેતુ કરે છે. તેને અમાત્ર પદ પર પહોંચાડવા માટેની અર્ધમાત્રા પણ કહેવાય છે. અર્ધી માત્રામાં સમગ્ર સંસાર સમાઈ જાય છે. અને બીજી અર્ધી માત્રા સેતુ બનીને આત્માને સંસારની પેલે પાર લઈ જાય છે.
NN ૨૧૨
ત્રિલોક્યદીપક મહામંત્રાધિરાજ MS
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org