________________
: 00
નમોપદ-ચિંતન
મનને આત્માધીન બનાવવાની પ્રક્રિયા “નમો’ વડે થાય છે.
આત્માને પ્રથમ સ્થાન “નમોમાં છે અને મનને પ્રથમ સ્થાન “મન” શબ્દમાં છે. એટલે મનને પ્રથમ સ્થાન જે સંસારપરિભ્રમણમાં પરિણમતું હતું, તે અટકીને આત્માને પ્રથમ સ્થાન મળવાથી ભવભ્રમણનો અંત આવે છે અને આત્મસ્વરૂપના લક્ષ રૂપ મોક્ષ હસ્તગત થાય છે.
મનનો માલિક આત્મા છે. પણ આત્માનો માલિક મન નથી એવું જ્ઞાન અને બોધ “નમો' પદના સતત સ્વાધ્યાયથી થાય છે.
નમોપદપૂર્વક જેટલા મંત્રો છે, તે બધા આત્માને મનની ગુલામીમાંથી છોડાવનારા થાય છે અને પ્રકૃતિ ઉપર પ્રભુત્વ અપાવનારા થાય છે.
મન એ કર્મનું સર્જન છે, એટલે જેણે કર્મના બંધનમાંથી છૂટવું હોય તેણે પ્રથમ મનની અધીનતામાંથી છૂટવું જોઈએ. તેથી “નમો’ એ મન ઉપર પ્રભુતા મેળવવાનો મંત્ર છે. અર્થાત્ મનને આત્માભિમુખ બનાવવા માટેનો મંત્ર “નમો' છે. નમોમંત્રથી બહિર્મુખમન આત્માભિમુખ બને છે.
આત્માને પ્રથમ સ્થાન આપવું અને મન તથા ઉપલક્ષણથી વચન, કાયા, કુટુંબ, ધન આદિને ગૌણ સ્થાન આપવું તે “નમો’ પદનો અર્થ છે.
આત્મામાં જ ચિત્ત, આત્મા તરફ જ વેશ્યા, આત્માનો જ અધ્યવસાય, આત્માની જ ઉપયુક્તતા, આત્મામાં જ ત્રણેકરણો અર્પિત, આત્મભાવનાથી જ ત્રણ યોગોનું ભાવિતપણું એ નમોપદનો વિશિષ્ટ અર્થ છે.
નમો કેવળ નમસ્કારરૂપ નથી તે પણ દ્રવ્ય-ભાવ-સંકોચરૂપ પણ છે. બાહ્યથી અને અંતરથી, દેહથી અને પ્રાણથી, મનથી અને બુદ્ધિથી સંકુચિત થવું અને એ બધાયમાં ચૈતન્યનું સંપાદન કરનાર આત્મતત્ત્વમાં વિસ્તૃત થવું, નિમગ્ન થવું, એકાકાર થવું, તન્મય ને તદ્રુપ થવું, એ “નમો' પદનો ભાવ છે.
નમો' પદની સાથે શ્રી અરિહંત, સિદ્ધ, સાધુ કે ધર્મને જોડવાનો અર્થ પણ એ છે કે આત્માની શુદ્ધઅવસ્થાને આગળ કરી, તે અવસ્થાવાન આત્મતત્ત્વની અંદર પરિણતિ લઈ જવી અને ત્યાં જ સ્થિર કરવી તન્નપૂસ્તર્થમાવન’ આત્મારૂપી અર્થાકાર થઈ જવું.
માત્રામાંથી અમાત્રામાં જવા માટે, સાકારમાંથી નિરાકારમાં જવા માટે, સકલમાંથી નિષ્કલમાં જવા માટે સેતુની જરૂર છે. તે સેતુ “નમો' પદ છે. સેતુને તંત્રશાસ્ત્રો અર્ધમાત્રા કહે છે, તેને બિંદુનવક પણ કહે છે. બિન્દુનવકને અધ્યાત્મશાસ્ત્રમાં અંતર્મુખવૃત્તિ કહે છે.
માત્રા એટલે મર્યાદિત. અર્ધમાત્રા માત્રામાંથી અમાત્રમાં લઈ જનારી છે. તેથી તેને સેતુ કહેવાય છે. નમો’ પદ પણ સેતુનું કાર્ય કરે છે.
સંસાર તરફ ઢળતા મનને મોક્ષ તરફ લઈ જવાનું કાર્ય “નમો’ પદથી થાય છે. તેમાં અર્ધમાત્રા, બિંદુનવક કે સેતુ, અંતર્મુખવૃત્તિ, અંતરાત્મભાવ છે. “નમો પદ અંતરાત્મભાવનું પ્રતીક છે. અંતરાત્મભાવ આત્માની એક પ્રકારની શૂન્યાવસ્થા છે, બિંદુ અવસ્થા છે.
અનાત્મભાવની શૂન્યતામાંથી પૂર્ણતા પ્રગટ થાય છે. પૂર્ણતા તે અમાત્રપદ છે. શૂન્યતા એ સેતુ છે. પરરૂપથી શૂન્યતા અને સ્વરૂપથી પૂર્ણતા પ્રાપ્ત થવાનું દ્વાર ઉભયભાવની અક્રમની વાચ્યતા, અનિર્વચનીયતા
SN ૨૧૦
૨૧૦
રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org