SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ જ્યાં નવકાર ત્યાં જૈનત્વ જૈન એટલે શ્રી જિનેશ્વરપરમાત્માનો અનુયાયી. સૌથી પ્રથમ ‘ નમો અરિહંતા' પદ વડે સર્વકાળના શ્રી જિનેશ્વરભગવવંતોને નમસ્કાર કરે છે, અને આઠ કર્મનો ક્ષય થયા પછી સિદ્ધ નામે ઓળખાતો તેમનો અથવા સામાન્ય કેવળી ભગવાનનો વિશિષ્ટ પર્યાય છે તેને ‘નમો સિદ્ધામાં ' પદ વડે નમસ્કારકરે છે. ત્યા૨બાદ શ્રી જિનેશ્વર ભગવાને પ્રરૂપેલા સિદ્ધાંતો પ્રમાણે આચાર પાળનાર અને ઉપદેશ કરનાર આચાર્યદેવોને नमो આરિયાળું ' પદ વડે નમસ્કાર કરે છે. ત્યા૨બાદ જાતે સૂત્ર-શાસ્ત્ર-સિદ્ધાંતો ભણનાર અને બીજાને ભણાવનાર ઉપાધ્યાયભગવંતોને અને તે પછી મોક્ષાભિલા જીવોને મોક્ષમાર્ગમાં સહાય કરનાર સાધુભગવંતોને અનુક્રમે ‘ નમો ઉવન્નાયાળું ' અને ‘ નો હોર્ સવ્વસાહૂળ ' પદ વડે નમસ્કાર કરે છે. તે શ્રી નવકારને ગણનાર અને જૈન બંને વસ્તુતઃ એક જ છે અર્થાત્ જૈન એટલે શ્રી નવક ૨ ગણનાર, ભણનાર અને જાણનાર. અન્યસૂત્રો ન આવડે તો બીજાએ બોલેલાં સાંભળી પણ ચલાવી શકાય, પણ શ્રી નવકાર તો પોતે જાતે જ બોલવો જોઈએ. તેથી દરેક જૈને તેનો મુખપાઠ કરવાનો હોય છે. શ્રી નવકાર જાણે તે જૈન અને શ્રી નવકાર ગણે તે જૈન. એમ જ્ઞાન અને ક્રિયા ઉભય સ્વરૂપ મોક્ષમાર્ગનું આરાધન પ્રત્યેક જૈનને રહેલું છે. : સર્વ પાપનો અર્થાત્ સ્વાર્થ ભાવનાનો તેથી નાશ થાય અને સર્વ મંગળોમાં પ્રધાન પરોપકાર ભાવરૂપ મંગળની પ્રાપ્તિ થાય છે. શ્રી નવકારમાં પ્રથમ નમસ્કાર શ્રી અરિહંતભગવંતોને છે, જેઓએ સ્વાર્થભાવરૂપી પાપનો પ્રણાશ-સમૂળઉચ્છેદ કર્યો છે અને પરાર્થ ભાવરૂપી મહામંગળનું આરાધન અવશ્ય કરેલું છે. તે વડે તીર્થંકરનામકર્મરૂપી પરમ પુણ્ય ઉપાર્જન કરી વિશ્વોપકાર વડે તેને સાકાર કર્યું છે. નવકારમંત્ર સર્વ આપદાઓને ભેદી નાખનાર છે. તેમાં પણ કારણ સ્વાર્થથી સર્વથા પર થઈ ગયેલા શ્રી જિનેશ્વરભગવંત તથા તેમની આજ્ઞા અને તે આજ્ઞાપાલનના ફળ સ્વરૂપ સિદ્ધપદને નમસ્કાર છે. સર્વદા અને સર્વથા પરાર્થ૨સિક પુરુષોને કરાતો નમસ્કાર તેમાં હેતુ છે. સર્વ પ્રયોજનોનું પ્રયોજન અવ્યાબાધ સુખ તેમજ સર્વ દુઃખનો આત્યંતિક ક્ષય છે. દુઃખક્ષય {ક્ષયથી છે. કર્મક્ષય ચિત્તસમાધિ વડે અને ચિત્તસમાધિ બોધિલાભ વડે થાય છે. બોધિનો લાભ દર્શનબોધિ, જ્ઞાનબોધિ અને ચારિત્રબોધિના સ્વામી શ્રી જિનેશ્વરભગવંતોને પ્રણામ કરવાથી થાય છે. સિદ્ધાદિનો પ્રણામ ગર્ભિત રીતે શ્રી જિનેશ્વરભગવંતોના પ્રણામરૂપ છે. કારણ કે જિનેશ્વરો જ કળ કર્મના ક્ષયથી સિદ્ધ, આચારના પાલનથી આચાર્ય, અધ્યાપક સ્વરૂપે પાઠક ઉપાધ્યાય અને સહાય સ્વરૂપે સાધુ અથવા મુનિ છે. તેમને કરેલો નમસ્કાર સર્વ પાપકર્મોનો, દુઃખ દારિદ્રયનો ચૂ૨ક છે અને સર્વ મંગળોનો - સમાધિ - બોધિનો જનક છે. સમાધિ સમતા સ્વરૂપ છે અને તે રત્નત્રય સ્વરૂપબોધિ અને તેની આરાધનાનું ફળ છે. જગતનાં તુચ્છ સુખોની ખાતર આત્માને ન ભૂલવો જોઈએ. નવકારમંત્ર આત્માની યાદ આપનાર છે. શુભાશુભ ઉભય પ્રસંગો જેવા કે જન્મ-મ૨ણ, સંપત્તિ-વિપત્તિ, આત્મીક કાર્ય કે સંસાર-વ્યવહા૨નું કાર્ય એ ઉભય પ્રસંગો કર્મકૃત છે એમ માની નિશ્ચલ મનથી નમસ્કાર-સ્મરણ, આત્મસ્મરણ કરવું અત્યંત જરૂરી છે. શ્રી નવકારને મહાશ્રુતસ્કંધ અને સર્વશ્રુતસ્કંધમાં વ્યાપક કહેલો છે, તેનું કારણ સર્વ શ્રુત આત્મજ્ઞાનને માટે ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ ૨૦૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy