SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમપદનું સામર્થ્ય વ્યવહારચારિત્ર એ અસહુનિવૃત્તિ અને સત પ્રવૃત્તિરૂપ છે. તે માટે જીવ સમાપત્તિ અર્થાત્ જીવમાત્ર સાથે એકતાની-સમત્વની બુદ્ધિ આવશ્યક છે. નિશ્ચયચારિત્ર આત્મરણતારૂપ છે. તે પરમાત્મસમાપત્તિની અપેક્ષા રાખે છે. વ્યવહારચારિત્રનું મૂળ અહિંસા છે. નિશ્ચયચારિત્રનું મૂળ ભક્તિ છે. બંનેમાં ધ્યાન વડે સ્પર્શતી એકતા અપેક્ષિત છે. નમો અરિહંતાણં' પદમાં ઉભય સમાપત્તિ સંગૃહીત થયેલી છે. અરિહંતાણં' વડે શત્રુભાવને મિત્રભાવે હણનારને નમસ્કાર થાય છે. તેમાં જીવ સમાપતિ મુખ્ય છે. “અહંતાણં ”માં જન્મ આદિને હણનારને નમસ્કાર થાય છે. તેમાં આત્મ સમાપત્તિ છે. “અરહંતાણં' પૂજ્યતમત્વને અભિવ્યક્ત કરે છે. પૂજ્યતાની પ્રાપ્તિ પ્રમોદભાવ અને કરુણાભાવને સૂચવે છે. તેમાં ઉભય પ્રકારની સમપત્તિ આવશ્યક છે. આત્મતત્ત્વની ઉજ્જવળતા પ્રત્યે પ્રમોદ અને હિનતા પ્રત્યે કરૂણા ઉત્પન્ન થવામાં સંગ્રહનયથી સર્વ જીવાત્મા સાથે એકતાની બુદ્ધિ કારણભૂત છે. એ માટે કહ્યું છે કે मैत्रीप्रमोदकारूण्य-माध्यस्थ्यमहितोदयम् । स्मरामि क्लेशनाशाय, जिनेशस्य पदद्वयम् ॥ અહીં જીવરાશિ સાથે મૈત્રી તે અપાયાપગમાતિશયનું બીજ છે. પ્રમોદ એ પૂજાતિશયનું, કરુણાએ વચનાતિશયનું અને માધ્યચ્ય એ જ્ઞાનાતિશયનું બીજ છે. એ રીતે “ સરદં ' ના ગર્ભમાં સુકૃતાનુમોદના, “દં 'ના ગર્ભમાં દુષ્કતગઈ અને “ના ગર્ભમાં શરણગમન અંતનિહિત છે. શ્રી નવકારના પ્રથમપદની આરાધના કરતાં આ બધી વિચારણામાં મનને બરાબર રોકવાથી કર્મબંધ અટકે છે, નિર્જરા વધે છે, તેથી આત્મશુદ્ધિ વધે છે. ઔદયિક ભાવ તે પ્રતિકૂળ ઉપસર્ગોની દશા છે. ક્ષાયોપશમિકભાવ તે અનુકૂળ ઉપસર્ગોવાળી અવસ્થા છે અને ક્ષાયિકભાવ તે ઉપસર્ગ રહિત અવસ્થા છે. કર્મની ઉદયાવસ્થા જીવને પ્રતિકૂળ છે, ક્ષયોપશમ અવસ્થા અનુકૂળ છે. પ્રતિકૂળ અવસ્થામાં ખેદોગ અને અનુકૂળ અવસ્થામાં હર્ષોલ્લાસ અનુભવાય છે, તેથી અનુક્રમે તે પ્રતિકૂળ અને અનુકૂળ ઉપસર્ગોની અવસ્થા છે. લાવિકભાવ પૂર્ણ અવસ્થા હોવાથી તેમાં હર્ષોગ અનુભવાતા નથી. તે અવસ્થા કાયમ રહેતી હોવાથી તેનું અભિમાન થતું નથી. અલિપ્તપણે તે દશા, પ્રાપ્ત ગુણોનો બીજા યોગ્ય આત્માઓમાં સંક્રમ કરાવીને અનેકનું કલ્યાણ કરનાર થાય છે. નિર્વિઘ્નપણે, સહજ રીતે અનેકાનેક આત્માઓનું કલ્યાણ કરનારી હોવાથી આ દશા જ ઉપાદેય છે. નમો વડે ઔદયિક ભાવોનો ત્યાગ, “અરિહં પદ વડે ક્ષાયોપશમિક અને ક્ષાવિકભાવોનો આદર અને તાણં' પદ વડે પ્રાપ્ત થયેલ ક્ષાયિકભાવો દ્વારા અનેકનું કલ્યાણ અને ત્રાણ થતું હોવાથી ઉપસર્ગ રહિત અવસ્થા પ્રાપ્ત કરવાનો તે પરમ ઉપાય છે. આમ “નમો અરિહંતાણં' પદની વિધિ અને બહુમાનપૂર્વકની આરાધના આત્માને સર્વકર્મથી મુક્ત કરી પરમ સુખ આપનારી થાય છે. એટલું જ નહિ પણ અનેકાનેક આત્માઓના કલ્યાણ કરનારી થાય છે. N પ્રથમપદનું સામર્થ્ય A ૨૦૩S ૨૦૩ R ) firs Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy