________________
સામાયિકાદિ શ્રુતજ્ઞાનનો સાર શરણ અને શરણનો સાર નિર્વાણ હોઈ શકે.
જ્યારે શ્રી નવકારનો સાર માત્ર શરણ કે નિર્વાણ જ નહિ, પણ તે કરતાં ઘણો ઘણો અધિક છે. અથવા શ્રી નવકાર એ મહા અગત્સ્ય મુનિ છે કે જેણે સંપૂર્ણ શ્રુતસાગર એક નાનકડા ઘૂંટડાની જેમ પી લીધો છે.
અરિહંતપદ એ જ આપણો સાચો આત્મા છે. અત્યારે જેને આપણે આપણો આત્મા માનીએ છીએ તે ખરી રીતે આત્મા જ નથી, અથવા તો તે કાયોત્સર્ગમાં વોસિરાવવા યોગ્ય છે.
અરિહંત જ સાચો આત્મા હોવાથી તેમનું સ્મરણ ધ્યાનાદિ કરતી વખતે જે પ્રગટ થાય તે જ આત્માનું સાચું સ્વરૂપ સમજવું જોઈએ. વિચારધારાને પણ ઋતંભર બનાવવાનો એ જ સાચો ઉપાય છે.
મંત્રાધિરાજ શ્રી નવકારનો અર્થ સાગરથી અધિક ઊંડો, હિમાલયથી અધિક ઊંચો અને પૃથ્વીપટથી પણ અધિક વિશાળ છે. સૂર્યની જેમ પ્રકાશમાન, ચન્દ્રની જેમ સૌમ્ય અને ઇન્દ્રની જેમ ઐશ્વર્યવાન છે.
* નમો હિંતાણં ' | અરિ એટલે શત્રુ, શત્રુ તે સંકલ્પ વિકલ્પ (રાગ-દ્વેષ-મોહાદિ), તેને હણનારાઓને નમસ્કાર થાઓ. એવો શ્રી નવકારના આ પ્રથમપદનો ભાવાર્થ આપણા ભાવના વિષયભૂત બને તો સ્વ-સ્વરૂપની કંઈક ઝાંખી થાય.
પરમેષ્ઠિ એટલે પરમપદે બિરાજનારા, ઉત્કૃષ્ટ સ્વરૂપમાં રહેનારા, સદા સમભાવમગ્ન આત્માઓ.
સ્વભાવની અપેક્ષાએ જીવ અતીન્દ્રિય છે. સ્વભાવ એટલે શુદ્ધ સ્વરૂપ. વિભાવ એટલે અશુદ્ધ સ્વરૂપ. તે અપેક્ષાએ જીવ ઈન્દ્રિયગોચર છે.
ચેતનાશક્તિ જીવનો સ્વભાવ છે. સુખ-દુઃખ, રાગ-દ્વેષ, ભાષા-આકૃતિ એ વિભાવ છે. કર્મજ પર્યાય છે. સ્વભાવ પુદ્ગલ નિરપેક્ષ છે. વિભાવ પુદ્ગલ સાપેક્ષ છે. શુદ્ધ દ્રવ્યાર્થિક નયથી જીવનું સ્વરૂપ અનિર્વચનીય છે. શુદ્ધ પર્યાયાર્થિક નયથી ચેતના યા અમૂર્તતા લક્ષણ છે.
આત્માને જાણવા માટે શબ્દ પ્રમાણ અથવા અનુભવ પ્રમાણ છે. અનુભવ માટે ચિત્તશુદ્ધિપૂર્વક એકાગ્ર ચિંતન એ સાધન છે.
ગુણવાનને નમસ્કાર કરવાથી ગુણની પ્રાપ્તિ અવશ્ય થાય છે. જેવું બેય હોય છે તેવો ધ્યાતા પણ બની જાય છે.
નમસ્કારપદાર્થ નમસ્કાર્યની પ્રભુતા અને નમસ્કારકર્તાની લઘુતાને પ્રગટ કરે છે તે દૈતનમસ્કાર છે.
રાગ-દ્વેષનો વિકલ્પ નાશ પામવાથી કેવળ સ્વરૂપનું જ ધ્યાન રહે છે તે અદ્વૈતનમસ્કાર છે. ચૈતનમસ્કાર અદ્વૈત નમસ્કારનું સાધન માત્ર છે.
ભક્તિભાવ એ નમસ્કારનું પ્રેરક, અંતરંગ બળ છે.
* નમો અરિહંતUT | ' એ પદ જેની જિલ્લાના અગ્રભાવે નિરંતર રમે તે જ શબ્દ બ્રહ્મમાં નિષ્ણાત ગણાય. જિવાઝ ઉપર શ્રી નવકારનું સતત રટણ પરમભક્તિ વિના કેવી રીતે બની શકે ?
| શ્રી નવકારનાં સ્તોત્રો અને સ્તુતિઓમાં શ્રી નવકારના અર્થની ક્યાંય સ્તુતિ નથી, સ્તુતિ માત્ર શ્રી નમસ્કારસૂત્રની જ છે.
મંત્ર તેને જ કહેવાય કે જેના રટણના પ્રભાવથી કાલ્પનિક અર્થ, વૈકલ્પિક અર્થ અસ્ત પામે અને મંત્રાલરોના પ્રભાવથી શુદ્ધ અર્થનો સાક્ષાત્કાર થાય.
કેવળ સૂત્રનો ઉપયોગ, મંત્રોના વર્ગોને વિષે એકાગ્રતા, તે જ પરમભક્તિ છે. અથવા તે જ પરમભક્તિને ઉત્પન્ન કરે છે. શ્રી નવકારના અક્ષરોનું રટણ જ પરમેષ્ઠિભગવંતો પ્રત્યે અત્યંત બહુમાનસૂચક છે.
છે સૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Sિ
i
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org