________________
મંત્રાધિરાજનું હાર્દ
શ્રી નવકારમાં એવું શું છે કે જે એને પ્રથમ મંગળ બનાવે છે ? પ્રથમ મંગળ એટલે અત્યારે આત્મામાં જે પુણ્ય પડેલું છે તેની આદિમાં નવકાર મંગળ છે. આ વાત સત્તાગત કર્મની છે. ઈષ્ટનો સંયોગ પુણ્ય વિના નથી. જે સાધનોથી આત્મામાં પુણ્ય આવ્યું, તે પ્રત્યેક સાધનમાં નમસ્કાર આદિમાં છે આ છે પ્રથમ મંગળનો અર્થ. મંગળોમાં શ્રેષ્ઠ જ નહિ પણ પ્રથમ શબ્દ અતિશય મહત્ત્વનો છે.
દરેક ઈષ્ટ સંયોગનું પહેલું કારણ શ્રી નવકાર છે. જાણતાં કે અજાણતાં જ્યાં પંચપરમેષ્ઠિભગવંતોને નમાઈ ગયું ત્યાં મંગળ થઈ જ ગયું. મંગળ તે થયું કે જે સર્વ દ્રવ્ય અને ભાવમંગળોનું પ્રથમ કારણ છે. દ્રવ્યમંગળ પણ તેને જ થાય કે જેનું પુણ્ય હોય અને પુણ્ય પણ તે છે કે જેની આદિમાં પરમ કારણરૂપે નમસ્કાર અવશ્ય પડેલ છે.
આ વિશ્વવ્યવસ્થા છે સનાતન નિયમ છે.
દાનાદિ શુભકાર્યો કરતી વખતે, પંચપરમેષ્ઠિને નહિ જાણનાર માણસના હૃદયમાં પણ જે ભાવ હોય છે તે પંચનમસ્કાર છે અને તે ચૌદપૂર્વનો સાર છે.
હવે પ્રશ્ન એ છે કે દ્રવ્યદાન અને ભાવદાનાદિ વખતે એવા કયા પાંચ તત્ત્વો વિદ્યમાન હોય છે કે જેને પાંચ પરમેષ્ઠિ કહી શકાય?
જેને આપણે પંચપરમેષ્ઠિ માનીએ છીએ, તેના હાર્દમાં એ પાંચ તત્ત્વો કાર્ય માત્રમાં પાંચ સમવાયની જેમ રહેલાં છે. એટલે આપણે એ પાંચનું જે સ્વરૂપ સમજીએ છીએ તેના કરતાં તે સ્વરૂપ તદ્દન જુદું છે.
શ્રુતના જેટલા શબ્દો શ્રી અરિહંતને સમજાવી રહ્યાં છે તેમાં તે દિવ્યરૂપ અવશ્ય છૂપાયેલું છે. શાસ્ત્રોના શબ્દોના જે અર્થ આપણે કરીએ છીએ તે મોટે ભાગે સ્પર્શ વિનાના છે અર્થાત્ તેને સ્પર્શગત અર્થ કહી શકાતો નથી.
શ્રી અરિહંતપદની અનુભૂતિ કરાવવા માટે શ્રી મહાનિશીથના શબ્દો પર્યાપ્ત છે. જગતના કોઈપણ ધર્મે ન વર્ણવ્યું હોય એવું દેવતાનું સ્વરૂપ શ્રી મહાનિશીથમાં કહેલું છે. તે જોવા માટે સમ્યગ્દર્શન જોઈએ.
બીજા ધર્મોએ કહેલ દેવતાનું સ્વરૂપ અનંતીવાર ભાવ્યા વિના શ્રી અરિહંતનું સ્વરૂપ સમજાય તેવું નથી. અંશને જાણ્યા વિના પૂર્ણને જાણવાની ક્ષમતા શી રીતે પ્રગટે ? મહાન જાણ્યા વિના મહત્તમને જાણવાની પાત્રતા
કઈ રીતે ખીલે ?
પહેલી વાત એ છે કે દેવતત્ત્વ શું છે એ જ લોકો નથી જાણતા. તો પછી દેવતત્ત્વનું પણ હાર્દ જે ‘અરિહંતપદ’ તેને બુદ્ધિમાં શી રીતે ઝીલી શકે ?
હજારો ભીમકાય કળશો વડે જન્માભિષેક, અંગુઠાના સ્પર્શ માત્રથી મેરુની ચલાયમાનતા વગેરે જે મહાવાર્તાઓ છે, તેમાં જ દેવતત્ત્વની પરિસમાપ્તિ કરી લેનાર દેવતત્ત્વના રહસ્યને કેવી રીતે સમજી શકે ?
સમ્યગ્દર્શનપદની મહત્તા છે. કારણ કે દૂરબીન સમાન તેના વડે દેવાધિદેવનાં દર્શન થાય તેમ છે. જે દિશામાં તત્ત્વ છે તે જ દિશામાં દૂરબીન બરાબર ધ૨વામાં આવે તો જ તે તત્ત્વનાં દર્શન થાય.
જે અરિહંતપદ, સિદ્ધપદ કરતાં વધુ સૂક્ષ્મ છે, પ્રથમ છે, તેને જાણવા માટે વધુ સૂક્ષ્મબુદ્ધિ જોઈએ. શાસ્ત્રોએ જે શબ્દો આપણી સામે ધર્યા છે તેનો વિચાર કરતાં બુદ્ધિ તેના ઉપર વારી જાય છે, ફીદા થઈ જાય છે. અરિહંતપદને અભિવ્યક્ત ક૨વા સૂત્ર જેવા શબ્દો આપણા જેવાને જડે પણ ક્યાંથી ?
મંત્રાધિરાજનું હાર્દ
Jain Education International
For Private & Personal Use Only
૧૯૫
www.jainelibrary.org