________________
‘નમો’ પદ પાંચ પ્રકારના સ્વાધ્યાય વડે પાંચ પરમેષ્ઠિઓને ઓળખવાની અને તેમના શુદ્ધસ્વરૂપને જાણવાની આંખ છે. આત્મતત્ત્વ માટેનાં આલંબનોને જાણીને, અને સદ્દહીને તસ્વરૂપ બનવાની ભાવનારૂપ છે. ‘નમો’ પદ એ પંચપરમેષ્ઠિભગવંતોનું એકાગ્ર ચિત્તે ધ્યાન કરવાની પ્રક્રિયા છે. ‘નમો’ પદ વડે ધર્મધ્યાનની પરંપરાએ શુક્લધ્યાનની યોગ્યતા પ્રાપ્ત થાય છે.
‘નમો’ પદ એ વાસીચંદનકલ્પ, જીવિત, મરણ, લાભ, અલાભ, માન અને અપમાનાદિ દ્વંદ્વોને અવગણીને શુદ્ધાત્મસ્વરૂપમાં રહેવાની કાયોત્સર્ગરૂપ પ્રક્રિયા છે એ રીતે આપ્યંતર તપના સર્વ પ્રકારોનું આરાધન જેમાં સંગૃહીત થયું છે એવું ‘નમો’ પદ સાગરથી પણ ગંભીર છે, સૂર્યથી પણ તેજસ્વી છે, ચન્દ્રથી પણ શીતળ છે. આરોગ્ય, બોધિલાભ અને સમાધિને આપવાવાળું છે.
અથવા ‘નમો’ પદ અનંત અને અગાધ એવા આત્મસ્વરૂપ ઉપર મનને લઈ જવા, કૂદકો અથવા છલાંગ ભરવા માટે કાયા, વાણી અને મનને સંકોચવાની ક્રિયા છે. દ્રવ્ય-ભાવ સંકોચ કરીને આત્મસ્વરૂપમાં પહોંચવા માટેનો ઉત્તમ વ્યાયામ છે.
उक्कोसो सज्झाओ, चउदसपुवीण बारसंगाई । ततो परिहाणीए, जाव तयत्थो नमोक्कारो ॥
ઉત્કૃષ્ટ સ્વાધ્યાય ચૌદપૂર્વધરોને બાર અંગનો હોય છે. મહાપ્રાણધ્યાન વગેરેના પ્રભાવે ચૌદપૂર્વધરો અંતર્મુહૂર્ત આદિ કાળમાં ચૌદે પૂર્વેનું પરાવર્તન કરે છે. દશપૂર્વધરોને દશ પૂર્વેનો સ્વાધ્યાય, નવ પૂર્વધરોને નવ પૂર્વનો એમ અનુક્રમે ઘટતાં ઘટતાં ત્યાં સુધી જાણવું કે જેને બીજું કાંઈ જ નથી આવડતું, તેને પંચ પરમેષ્ઠિનમસ્કારનો સ્વાધ્યાય હોય છે; કારણ કે તે દ્વાદશાંગનો અર્થ અથવા સા૨ છે.
इहलोगंमि तिदंडी सादिव्वं माउलिंगवणमेव ।
परलोए चंडपिंगल-हुंडियजक्खो य दिट्ठता ॥
નવકારનો પાઠ કરનારને આ જ જન્મમાં ત્રિદંડીથી ઉપલક્ષિત શિવકુમાર નામના શ્રાવકપુત્રને સુવર્ણપુરુષ, શ્રીમતી નામની શ્રાવક પુત્રીને દેવતાનું સાન્નિધ્ય અને બીજોરાના વનથી સૂચિત જિનદાસ નામના શ્રાવકને જીવિતવ્ય મળ્યું હતું. એ આ લોકના ફળનું પ્રતિપાદન કરનારાં દૃષ્ટાંતો કહ્યાં. ચંડપિંગલ નામના ચોર અને હુંડિક નામના યક્ષનાં દૃષ્ટાંતો પરલોકમાં અર્થાત્ અન્યભવમાં ફળનું પ્રતિપાદન કરનારાં છે.
‘ નમોપદનું ’માહાત્મ્ય
Jain Education International
For Private & Personal Use Only
૧૮૭
www.jainelibrary.org