SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નમસ્કારમહામંત્રી નમસ્કાર એ ઋણ મુક્તિનો મંત્ર છે. પોતાના માથે ઋણ છે એમ માનનાર વ્યક્તિ આપોઆપ નમ્ર બને છે, નિરહંકાર રહે છે. પ્રત્યેક જન્મમાં બીજા પર પોતે કરેલા અપકાર અને બીજાના પોતાના ઉપર થયેલા ઉપકારને યાદ રાખનારો સદા નમ્ર રહે છે. અપકારના બદલામાં ઉપકાર કરવા તત્પર રહે છે અને ઉપકારના બદલામાં પ્રત્યુપકાર કરવાની ભાવનાવાળો રહે છે. અપકારનો બદલો સમતાભાવથી સર્વ પ્રકારના કષ્ટો સહવામાં રહેલો છે અને ઉપકારનો બદલો આત્મજ્ઞાનથી વળે છે. આત્મજ્ઞાની પુરુષ વિશ્વ પર જે ઉપકાર કરે છે, તે એટલો મોટો હોય છે કે તેની આગળ તેના પર બીજાથી થયેલા બધા ઉપકારનો બદલો વળી જાય છે. દુઃખ આવે ત્યારે કર્મના વિપાકનું ચિંતન કરવાથી સમતાભાવ જળવાય છે, તેથી બીજા પર કરેલા અપકારોનું ઋણ ઉતરી જાય છે. “નમો’ મંત્ર અપકાર અને ઉપકાર બંનેનો બદલો એક સાથે વાળી શકે છે. તેનું કારણ તેની પાછળ કર્મવિપાકનો પણ વિચાર છે અને આત્મજ્ઞાન પામવાનો પણ વિચાર છે. કર્મ વિપાકનો વિચાર સર્વપાપનો નાશ કરે છે, આત્મજ્ઞાનનો વિચાર સર્વ મંગળોનું કારણ બને છે. ધર્મ માત્ર મંગળ છે. આત્મજ્ઞાન બધા ધર્મોનું ફળ છે. તેથી શ્રી અરિહંતાદિના નમસ્કાર વડે થતું આત્મજ્ઞાન એ સર્વ મંગળોમાં પ્રધાન મંગળ છે, નિત્ય વધતું મંગળ છે. જીવ કર્મથી બંધાયેલો છે એ વિચાર જેમ નમ્રતાને લાવે છે, તેમ કર્મથી મુક્ત થયેલા મહાપુરુષો પ્રત્યે અંતરથી થતું બહુમાન પણ નમ્રતાને લાવે છે. કર્મનો વિચાર પાપનું પ્રાયશ્ચિત કરાવે છે. ધર્મનો વિચાર પુણ્યનું બીજ બને છે. નમો’ મંત્રમાં કર્મનો અનાદર છે અને ધર્મનો આદર છે. કર્મનો બંધ પરાપકારથી થયો છે તેનો સ્વીકાર છે અને ધર્મની પ્રાપ્તિ પરોપકારથી થાય છે એનો પણ અંતઃકરણપૂર્વ સ્વીકાર છે. પોતાને ધર્મ પમાડનાર બીજા છે, તેથી ઉપકારીને નમસ્કાર એ જેમ ધર્મવૃદ્ધિનો હેતુ છે, તેમ બીજા પ્રત્યે કરવામાં આવતો ઉપકાર પણ ધર્મની વૃદ્ધિ કરે છે. ધર્મને પામવા માટે પણ પરોપકાર અને ધર્મને કરવા માટે પણ પરોપકાર આવશ્યક છે. અધર્મથી છૂટવા માટે અને ફરીથી અધર્મ ન કરવા માટે પણ નમસ્કાર આવશ્યક છે. એક નમસ્કાર અપરાધને ખમાવવા માટે છે અને એક નમસ્કાર ઉપકારને સ્વીકારવા માટે છે. ઉપકારનો સ્વીકાર પણ નમસ્કાર વડે થાય છે અને અપરાધની ક્ષમાપના પણ નમસ્કાર વડે થાય છે. નમસ્કારમહામંત્ર સર્વપાપનો પ્રાણાશક અને સર્વ મંગળોનું મૂળ કહેવાય છે. કારણ કે તે પાપના પ્રાયશ્ચિતની બુદ્ધિથી પાપ રહિત પુરુષોને નમનક્રિયારૂપ છે. પરાપકાર રહિત અને પરોપકાર સહિત પુરુષોને પરાપકાર રહિત અને પરોપકાર સહિત થવાની બુદ્ધિથી જે નમસ્કાર કરવામાં આવે છે તે ભાવનમસ્કાર છે અને તે ભાવનમસ્કાર પાપપ્રણાશક અને મંગળવર્ધક બને છે. ૧૮૦ રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy