SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ પુણ્ય વિના નવપદનું નામશ્રવણ પણ પ્રાપ્ત થતું નથી તો પછી તેના આદરની અને આરાધનાની પ્રાપ્તિની વાત જ ક્યાં રહી? નવ પ્રકારના પુણ્યના સેવનથી જેમ જેમ પુણ્યની અભિવૃદ્ધિ થાય છે, તેમ તેમ નવપદ સાથેનો સંબધ અને સાન્નિધ્ય વધુ પ્રગાઢ બને છે અને છેવટે આત્મા નવપદમય બને છે. નવપુણ્યના સેવનથી અઢાર પાપની શુદ્ધિ અને તે પાપ ન કરવાની વૃત્તિ ઉત્પન્ન થાય છે. માટે જીવનમાં નવપુણ્યની રુચિ અને પ્રવૃત્તિ વધારવી જોઈએ. જેમ પ્રકાશના આગમનથી અંધકાર સહજ રીતે ચાલ્યો જાય છે, તેમ પુણ્યના પ્રકાશથી પાપ અંધકાર પણ આપોઆપ વિલીન થઈ જાય છે અને આત્મા પુણ્યથી પુષ્ટ બની, ધર્મસાધનામાં વધુને વધુ ઉદ્યમશીલ બની મોલ-સિદ્ધપદ પ્રાપ્ત કરે છે. ઉપરોક્ત પુણ્યાનુબંધી નવપુણ્ય વડે અઢાર પાપોનો ક્ષય થાય છે, અરિહંતાદિ નવે પદોના આરાધક બનાય છે અને પરંપરાએ સિદ્ધપદની પ્રાપ્તિ થાય છે. આ વાતને સાપેક્ષ-દષ્ટિકોણથી આપણે વિચારી આવ્યા. જિનશાસનમાં અનેક નયો અને અપેક્ષાઓ વિદ્યમાન છે. એમાંના કોઈ નયને અનુલક્ષીને કરાયેલી આ વિચારણાને સમજી તદનુસાર જીવન જીવવા પ્રયત્નશીલ બનવું, એ જ માનવ-જન્મ પામ્યાનું ઉત્તમ ફળ છે. સૌ કોઈ તે માટે ઉજમાળ બનો એ જ એક પુણ્યાભિલાષા! પ્રેમનું પ્રતીક : “નમો શ્રી પંચપરમેષ્ઠિભગવંતોને ત્રણ જગત ઉપર અખંડ પ્રેમ છે, કરુણા છે, વાત્સલ્ય છે, નિઃસ્વાર્થસ્નેહ છે નિષ્કારણપ્રીતિ છે તેમની તે પ્રીતિ અકારણ હોવાથી પ્રકૃષ્ટ શુભ છે. ઉત્કૃષ્ટ બળવતી છે, સર્વ અશુભનો નાશ કરવા સમર્થ છે. અશુભની સામે શુભનું બળ ઘણું છે. આ વિશ્વમાં અશુભ ઘણું છે. તો શુભ પણ ઘણું છે. શ્રી પરમેષ્ઠિભગવંતોનો શુભભાવ એટલો બધો પ્રબળ છે કે તેની સામે અનંતાનંત જીવોનું અશુભ એકઠું થાય તો પણ પ્રચંડ દાવાનળની આગળ ઘાસના તૃણતુલ્ય છે. શ્રી પરમેષ્ઠિભગવંતોના શુભમાં આપણું શુભ મેળવીએ તો અશુભથી ડરવાનું કોઈ કારણ નથી. એ રીતે શ્રી પરમેષ્ઠિભગવંતો અભયને આપનારા છે. માત્ર એમના શુભ પ્રત્યે અને અકારણસ્નેહ પ્રત્યે આપણે નજર દોડાવવી જોઈએ. તેમના અત્યંતશુભમાં આપણું અતિઅલ્પ પણ શુભ મેળવી દેવું જોઈએ. એનું જ નામ “ નમો અરિહંતાણં ” “ નમો સિદ્ધાળું ” ઈત્યાદિ છે. છે જે : : નવધા પુણ્યથી નવપદઆરાધના ૧૭૯ SETT જ OD -Ser : E Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy