________________
સામાયિક અને નવકાર
સામાયિક એટલે સર્વ જીવો આત્મતુલ્ય છે એ સાધનાનો અભ્યાસ. શ્રી નવકાર એટલે પરમાત્મતુલ્ય પોતાના આત્માની સાધનાનો અભ્યાસ. જીવનમાં સામાયિક અને સ્મરણ-ધ્યાનમાં શ્રી નવકાર. સામાયિક એ જીવનમાં જીવવાનો અભ્યાસ છે. સામાયિકરૂપ પ્રત્યક્ષ જીવનના અભ્યાસ વડે શ્રી નવકારથી ફલિત પરોક્ષ મોક્ષ સુખની પ્રાપ્તિ થાય છે. એ રીતે કરેમિ ભંતે' નો “ક અને શ્રી નવકાર મંત્રનો ‘ન' પ્રાપ્ત થવો એ પરમ પુણ્યોદય છે. શ્રી કરેમિ ભંતે એ દ્વાદશાંગીનો સંક્ષેપ છે. શ્રી નવકાર એ દ્વાદશાંગીનો સાર છે. સંક્ષેપ એટલે ટૂંકો અર્થ, સાર એટલે ફળ. સામાયિકની યથાર્થ સાધના વડે શ્રી પરમેષ્ઠિપદની પ્રાપ્તિ થાય છે.
શ્રી અરિહંત પ્રથમ પરમેષ્ઠિરૂપ હોવા છતાં શ્રી પંચપરમેષ્ઠિમય છે. શ્રી અરિહંતના ધ્યાનથી શ્રી પંચપરમેષ્ઠિનું ધ્યાન થાય છે.
સામાયિક એ પરમેષ્ઠિ થવાની સાધના છે. શ્રી નવકાર એ સાધનાના પરિણામે મળનારા પદનો ઘોતક છે. શ્રી નવકાર એ નિશ્ચય રત્નત્રયીનું પ્રતીક છે. નિશ્ચય એ ફળ છે, વ્યવહાર એ સાધન છે. નિશ્ચય દષ્ટિ ય ઘરીજી, પાળે જે વ્યવહાર, પુણ્યવંત તે પામશેજી, ભવ-સમુદ્રનો પાર.
(ઉપા. શ્રી યશોવિજયજી મ.) વ્યવહારનું પાલન એ નિશ્ચયનું સાધન છે. નિશ્ચયનું ધ્યાન, વ્યવહારનું વિશોધક છે.
શ્રી નવકારને લક્ષ્યમાં રાખીને સામાયિકનું આચરણ કરનાર નિયમાં મુક્તિસુખને પામે છે. સામાયિકનો વ્યવહાર શુભ હોવાથી પુણ્યનો ઉત્પાદક છે. શ્રી નવકારનું ધ્યાન, લક્ષ્યને ઓળખાવનારું હોવાથી વ્યવહારને સુધારનારું છે. * શિવમસ્તુ પર્વ-જ્ઞાતિઃ ' એ સામાયિકનું પરિણામ છે.
વેદ, વેદાંગ, ન્યાય, મીમાંસા, ધર્મશાસ્ત્ર અને પુરાણોનું તાત્પર્ય જીવ-બ્રશૈક્ય છે. દ્વાદશાંગીનું રહસ્ય શ્રી પરમેષ્ઠિનમસ્કાર અને એ દ્વારા શુદ્ધાત્મસ્વરૂપનું પરિણમન છે.
નમસ્કાર એ અનુમોદન સ્વરૂપ છે. અનુમોદન અને પ્રમોદ-એ બે પર્યાય શબ્દો છે.
મનુ-પશ્વાતું મોવન, કર્યેા મોવ ” ગુણ જોઈને પહેલાં કે પછી ખુશ થવું, ઉત્કૃષ્ટપણે રાજી થવું તે અનુમોદન અને પ્રમોદ છે, નમસ્કાર તેનો સૂચક છે.
જો યમાં અનુમોદન કે પ્રમોદ ન હોય, જેને નમવામાં આવે છે તેના ગુણ ઉપર પક્ષપાત ન હોય, તે જે માર્ગે ગયા હોય, તે માર્ગે જવાની વૃત્તિ ન હોય અને તેમણે જે કર્યું હોય, તે જાણવાની ઈચ્છા સુદ્ધાં ન હોય તો
N ૧૭૬
ત્રલોક્યદીપક મહામંત્રાધિરાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org