________________
સાત અક્ષરોનું બનેલું આ પદ ત્રિભુવનની સઘળી રિદ્ધિ અને સિદ્ધિને આપણા ચરણોમાં પાથરી દેવાની અમાપ ક્ષમતા ધરાવે છે. પરંતુ તેને વાંચવા અને વિચારવાથી આપણને જે બોધ થાય છે, તેનો જો આપણે બરાબર અમલ કરી શકીએ તો અજ્ઞાનજન્ય જડતા તરફનો ઝોક જરૂર મોળો પડી જાય, અને તત્ત્વબોધ જરૂર પરિણમવા માંડે.
આ પદમાં ૨મણતા વધતાં ઉત્કૃષ્ટભાવના સ્વામી શ્રી અરિહંતપરમાત્માને ઉત્કૃષ્ટભાવે ભજવાની, સમર્પિત થવાની અદ્ભુત ક્ષમતા અનુભવગોચર થાય છે. તેની શરત છે અક્ષરમાં રમણતા, વિનશ્વરમાં અરમણતા-અરુચિ-અપ્રીતિ-અભાવ.
‘નમસ્કાર’ પદાર્થ જ નમસ્કરણીય ભગવંતોને નમવાનો સૂચક છે અને તેનો પ્રારંભ જાપથી થાય છે. આ જાપ ભવતાપહર્તા છે એવો અખૂટ વિશ્વાસ રહેવો જોઈએ, તો જ તેને સમર્પિત થવાનો વીર્યોલ્લાસ વધે છે. સર્વ શ્રેષ્ઠ યોગ : નમસ્કાર
શબ્દોના તરંગો હોય છે. તે તરંગોમાંથી હૃદય આસપાસ એક કુંડાળુ રચાય છે, તેમાંથી એક પછી એક અન્ય કુંડાળાં રચાય છે અને કુવિચારોનાં કૂંડાળાં નાશ પામે છે.
જેમ-જેમ હૃદય શુદ્ધ બને તેમતેમ અપવિત્ર વિચારો નાશ પામે છે અને પવિત્રવિચારનો કિલ્લો નિર્માણ થાય
છે.
પાપનું કૂંડાળું જાય અને પવિત્રતાના કૂંડાળાનું નિર્માણ થાય એટલે ‘‘સવ્વપાવપ્પણાસણો’’ - સર્વપાપનો નાશ થાય છે.શ્રી નવકાર એ માત્ર પાપનો નહિ, પાપી વિચારોનો પણ નાશ કરે છે.
આ સત્યનો અનુભવ થશે. ત્યાર પછી આપણી ચારે બાજુ ‘નમો અરિહંતાણં’’ નો ધ્વનિ સંભળાશે, પછી એકાગ્રતા આવશે.
આ પ્રાથમિક અવસ્થા છે.
શ્રી અરિહંતના ૧૨ ગુણો છે માટે તે શબ્દો હ્રદયમાં ૧૨ વખત તો જરૂર વાંચવા. ધ્યાનમાં જપ કરતાં હજારો ગણી અધિક તાકાત હોય છે.
અક્ષરો સફેદ અને તેજસ્વી વાંચવા. હૃદયમાં તે અક્ષરો લખેલા છે એમ કલ્પવું. હૃદયમાં કમળની કલ્પના કરી તેમાં શ્રી નમસ્કારને સ્થાપવો.
દરેક જીવને કોઈને કોઈ ન્યૂનતા સાલતી હોય છે. ઇંદ્ર કે ચક્રવર્તીને પણ આ ન્યૂનતા સાલતી હોય છે. પણ તે ન્યૂનતા શાની છે અને તે શી રીતે પૂર્ણ થાય તે સંબંધી જ્ઞાન હોતું નથી. તે ન્યૂનતા દૂર ન થાય ત્યાં સુધી જીવને કોઈ સંજોગમાં શાન્તિ મળતી નથી.
શ્રી અરિહંતદેવોએ સર્વ જીવો સાથે અભેદભાવ સાધ્યો હતો.
જ્યાં સુધી ‘‘જગતના જીવો આપણા છે અને હું તેઓનો છું'' તેવો ભાવ ન આવે ત્યાં સુધી કોઈ સાધના વેગવતી બનતી નથી.
માત્ર અરિહંત સાથે નહિ, પણ અરિહંત જેના સંબંધમાં છે તે સર્વ જીવો સાથે સંબંધ થાય તેનો આનંદ અવર્ણનીય હોય છે.
મૈત્રી તૂટે પણ મૈત્રીભાવ ન તૂટે. નવકાર મૈત્રીભાવ લાવી આપે છે.
શ્રી નમસ્કાર એ સિદ્ધમંત્ર છે. કારણ કે તે યોગસિદ્ધમહાપુરુષોનો કહેલો છે. અને કદી નિષ્ફળ જતો નથી.
Jain Education International
મંત્રજપ
For Private & Personal Use Only
૧૭૫
www.jainelibrary.org