________________
મંત્રજપ
અંદરથી બહાર આવતાં સુધીમાં શબ્દમાંની ઘણી શક્તિ ઓછી થઈ જાય છે. માટે પોતાના ઇષ્ટદેવનું નામ દરેકે બને ત્યાં સુધી મૌનપણે જપવું જોઈએ. તેમ છતાં જેને તેમ જપવું ન ફાવતું હોય તેણે પાસે બેઠેલા માણસો ન સાંભળે તેમ જપવું જોઈએ અને જ્યારે તેમાં પણ મન ન લાગે ત્યારે જ ભાષ્ય જાપનો આશ્રય લેવો જોઈએ.
પરાવાણી બીજ જેવી છે, પશ્યન્તી થડ જેવી છે, મધ્યમા ડાળ જેવી છે, વૈખરી પાંદડાં જેવી છે. જે વાણી આપણે મુખથી બોલીએ છીએ અને કાનથી સાંભળીએ છીએ તેને વૈખરી વાણી કહેવાય છે. જે વાણી સંકેત, મુખાકૃતિ, ભાવ ભંગી કે આંખોથી બોલાય છે તેને મધ્યમા વાણી કહેવાય છે. જે વાણી મનમાંથી નીકળે છે અને જેને મન સાંભળી શકે છે તેને પશ્યન્તી વાણી કહે છે.
જે વાણી આકાંક્ષા, ઇચ્છા, નિશ્ચય, શાપ, વરદાન આદિ રૂપે અંતઃકરણમાંથી નીકળે છે તેને સંકલ્પ અથવા પરાવાણી કહેવાય છે.
મતલબ કે વાણીના સંકલ્પ, વિચાર, ભાવ અને ઉચ્ચાર એમ ચાર પ્રકાર છે.
દુર્ભેદ્ય વજદિવાલોને પણ ભેદીને આગળ વધવાની સર્વત્ર વિસ્તારવાની અમાપ શક્તિ શબ્દમાં રહેલી છે. એટલે જો કોઈ એમ માનતું હોય કે મૌનપણે થતો જાપ દુનિયાને લાભદાયી નીવડે નહિ તો તે માન્યતા બરાબર નથી. ખરી તાકાત જ માનસ જાપમાં છે, એનાથી ઓછી ઉપાંશુ જાપમાં અને એનાથી ઓછી ભાષ્યજાપમાં છે.
વૈખરીવાણી કરતાં શતગુણી અધિક અસર મધ્યમાવાણી કરે છે. મધ્યમાં કરતાં શતગુણી અધિક અસર પશ્યન્તી વાણી કરે છે અને પશ્યન્તીવાણી કરતાં શતગુણી અધિક અસર પરાવાણી કરે છે,
માટે જ પ્રગટ કાર્ય કરતાં અપ્રગટ કાર્યનું આ સંસારમાં અનાદિકાળથી વિશેષ મહત્ત્વ છે. અપ્રગટ એટલે કે છૂપું પાપકાર્ય જેમ ઘણા અંતરાયો જન્માવે છે તેમ છૂપું પુણ્યકાર્ય પણ સંસારી જીવને ઘણી સાનુકૂળતાઓ બક્ષે છે.
પાકાં અને ખરી પડતાં ફળ જેના ઉચ્ચારની અસરથી આપણે જેટલા પરિચિત છીએ તેટલા ભાવ, વિચાર અને સંકલ્પની અસરથી પરિચિત નથી અને તેથી જ આપણું ધ્યાન તેના તરફ ખેંચાતું નથી.
સ્વ-પર શ્રેયવાંચ્છુ આત્માઓએ બને ત્યાં સુધી સંકલ્પના સબળ વાહનમાં બેસીને જ સંસારમાં ફરવું જોઈએ, નહિ કે ઉચ્ચારણના રગસીઆ ગાડામાં બેસીને.
શ્રી નવકાર જેવો મહામંત્ર જેમને પૂર્વપુણ્યના બળે વારસામાં મળ્યો છે, તે જૈન બંધુઓનું જીવન દિવ્ય તેજે ઝળહળતું હોય, પરંતુ શ્રી નવકારના અક્ષરોમાં એકાકાર થવાની સફળ એકાગ્રતાના અભાવે તેમાંના કેટલાક આજે દુઃખી અને અસંતોષી જણાય છે. કારણ કે તેમને જેટલી શ્રદ્ધા સંસારના સંબંધોથી મળનારા લાભોમાં છે, તેટલી શ્રી નવકારના અક્ષરોના જાપથી મળનારા લાભમાં નથી.
પરાવાણીવડે પરમાત્મા સાથે વાતચીત કરવામાં જે સુખ સમાયેલું છે, તે સુખ દેવલોકના સ્વામી ઈન્દ્રને પણ ઈષ્ય ઉપજાવે તેવું છે.
આંતરશરીરની સમગ્ર પ્રક્રિયાને વિશ્વમય જીવનમાં ઢાળનારી ઊર્મિઓ તથા પ્રકારના અક્ષરોના બનેલા શબ્દોમાં છે પરમમંત્ર શ્રી નવકાર એવા અડસઠ અક્ષરોનો બનેલો છે. તેના ગાઢ સંબંધથી કર્મનો સમૂહ, સિંહને જેઈને નાસતા હરણાંના ટોળાની જેમ નાસવા માંડે છે. બહારના વાતાવરણ ઉપર આત્મભાવની સંગીન પ્રભા તરવરવા માંડે છે.
INSTATE
N
મંત્રજ૫
1
હું ૧૭૩ પS
૧૭૩.
1
iTts
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org