________________
* કરુણાથી ભરેલું કોમળ હૃદય હતું, * સકલસત્વનું હિત ધરાવતો આશય હતો, * રગેરગમાં, રોમે-રોમમાં નવકારની પરિણતિ હતી, * મનનશીલ મન હતું, * ચિત્તમાં ચિંતન હતું અને
* અહં અહરૂપ હતો. ત્યારે આ ગુરુદેવ આપ...!
* પવિત્ર મુખમુદ્રા, * વિશુદ્ધ દિનચર્યા, * પરિમિત બોલવાની આગવી ઢબ, * અદ્ભુત ચિંતન, * લખવાની અનોખી રીત, * સારા-નરસા, અનુકૂળ-પ્રતિકૂળ પ્રસંગોમાં ચિત્તની સમતુલા, * અખંડ પ્રસન્નતા-શાંતિ, * પ્રત્યેક વ્યક્તિ સાથે મૈત્રીભાવનો ઉષ્માભર્યો વ્યવહાર, * શુદ્ધિ-ભક્તિ અને મૈત્રી જેવા શ્રેષ્ઠ ગુણો, * પ્રશમરસનિમગ્ન, ધ્યાનસ્થ નીચાં ઢળતાં નયનો, * સદાયે સ્મિતથી ભરેલું છતાં ગંભીર મુખડું,
પદ્માસનયુક્ત વિશાળ પલાંઠી, * વાત્સલ્યની વહેતી ગંગોત્રી સમું હૈયું,
આજાનુબાહું-લાંબા હાથ, * સૌમ્ય-પ્રસન્ન આત્મસ્પર્શી આકૃતિ અને * હૈયામાં પ્રભુની પ્રીત જેવી અનેક વિશેષતાઓના જેઓ સ્વામી હતા. એવા ઓ...! પરમ ગુરુદેવ...આપને...
અનંત અનંત નમસ્કાર હો...!!!
-સંકલક : મુનિ હેમપ્રભાવિજય
(૧. પૂજ્યપાદશ્રીના જીવનમાં ડોકિયું કરીને તેમાંથી ફકત એક સામાન્ય અંશ જ અહિં બતાવી શકાયો છે અને તે પણ એટલા માટે જ કે કૈલોક્યમાં દીપકસમાન નમસ્કાર મહામંત્રને આવી દિવ્યતાપૂવર્ક પ્રગટ કરનાર મહાપુરુષ કોણ હશે એવો પ્રશ્ન અપરિચિતોને થાય તેથી એમના પરિચયમાં નહિ આવેલાને તેમના જીવનની આછેરી ઝલક મળે તે આશયથી ટુંકમાં જીવન પ્રસંગો જણાવેલ છે. વિશેષ “પૂજ્ય પંન્યાસજી મહારાજા” નામના ચરિત્રગ્રંથમાંથી જાણી શકાશે.)
ત્રિલોક્યદીપક-મહામંત્રાધિરાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org