________________
લઈ, જીવત્વના બહુમાનમાર્ગે જીવનને દોરી જાય છે. તેથી તેનું પુનઃ પુનઃ રટણ, સ્મરણ પઠન, ચિંતન, ધ્યાન એકાંત હિતકારી છે. અમૂલ્ય ભેટયું
શ્રી નવકાર એ સારની પોટલી છે. શ્રી નવકાર એ રત્નની પેટી છે. શ્રી નવકાર એ ભવાટવીનો ભોમિયો છે. શ્રી નવકાર એ ભવસમુદ્રની દીવાદાંડી છે. શ્રી નવકાર એ ધ્રુવનો તારો છે. શ્રી નવકાર એ શ્રી તીર્થંકર પરમાત્માનું અમૂલ્ય ભેટશું છે.
શ્રી તીર્થંકર પરમાત્માઓ તરફથી જગતના જીવોને એક શ્રી નવકારનું ભેટશું એવું છે કે તે જ્યાં સુધી રહેશે ત્યાં સુધી તેઓનો સંસાર ઉપર અનન્ય ઉપકાર, બીજાઓના સર્વ ઉપકાર ભેગા મળીને પણ જે લાભ ન કરે તેટલો મોટો લાભ કરે છે, અને કરશે.
सव्वंपि बारसंगं परिणामविशुद्धिहेनमित्तागं । तत्कारणमित्ताओ किह न तयत्थो नमोक्कारो ? ॥
સઘળુંય દ્વાદશાંગ પરિણામની વિશુદ્ધિ માટે જ રચાયેલું છે તેથી પરિણામવિશુદ્ધિમાત્રના કારણભૂત એવા નમસ્કારને દ્વાદશાંગાથે કેમ ન કહેવાય ? નમસ્કાર એ પરમપુરુષ પરિમેષ્ઠિઓના નામોત્કીર્તનરૂપ હોવાથી પરિણામવિશુદ્ધિના કારણ સ્વરૂપ છે, તેથી તેને બાર અંગના અર્થભૂત કે રહસ્યભૂત અવશ્ય કહેવાય.
" नवकारओ अन्नो सारो मंतो न अस्थि तियलोए ।
તાંદુ અજુનિં વિગ પહેચવો પણ બત્તી છે. ” ત્રણ લોકમાં નવકારથી સારભૂત અન્ય કોઈ મંત્ર નથી, એટલા માટે તેને પ્રતિદિન પરમ ભક્તિથી ભણવો જોઈએ.
૧૬૬
વૈલોક્યદીપક મહામંત્રાધિરાજ
જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org