SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવનું કારણ બને છે. ક્રિયા એ દ્રવ્ય છે તેમાંથી ભાવ પેદા કરવા માટે એ ક્રિયાની પાછળ ક્રિયાકારકને ભાવનું જ્ઞાન થવું જોઈએ. એવું ચોક્કસ જ્ઞાન, નામ અને સ્થાપનાથી થાય છે. નમસ્કાર એક પ્રકા૨ની શરણાગતિ છે. નમસ્કાર એ સમુદ્રમાં નદીને મળી જવાની ક્રિયા છે, ભગવદ્ભાવમાં આત્મવિસર્જન છે. નમસ્કારનું પ્રયોજન પ્રેમ છે. પ્રેમની પૂર્વાવસ્થાનું નામ, ભાવ અથવા રિત છે. ભાવ એ મનની અવસ્થા વિશેષ છે. પરમેષ્ટિભગવંતો પ્રત્યે રતિભાવ નમસ્કાર વડે કેળવાય છે. અનાદિકાલિનમંત્ર જૈનોનો એકમાત્ર મૂળમંત્ર શ્રી નવકાર અનાદિકાલીન છે. ક્રોડો શ્લોકોવાળા દૃષ્ટિવાદથી જે સાધી શકાય છે તે આ નવપદવાળા નાના શ્રી નવકારમાં રહેલા વિશાળ અર્થના ચિંતન દ્વારા સહજ પ્રાપ્ત થઈ જાય છે. એ કારણે એને ચૌદ પૂર્વનો સાર અને સર્વસ્મરણોમાં પ્રથમ માનેલ છે. શ્રી નવકારના સ્મરણ, મનન, ચિંતન અને ધ્યાનથી પ્રમોદભાવના જાગૃત થાય છે અને તેની વૃદ્ધિ થવાથી કોઈને કોઈ ભવમાં શ્રી નવકારના કોઈ એક પદમાં સ્થાન પામવાની પાત્રતા અવશ્ય પ્રાપ્ત થાય છે. શુભભાવોની સાધના અને સિદ્ધિનું કારણ હોવાથી શ્રી નમસ્કારમંત્ર, સર્વોત્તમ મંત્ર અને પ્રથમમંગળ મનાય છે. જ્ઞાનીઓના કથન મુજબ આ મંત્ર સમૂળ પાપોચ્છેદક છે. ભક્તિનો સંચાર વિશ્વમાં સહુ કોઈ પોતાનું મંગળ અને કલ્યાણ ઈચ્છે છે. નમસ્કારમંત્ર પરમમંગળરૂપ છે. તેના સ્મરણાદિથી કાર્યની આદિથી અંત સુધીમાં આવનારાં વિઘ્નો ટળી જાય છે. જેટલા શ્વોસોચ્છ્વાસ આ મંત્રથી ભરાય છે અર્થાત્ આ મંગળકારી મંત્રના સ્મરણમાં વપરાય છે, તેટલા આત્મહિતકારી છે એવું શ્રી વીતરાગનું વચન છે. આ મંત્ર, જગતના સર્વગુણીપુરુષો પ્રત્યે નમ્રતાનો સૂચક છે. ગુણીપુરુષોની ગુરુતા અને પોતાની લઘુતાનું સતત ભાન કરાવે છે. પરમેષ્ઠિભગવંતો સર્વથી મહાન છે. તેમની આગળ હું અતિઅલ્પ, લઘુ, તુચ્છ છું. આ રીતે પોતાનું લઘુત્વ અને પરમેષ્ઠિઓનું ગુરુત્વ સ્થાપિત થતું હોવાથી આ મંત્રવડે અવિઘા, અહંકાર અને તજ્જન્ય જન્માદિ દોષો નાશ પામે છે. અવિદ્યા, અહંકાર ટળવાથી બુદ્ધિ નિર્મળ થાય છે. નિર્મળ બુદ્ધિથી થયેલું કાર્ય સફળ થાય છે. સફળતા મેળવવાનો પ્રથમ ઉપાય બુદ્ધિની નિર્મળતા છે. નમસ્કાર વડે તે સિદ્ધ થાય છે. નમસ્કાર વડે નમ્રભાવ આવે છે. ગુરુની ગુરુતા અને પ્રભુની પ્રભુતાનું ચિંતન થાય છે. તેમની મહત્તા અને પોતાની અલ્પતાનું ભાન થતાં હૃદયમાં ભક્તિનો સંચાર થાય છે. સિદ્ધિનું બીજ પાપવિમુક્તિ માટે સર્વથા પાપરહિત પુરુષોને કરાતો નમસ્કાર, અંતઃકરણની શુદ્ધિ કરાવી સકળ પુરુષાર્થની સિદ્ધિનું બીજ બને છે. જીવત્વનું બહુમાન જડ પ્રત્યેનો આદર આકર્ષણ, પ્રીતિ, બહુમાન, પ્રમોદ, અનુમોદન વગેરે પાપપ્રકૃતિનો રસ નિકાચે છે. તેનાથી બચવા માટે શ્રી નવકારનો આશ્રય અનિવાર્ય છે. એક નવકાર જ જડત્વના બહુમાનથી જીવને બચાવી શ્રી નવકાર અને શ્રી સિદ્ધચક્ર Jai Education International For Private & Personal Use Only ૧૬૫ www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy