SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ લાલા લ૦ શ્રી નવકાર અને શ્રી સિદ્ધચક્ર ૦ શ્રી નવકાર શ્રતરૂપ છે. શ્રુતજ્ઞાન એ પાંચ જ્ઞાનમાં સ્વ-પર-પ્રકાશક છે તેથી મુખ્ય મંગળ છે. પાંચ જ્ઞાન મંગળરૂપ છે, ભાવમંગળરૂપ છે. તેથી ભાવસંવર અને કર્મક્ષય થાય છે. શ્રી નંદીસૂત્રમાં જ્ઞાનને મંગળરૂપ માન્યું છે, કારણ કે તે આત્મગુણરૂપ છે. આત્મગુણનું ધ્યાન એ આત્માનું જ ધ્યાન છે. આત્મધ્યાનથી આત્મજ્ઞાન થાય છે. અને આત્મજ્ઞાન એ કર્મક્ષય તેમજ મોક્ષનો હેતુ બને છે. શ્રી સિદ્ધચક્ર એ નવપદો અને તેના પરિવારરૂપ સકળ લોકમાં રહેલા શ્રેષ્ઠપદાર્થોનો વ્યવસ્થિત ચક્રાકાર સંગ્રહ છે. તેથી તેનું ધ્યાન શ્રી નવકારરૂપી શ્રુતવડે અસ્પષ્ટપણે ઓળખાયેલા શ્રી પંચપરમેષ્ઠિભગવંતો અને તેમના મહિમાનો સ્પષ્ટપણે બોધ કરાવે છે. શ્રુતજ્ઞાન એ પરોક્ષ પ્રમાણ છે. એટલે તેના વડે થતો બોધ અસ્પષ્ટ અને ઝાંખો હોય છે. શ્રુતનો વિષય સામાન્ય છે. વિશેષનો બોધ માત્ર શાબ્દિક જ્ઞાનથી નહિ પણ વસ્તુના ધ્યાનથી થાય છે. ધ્યાન વડે શાબ્દિક બોધ સ્પષ્ટ થાય છે. સામાન્યધર્મનું જ્ઞાન હતું તે વધીને વિશેષધર્મનું ભાન કરાવે છે. ક્રમ આ પ્રમાણે છે. પ્રથમ મતિજ્ઞાન-ઇન્દ્રિયો અને મન વડે, થાય છે, પછી શ્રુતજ્ઞાન કેવળ મન વડે થાય છે, પછી અનુભવજ્ઞાન થાય છે અને તેનો ઉપાય ધ્યાન છે. શ્રુતવડે જાણેલા પદાર્થોને અનુભવગોચર કરવા માટે ધ્યાન અનિવાર્ય બને છે. જ્ઞાનને કાર્યકારી કરવા માટે ધ્યાનની આવશ્યકતા છે. જ્ઞાનની સામગ્રી શ્રી નવકાર પૂરી પાડે છે. ધ્યાનની સામગ્રી સિદ્ધચક્ર વડે પૂરી થાય છે. જ્ઞાન વડે સામાન્યબોધ થાય છે, તે જ બોધ ધ્યાન વડે વિશેષ બને છે, સ્પષ્ટ થાય છે, અપરોક્ષપણે અનુભવાય છે. શ્રી નવકાર ભાવમંગળ છે, ભાવમંગળ આત્મ પરિણામરૂપ છે. દ્રવ્યનમસ્કાર જ્ઞાન, શબ્દ અને ક્રિયા વડે થાય છે. ભાવ-નમસ્કાર જ્ઞાન, શબ્દ અને ક્રિયાના સમન્વય વડે અંતરાત્મામાં પ્રગટ થાય છે. જ્ઞાન વડે અંતરમાં નમસ્કારનો જે આકાર પ્રતિભાસિત થાય છે તે સ્થાપના નમસ્કાર છે. કેમકે જ્ઞાન એ વિષયાકાર બનીને શેયને જણાવે છે. શબ્દના ઉચ્ચારણરૂપ નમો એ નામ નમસ્કાર છે. ક્રિયારૂપ નમસ્કાર એ દ્રવ્યનમસ્કાર છે. દ્રવ્યથી ભાવ ઉપજે છે. નામ અને સ્થાપના, અભિધાન અને આકાર વડે ભાવની સાથે સંબંધ ધરાવે છે, અભિધાન અને અભિધેય વચ્ચે વાચ્ય-વાચક સંબંધ છે. આકારને ભાવ સાથે સ્થાપ્યસ્થાપક સંબંધ છે. એક સંબંધીનું જ્ઞાન અપર સંબંધીનું સ્મારક બને છે. એ ન્યાયથી નામ અને સ્થાપના, ભાવનું સ્મરણ કરાવે છે. દ્રવ્ય સ્વયં ભાવ સ્વરૂપ બને છે. દ્રવ્ય એ કારણ અવસ્થા છે, ભાવ એ કાર્ય અવસ્થા છે. નામ અને સ્થાપના કાર્યને ચિત્રની અંદર લાવે છે, ભાવનું પ્રણિધાન કરાવે છે. પ્રણિધાનપૂર્વક થયેલી ક્રિયા N ૧૬૪ આ ગૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Jain Education International For Private & Personal Use Only www.jamemorary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy