________________
વિષે નવકાર મુખ્ય છે. તેથી શ્રી જિનશાસનમાં શ્રી નમસ્કા૨મહામંત્રને સૌથી વિશિષ્ટ સ્થાન અપાયેલું છે. અને સર્વ આરાધનાઓમાં તેની આરાધના મુખ્ય છે.
‘નવ લાખ જયંતા નરક નિવારે’ તથા ‘નવ લાખ જપતાં થાયે જિનવર' ઇત્યાદિ સુભાષિતો ‘નવકાર’ની શ્રેષ્ઠતાને સાબિત કરવા માટે પરમપ્રમાણરૂપ છે.
અંતસમયે શ્રુતધોને પણ અન્ય સઘળા શ્રુતનું અવલંબન છોડીને એક શ્રી નવકારનું જ અવલંબન લેવાનું શાસ્ત્રકારોનું ફરમાન છે.
ઘર સળગે ત્યારે ઘરનો સ્વામી બીજી બધી વસ્તુઓને જતી કરીને આપત્તિ નિવારણ માટે સમર્થ એવા એક મહારત્નને જ ગ્રહણ કરે છે, અથવા રણસંકટ વખતે સમર્થ સુભટ પણ જેમ શેષશસ્ત્રોનો ત્યાગ કરીને એક અમોઘશસ્ત્રને જ ગ્રહણ કરે છે, તેમ અંત સમયે મહારત્ન સમાન અથવા કષ્ટ સમયે અમોઘ શસ્ત્ર સમાન એક શ્રી નવકારને જ ગ્રહણ કરવાનું શાસ્ત્રવચન છે.
આ વચન પ્રોમીસરીનોટ કરતાં પણ અધિક વિશ્વસનીય (Promishing) છે. કારણ કે તેનો બોજ ઓછો છે અને મૂલ્ય ઘણું જ છે. બોજ એટલા માટે ઓછો છે કે તેના અક્ષરો માત્ર અડસઠ (૬૮) જ છે. મૂલ્ય એટલા માટે અધિક છે કે તે ધર્મ વૃક્ષના મૂળને સિંચે છે, ધર્મમહેલના પાયા તરીકેનું કાર્ય કરે છે, ધર્મનગરમાં પ્રવેશ કરવાના દ્વારરૂપ બની રહે છે અને વાત પણ સાચી જ છે, કારણ કે તે સકળલોકના શ્રેષ્ઠપુરુષોને પ્રણામરૂપ છે, તેઓના હાર્દિક વિનયરૂપ છે, તેઓના સત્યગુણોના ભાવપૂર્વકના સમુત્કીર્તન સ્વરૂપ છે તેથી યથેચ્છફળને સાધી આપનાર
છે.
શ્રી નવકારમંત્રની આરાધના સ્વરૂપ એકડાને સિદ્ધ કર્યા વિના જેઓ ધર્મનાં અન્ય અનુષ્ઠાનો વડે યથેચ્છ ફળની આશા સેવે છે, તેઓ બારાખડી ભણ્યાવિના જ સકળ સિદ્ધાન્તના પારગામી થવાની મિથ્યા આશા રાખનારા છે. શ્રી નવકાર એ ધર્મ-ગણિતનો એકડો છે અથવા ધર્મ-સાહિત્યની બારાખડી છે.
જેમ ‘ એકડા ’નો કે ‘ બારાખડી’નો પ્રથમ અભ્યાસ બાળકને કષ્ટદાયી ભાસે છે તથા અતિ પ્રયત્ને સાધ્ય હોય છે, તેમ ધર્મના ‘ એકડા’ કે ‘ બારાખડી’ સ્વરૂપ શ્રી નવકારનો પણ યથાસ્થિત અભ્યાસ, ધર્મ માટે બાળક તુલ્ય જીવોને શરૂશરૂમાં અતિ કષ્ટસાધ્ય અને અરુચિકર લાગે છે, તોપણ તે કસોટીમાંથી પસાર થયા વિના આજ સુધી કોઈની પણ સાચી પ્રગતિ ધર્મમાર્ગમાં સિદ્ધ થઈ શકી નથી. થઈ શકતી નથી. થઈ શકશે નહિ - એ ત્રિકાલાબાધ્ય નિયમ છે.
શ્રી નવકા૨નો એ અભ્યાસ આકરો કે અરુચિકર માનીને જેઓ છોડી દે છે અથવા તેની ઉપેક્ષા કરે છે, તેઓ પોતાના ધાર્મિક જીવનની જ ઉપેક્ષા કરે છે એમ કહેવું જરા પણ ખોટું નથી.
શ્રી જિનશાસનમાં પ્રત્યેક ધર્મક્રિયાના પ્રારંભમાં શ્રી નવકારના સ્મરણની આજ્ઞા કરવામાં આવી છે, તેની પાછળ જે ગંભીર રહસ્ય છૂપાયેલું છે તે આથી વ્યક્ત થાય છે.
ઊઠતાં કે બેસતાં, સૂતાં કે જાગતાં, ઘરમાં કે ઘર બહાર, જીવતાં કે મરતાં અર્થાત્ જીવનની પ્રત્યેક અવસ્થામાં શ્રી નવકારની અંદર ચિત્તને પરોવવાનો અભ્યાસ પાડવાની શાસ્ત્રકારોની આજ્ઞાનું ૫૨મરહસ્ય સમ્યગ્દષ્ટિ, શાસ્ત્રાનુસારી વિચારસરણીવાળા જીવોના ખ્યાલમાં તરત આવી શકે એમ છે અને એ ખ્યાલ આવ્યા પછી આત્મહિતના વિશેષ અર્થી આત્માઓને, અધિકાધિક સંખ્યામાં શ્રી નવકારને ગણવાનું શાસ્ત્રીયપ્રતિપાદન કેટલું બધું મહત્ત્વનું છે તે પણ સમજાયા વિના રહેશે નહિ.
આ મંત્રાધિરાજનો મહિમા વર્ણવતાં કલિકાલસર્વૈજ્ઞભગવંત શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી ફરમાવે છે કેकृत्वा पापसहस्राणि, हत्वा जंतुशतान्यपि । अमुं मंत्रं समाराध्य, तिर्यंचोऽपि दिवंगता ॥ અર્થ :- હજા૨ો પાપ અને સેંકડો જીવોની હિંસા કરનારા તિર્યંચો પણ આ મંત્રને સભ્યપ્રકારે આરાધીને દેવગતિને પામ્યા છે
આવા અણમોલમંત્રને પામેલા સહુના હૃદયમાં શ્રી પંચપરમેષ્ઠિભગવંતોની ભાવપૂર્વકની ભક્તિનો ઉલ્લાસ અહર્નિશ વધતો રહો.
૧૬૦
Jain Education International
For Private & Personal Use Only
ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ
www.jainelibrary.org