________________
અણમોલ-મહામંત્ર
કોઈપણ વસ્તુની ઉપાદેયતા તેના ફળ પર અવલંબેલી છે. જેનું ફળ સર્વશ્રેષ્ઠ તેને વિષે બુદ્ધિમાન પુરુષોની પ્રવૃત્તિ સર્વથી અધિક. આ નિયમ ધાર્મિક, સાંસારિક સર્વક્ષેત્રોમાં એકસરખો પ્રવર્તી રહેલો છે. - જેનાથી ઉભયલોકનું કલ્યાણ સિદ્ધ થાય તે ધાર્મિકક્ષેત્ર ગણાય છે. જેનાથી કેવળ આ લોકના સુખની સિદ્ધિ થાય તે ક્ષેત્ર સાંસારિક છે.
આ લોકનાં સઘળાં પ્રયોજનોની સિદ્ધિનો આધાર મુખ્યત્વે ધન ઉપર અવલંબે છે, તેથી ધન મેળવવા તરફ સંસારીઓની પ્રવૃત્તિ વિશેષ ઝૂકેલી રહે છે.
જેઓને આ લોક સાથે પરલોકના પ્રયોજનની સિદ્ધિનો પણ હેતુ રહેલો હોય છે, તેઓ ધનોપાર્જન કરતાં પણ ધર્મોપાર્જન માટે વિશેષ પ્રયત્નશીલ રહે છે.
ધનનો અર્થી જેમ સઘળા પ્રકારનાં ધનમાં રત્નોને મુખ્ય સ્થાન આપે છે, તેમ ધર્મનો અર્થ એવો બુદ્ધિમાન મનુષ્ય પણ હંમેશાં અલ્પબોજ અને મહામૂલ્યવાળી વસ્તુને જ વધારે ઝંખે છે.
શ્રી નમસ્કારમહામંત્રને શાસ્ત્રકાર મહર્ષિઓએ એવી જ ઉપમા આપી સ્તવ્યો છે અને કહ્યું છે કેરત્ન તણી જેમ પેટી, ભાર અલ્પ બહુ મૂલ્ય, ચૌદ પૂર્વનો સાર એ, મંત્ર છે તેહને તુલ્ય. સકલ સમય અત્યંતર, પદ એ પંચ પ્રમાણ, મહસુઅબંધ તે જાણો, ચૂલો સહિત સુજાણ.
૦૫. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મ. અહીં શ્રી નવકારને કેવળ રત્ન જ નહિ પણ રત્નોની પેટી કહી છે અને તેના સર્વ અક્ષરોને મહામૂલ્યવાન રત્નોની ઉપમા આપી છે. આગળ વધીને શ્રી નવકારને ચૌદપૂર્વની તુલ્ય કહ્યો છે. કારણ કે ચૌદપૂર્વે વડે જ્ઞાની પુરુષોને જે પ્રયોજન સાધવું ઇષ્ટ છે, તે અવસ્થાવિશેષે કેવળ એક શ્રી નવકારમંત્રથી સિદ્ધ થઈ શકે છે.
શ્રી નવકારમંત્રનાં પદો સઘળા સિદ્ધાન્તોની અત્યંતર સમાયેલાં છે. કારણ કે એનું સ્મરણ, ધ્યાન કે ઉચ્ચારણ કર્યા વિના કોઈપણ સિદ્ધાન્તની વાચના થઈ શકતી નથી.
શ્રુતકેવળી ભગવાન શ્રી ભદ્રબાહુસ્વામીજીએ સૌથી પ્રથમ નિયુક્તિ શ્રી નમસ્કાર મહામંત્રની રચેલી છે અને તે પૂર્વે કે ત્યાર પછી કોઈપણ સૂત્રની વ્યાખ્યા કરતાં પહેલાં શ્રી નમસ્કારમંત્રની જ વ્યાખ્યા આદિ સૌ પ્રથમ કરવાની શિષ્ટપુરુષોની માન્ય એવી પ્રણાલિકા છે.
પ્રથમના પાંચ પદની સાથે ચૂલિકાનાં ચાર પદ મળીને સંપૂર્ણ શ્રી નમસ્કારમંત્રને શ્રી નંદિસૂત્ર આદિ આગમોમાં “મહાશ્રુતસ્કંધ' તરીકે વર્ણવેલ છે અને તે સિવાયનાં અન્ય આગમોને કેવળ શ્રુતસ્કંધ તરીકે સંબોધેલ
શ્રી મહાનિશીથસૂત્રમાં શ્રી નમસ્કાર મહામંત્રને સ્પષ્ટ રીતે નવપદ, અડસઠ અક્ષર અને આઠ સંપદાઓવાળો જણાવ્યો છે.
આ શ્રી મહાનિશીથવ્રુતસ્કંધ સમસ્ત પ્રવચનના સારભૂત, પરમતત્ત્વભૂત તથા અતિશયવાળા અત્યંત મહાન અર્થોથી ભરેલું છે. એમાં શ્રી નવકારસૂત્રનું વ્યાખ્યાન નીચે મુજબ કર્યું છે.
જેમ તલમાં તેલ, કમળમાં મકરંદ અને સર્વલોકમાં પંચાસ્તિકાય વ્યાપ્ત છે, તેમ આ પંચમંગલમહાશ્રુતસ્કંધ સકલ આગમોમાં વ્યાપીને રહેલ છે અને તે યથાર્થ ક્રિયાનુવાદ-સૂદૂભૂત, ગુણકીર્તન સ્વરૂપ તથા યથેચ્છફળપ્રસાધક પરમસ્તુતિવાદરૂપ છે. | સર્વજગતમાં જે ઉત્તમ હોય તેની પરમ સ્તુતિ કરવી જોઈએ. સર્વજગતમાં જે કોઈ ઉત્તમ થઈ ગયા, જે કોઈ થાય છે અને જે કોઈ થશે તે સર્વ શ્રી અરિહંતાદિ પાંચ જ છે. તે સિવાય બીજા નથી જ. તે પાંચ અનુક્રમે
(ગૈલોક્યદીપક મહામંત્રાધિરાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org